New Delhi.તા.12
ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ વિરામમાં હવે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદનું ખાસ સત્ર બોલાવવા માંગણી કરી છે.રાહુલ ગાંધીએ જણાવ્યું કે, સરકારે દેશ અને સંસદને વિશ્વાસમાં લેવાવા જોઈએ. શ્રી ગાંધીએ અગાઉ સરકારના તમામ વલણને સમર્થન આપ્યુ હતું અને ઉમેર્યુ કે જે શાંતિ-સમજુતી કે યુદ્ધ વિરામ હતું.તેમાં દેશના લોકોને જાણવાનો અધિકાર છે અને સંસદના ખાસ સત્રમાં તે અંગે ચર્ચા થવી જોઈએ.