Rajkot,તા.16
રાજકોટમાં સેન્ટ્રલ જેલ પોપટ પરા માં ભરણ પોષણ કેસ માં પાકા કામના કેદી તરીકે કામના જેલમાં રહેલા યુવાન ને અડધી બેભાન અવસ્થામાં સિવિલમાં ખસેડવામાં આવતા સમયસરની સારવારથી કેદીનો જીવ બચી ગયો હતો
સેન્ટ્રલ જેલમાં ભરણપોષણના પાકા કામના કેદી રાધેશ્યામ અશોકભાઈ રાજદેવ ગઈકાલે સાંજ ના સુમારે તેની બેરકમાં અર્ધ બેભાન અવસ્થામાં મોઢામાં ફીણ નીકળતી હાલતમાં જોવા મળતા બેરકમાં રહેલા સાથી કેદીઓએ જેલ મેનેજમેન્ટ ને આ અંગેની જાણ કરતા જેલ સુબેદાર અવિનાશ સિંહ એ રાધે શ્યામ રાજદેવ ને સિવિલમાં દાખલ કરવામાં આવતા સમયસર સારવારથી જીવ બચી ગયો હતો અને તબીબો એ ભયમુક્ત જાહેર કર્યો છે