Rajkot તા.૨૦
પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયા દ્વારા રાજકોટ શહેરની ઇછઝજ વ્યવસ્થાને લઈને ગુજરાત સરકાર અને રાજકોટ મહાનગરપાલિકા મેયર શ્રી ડો.નેહલ શુકલ અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન શ્રી પરેશ પીપળીયાને મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. ડો.કથિરિયાએ જણાવાયું છે કે રાજકોટ શહેરના ઝડપી વિકાસ, વધતી વસ્તી, વાહનોની વધતી સંખ્યા અને બદલાતી શહેરી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઇછઝજ (ઇીત છફાશમ ઝફિક્ષતશિં જુતયિંળ) વ્યવસ્થાનો અમલ કરવામાં આવ્યો હતો, જેના મુખ્ય હેતુ જાહેર પરિવહનને વધુ ઝડપી, સુવ્યવસ્થિત, સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવાના હતા. સાથે સાથે ટ્રાફિકનું ભારણ ઘટાડવું, સામાન્ય નાગરિકોને સસ્તું અને સમયબદ્ધ પરિવહન ઉપલબ્ધ કરાવવું તથા પેટ્રોલ-ડીઝલના વપરાશમાં ઘટાડો કરવો વગેરે તેની પાછળના મહત્વના હેતુઓ રહ્યા હતા.
ડો.કથિરિયાએ વધુ જણાવાયું કે ઘણા લાંબા ગાળાના અનુભવ પછી ઇછઝજ કોરિડોરમાં બસોની અવરજવર મર્યાદિત છે, જ્યારે બીજી તરફ બંને સાઈડના સામાન્ય માર્ગો પર ભારે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ રહી છે. પરિણામે એક તરફ ઇછઝજ માટે અનામત માર્ગનો પૂરતો ઉપયોગ થતો નથી અને બીજી તરફ સામાન્ય વાહનચાલકોને ટ્રાફિક, સમયના બગાડ અને વધતા ઇંધણ વપરાશનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં સમગ્ર ઇછઝજ પ્રોજેક્ટનું સર્વાંગી મૂલ્યાંકન તથા ઇકોનોમિક અને સોશિયલ ઓડિટ કરવું અત્યંત જરૂરી બની ગયું છે.
ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ પોતાની રજૂઆતમાં ખાસ ભાર મૂક્યો છે કે ઇછઝજ માટે થયેલા કુલ મૂડીરોકાણ, દૈનિક સંચાલન ખર્ચ, જાળવણી ખર્ચ, બસોની સંખ્યા, દૈનિક મુસાફરોની સંખ્યા, બસોની ઓક્યુપન્સી, આવક-ખર્ચનું પ્રમાણ અને શહેરને મળતા વાસ્તવિક લાભો અંગે પારદર્શક અને વૈજ્ઞાનિક અભ્યાસ થવો જોઈએ. સાથે સાથે દિવસ દરમિયાન ઇછઝજ રૂટમાંથી કેટલા વાહનો પસાર થાય છે, કેટલા લોકો તેનો ઉપયોગ કરે છે અને બાજુના માર્ગો પર કેટલો વધારાનો ટ્રાફિક સર્જાય છે તેનો પણ સર્વે કરવાની જરૂરિયાત છે. આજે પ્રશ્ન એ છે કે વર્તમાન સ્થિતિમાં ખરેખર ઇંધણનો બચાવ થઈ રહ્યો છે કે ટ્રાફિક જામ અને લાંબા રૂટના કારણે વધુ ઇંધણનો બગાડ થઈ રહ્યો છે ? રાજકોટ શહેરની જનમાનસિકતા અને વાસ્તવિક જરૂરિયાતોને પણ સમજવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.
ડૉ. કથીરિયાએ જણાવ્યું હતું કે માત્ર વિદેશી મોડેલોથી પ્રેરાઈને નસ્ત્રકોપી-પેસ્ટથથ પ્રકારની શહેરી પરિવહન વ્યવસ્થા અપનાવવાને બદલે શહેરની ભૂગોળ, વસ્તી ઘનતા, માર્ગોની રચના, લોકોની જીવનશૈલી અને સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શહેર માટે યોગ્ય અને વ્યવહારુ પરિવહન મોડેલ વિકસાવવાની જરૂરિયાત છે. તેમણે રાજ્ય સરકારને પણ વિનંતી કરી છે કે ઇછઝજ અંગે વિશેષજ્ઞ સમિતિ દ્વારા સર્વે, ટ્રાફિક અભ્યાસ, ઇકોનોમિક ઓડિટ અને જનઅભિપ્રાય આધારીત સમીક્ષા હાથ ધરવામાં આવે અને લાંબા ગાળાના હિતોને ધ્યાનમાં રાખીને જાહેર પરિવહન અંગે યોગ્ય આયોજન કરવામાં આવે.

