પહેલગામની બૈસરન ઘાટીમાં થયેલ આતંકી હુમલો એટલો દુઃખદ અને ચિંતાજનક છે કે તેને ભૂલાવી નહીં શકાય અને ભૂલવો પણ ન જોઇએ. ધર્મ જોઇને નિશાનો બનાવીને કરવામાં આવેલા આ હુમલાના જેટલા ઉજાગર પાસાં છે, તેટલાં છૂપાં પણ છે. પહેલું ઉજાગર પાસું એ છે કે સીમા પાર સત્તા પ્રતિષ્ઠાનનો ભારત વિરોધ ફરી બેશરમીથી ઉઘાડો પડી ગયો. બીજું પાસું, આપણી સુરક્ષા વ્યવસ્થામાં થોડો આશ્વસ્ત ભાવ આવી ગયો છે. ત્રીજું પાસું, કાશ્મીરી માનસ આ વખતે આતંક વિરુદ્ઘ લગભગ એકજુટ દેખાયું છે. ચોથું પાસું, સરકાર પૂરતા સંયમ સાથે કોઈ મોટા પગલા પર વિચાર કરી રહી છે. પહેલો નિહિતાર્થ એ છે કે ભારતની પ્રગતિ અને શાંતિના દુશ્મન સક્રિય થઈ ગયા છે. અમેરિકી ઉપ-રાષ્ટ્રપતિ જેડી વેન્સની ભારત યાત્રા અન ભારતીય વડાપ્રધાનની સઉદી અરબ યાત્રાથી દુશ્મનો ખીજાયા છે. માત્ર પાકિસ્તાનની તાજી પ્રતિક્રિયાને જ જોઇએ તો અંદાજો લાગી જાય છે કે આપણી આસપાસ શું દલાયું છે. ભારતીય સંસદ પર થયેલ હુમલા અને મુંબઈ હુમલા બાદ આપવામાં આવેલ આશ્વાસનોને પડોશી દેશે ફરીથી ભૂલાવી દીધા છે.
વાસ્તવમાં આપણા પ્રત્યે સદાય દ્વેષથી પ્રેરિત દેશ કાશ્મીરના વિષયને વિશ્વ પટલ પર જીવિત રાખા માગે છે. આપણા પહેલા વડાપ્રધાનની એક ભૂલ આજે દેશને કેટલી ભારે પડી રહી છે! હાલમાં જ પાકિસ્તાનના સેના અધ્યક્ષે પોતાના ઇરાદા ખુલ્લા જાહેર કર્યા હતા. દર થોડા વર્ષોના અંતરે પાકિસ્તાનમાં એવા સૈન્ય જનરલોની એક ખેપ આવે છે, જે પોતાના દેશના પૂર્વના અનુભવોને ભૂલાવી દે છે અને નવી બદનામી કમાવા તરફ દોરી જાય છે. પહેલગામમાં થયેલી કાયરતા પાકિસ્તાની સત્તા પ્રતિષ્ઠાનની ખીજ કે નિરાશાનું પરિણામ હોય તો આશ્ચર્ય નહીં. ભારત સરકારની રક્ષા અને સુરક્ષા એજન્સીઓએ એ આતંકીઓ પર જલ્દી સકંજો કસવો જોઇએ, જેમણે આ આતંકી ઘટનાને અંજામ આપ્યો છે. આતંકીઓ પ્રત્યે ઝીરો ટોલરન્સની સાથે જ એવી તમામ જગ્યાએ પોલીસને તૈનાત કરવાની જરૂર છે, જ્યાં સહેલાણીઓ મોટી સંખ્યામાં ભેગા થાય છે. એવી જગ્યાઓ પર સીસીટીવી કેમેરા પણ લગાવવા જોઇએ. આપણા માટે સુરક્ષા પ્રાથમિકતા છે. દરેક જગ્યાએ સુરક્ષાકર્મી ન લગાવી શકાય, પરંતુ સુરક્ષાના ડિજિટલાઇઝેશનને તેજ કરવાની જરૂર છે. એક મોટું સ્થાયી રોકાણ ઇલેક્ટ્રોનિક નિરીક્ષણ માળખામાં કરવાનો સમય આવી ગયો છે. કાશ્મીરના મોટા પર્યટન સ્થળોના સુરક્ષા તંત્રની સાથે જ સ્થાનિક નાગરિક શક્તિને જોડીને હુમલાની ગુંજાશનો અંત કરી શકાય છે. આ કામ રાજ્ય સરકારે પોતાના સ્તરે સુનિશ્ચિત કરવું જોઇએ. જોકે આતંકવાદ મુદ્દે જમ્મુ-કાશ્મીરની સ્થાનિક રાજ્ય સરકારોનો રેકોર્ડ તો બદનામ જ છે. તેથી કાશ્મીરને હંમેશ માટે સેના અને અર્ધસૈનિક દળોના લોખંડી જાપ્તા હેઠળ જ રાખવું યોગ્ય છે. કેન્દ્ર સ્તર પર સરકાર ગંભીર લાગી રહી છે અને લોકો ઠોસ પરિણામની આશા આ જ સરકાર પાસેથી રાખી રહ્યા છે. સ્થાનિક કાશ્મીરીઓએ પણ સમજી લેવું પડશે કે આતંકના પરિણામે જ આજે તેમણે ભોગવવાની વારી આવી છે. તેમણે પોતાના ખરાબ દોરને યાદ કરી લેવો જોઇએ અને આતંક વિરુદ્ઘ શક્ય તેટલી મદદ સુરક્ષા દળોને કરવી જોઇએ.