પહેલગામમાં આતંકી હુમલો કરીને પાકિસ્તાની કઈ રીતે ભારતમાં રહેતા, સગા-સંબંધીઓને મળવા આવેલા અથવા ઉપચાર કરાવી રહેલા પોતાના નાગરિકો માટે પણ મુશ્કેલી ઊભી કરી દીધી, એ તેનાથી ખબર પડે છે કે એવા લોકોના વિઝા રદ્દ થયા બાદ તેમના તરફથી તેમને લેવા આવવામાં આનાકાની કરવી. તેણે એવા લોકો માટે એક દિવસ સુધી પોતાના ગેટ બંધ રાખ્યા. જે ભારતીયો પાકિસ્તાનમાં રહે છે, તેમને પણ ભારત પાછા ફરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરંતુ તેમની સંખ્યા ઘણી ઓછી છે. ભારતમાં તો એવા પાકિસ્તાની નાગરિકોની ગણતરી કરવી અને તેમને શોધવા પણ મુશ્કેલ થઈ રહ્યું છે, જેઓ ભારત આવ્યા હતા. તેમાંથી કેટલાક તો વર્ષો અને ત્યાં સુધી કે દાયકાઓથી રહેતા આવ્યા છે. કેટલાય તો વિઝા અવધિ ખતમ થઈ ગયા બાદ પણ અહીં જ રહી પડ્યા છે. કેટલાક એવા પણ નીકળ્યા, જે ભારતમાં ભારતીયો જેવી સુવિધાઓ ઉઠાવી રહ્યા હતા અને વોટ પણ આપી રહ્યા હતા. આખરે આવું થયું કેવી રીતે? આપણી સરકારોની આ કેવી લાલિયાવાડી? સમસ્યા એ જ નથી કે પાકિસ્તાની નાગરિકોને પાછા મોકલવા મુશ્કેલ થઈ રહ્યું છે. સમસ્યા એ પણ છે કે ભારતમાં જન્મેલી કેટલીય મહિલાઓ એવી છે, જેમના નિકાહ પાકિસ્તાનમાં થયા, પરંતુ તેમને ત્યાંની નાગરિકતા ન મળી કે તેમણે લીધી જ નહીં. એમાંથી કેટલીક મહિલાઓ એવી છે, જેમનાં બાળકોને ત્યાંની નાગરિકતા મળેલી છે. એવાં બાળકો તો પાછા જઈ શકે છે, પરંતુ માતાઓ નહીં. ભારતે એવી વ્યવસ્થા કરવી પડશે કે એવી મહિલાઓ બાળકો સાથે પરત મોકલી શકાય.
પાકિસ્તાને જે માનવીય સંકટ ઊભું કર્યું, તેની નોંધ લઈને ભારતે તેમના પાછા ફરવાની સમય સીમા વધારીને ઠીક કર્યું, પરંતુ એ પણ સમજવું પડશે કે વિઝા અવધિ ખતમ થયા બાદ પણ અહીં રહી પડેલા પાકિસ્તાની નાગરિકો સુરક્ષા માટે ખતરો સાબિત થઈ શકે છે. કારણ કે એવા કેટલાય પાકિસ્તાનીઓ મળી નથી રહ્યા. કેટલાકે તો છળકપટથી ભારતીય ઓળખ હાંસલ કરી લીધી છે. એવાં પણ પ્રકરણ છેકે પાકિસ્તાની મહિલાએ એવા ભારતીય પુરુષ સાથે નિકાહ કર્યા જે સુરક્ષાની દૃષ્ટિએ સંવેદનશીલ પદ પર છે. સ્પષ્ટ છે કે કાં તો જરૂરી નિયમ-કાયદાનો અભાવ છે કે પછી એની અવગણના થઈ રહી છે. એને ભૂલવું ન જોઇએ કે ભૂતકાળમાં કેટલાય પાકિસ્તાની નાગરિક ભારત આવ્યા અને પછી તેઓ અહીં ક્યાંક ગુમ થઈ ગયા. સામાન્ય સ્થિતિમાં બંને દેશોના લોકોનુ આવવું-જવું ચાલુ રહેશે અન તેમના પ્રત્યે નરમી રાખવી પડશે, પરંતુ ભારતે એ જોવું પડશે કે એવું કશું ન થાય, જે સુરક્ષા માટે ખતરો બને. વાત માત્ર વિઝા લઈને આવેલા પાકિસ્તાની નાગરિકોની નહીં, ગેરકાયદે બાંગ્લાદેશીઓની પણ છે. એકલા ગુજરાતમાં જ તેઓ હજારોની સંખ્યામાં ઝડપાયા છે. આ યોગ્ય સમય છે કે ભારત પોતાના વિઝા નિયમોને સુધારે અને એનઆરસી એટલે કે રાષ્ટ્રીયતા નાગરિકતા રજિસ્ટર વિશે પણ વિચાર કરે.