Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે રાહદારી અજાણ્યા પુરુષનું મોત

    June 16, 2025

    Morbi: પીપળીયા ચાર રસ્તા નજીક અબોલ જીવની હેરાફેરી કરનાર બે વિરુદ્ધ ગુનો

    June 16, 2025

    Morbi: માળિયાના નાના દહીંસરા નજીક કારે ડબલસવારી બાઈકને ટક્કર મારી, એકનું મોત-એકને ઈજા

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે રાહદારી અજાણ્યા પુરુષનું મોત
    • Morbi: પીપળીયા ચાર રસ્તા નજીક અબોલ જીવની હેરાફેરી કરનાર બે વિરુદ્ધ ગુનો
    • Morbi: માળિયાના નાના દહીંસરા નજીક કારે ડબલસવારી બાઈકને ટક્કર મારી, એકનું મોત-એકને ઈજા
    • Morbi: મહેન્દ્રનગર ચોકડીએ ચક્કર આવતા પડી જતા આધેડનું મોત
    • વૈરાગ્યમાં સુખ છે ૫રંતુ મુક્તિ તો બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે
    • ઉત્તમ સત્સંગ મળે છતાં દુષ્ટ પોતાનો સ્વભાવ છોડતો નથી
    • Vijaybhai Rupani ના જીવનની જેમ અંતિમયાત્રામાં પણ સેવા અને ફુલોની મહેક પ્રસરી
    • સીવીલ હોસ્પીટલમાં પ્લેન દુર્ઘટનાના અસરગ્રસ્તોને મળતા CM પટેલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»૨૦૧૫માં થયેલી ગણતરીમાં Gujarat માં સિંહોની સંખ્યા ૨૭%ના વધારા સાથે ૫૨૩ નોંધાઈ હતી
    ગુજરાત

    ૨૦૧૫માં થયેલી ગણતરીમાં Gujarat માં સિંહોની સંખ્યા ૨૭%ના વધારા સાથે ૫૨૩ નોંધાઈ હતી

    Vikram RavalBy Vikram RavalMay 22, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૨૧

    ગુજરાત સરકારે એશિયાઈ સિંહનો ૧૬મો વસ્તી અંદાજ-૨૦૨૫ ૧૦ મેથી ૧૩મે દરમિયાન બે તબક્કામાં યોજવામાં આવ્યો હતો. આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ કુલ ૧૧ જિલ્લાના ૫૮ તાલુકાના ૩૫ હજાર ચો.કિમી. વિસ્તારમાં ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી કરવામાં આવ્યો હતો. સરકારે ’૧૬મી સિંહ વસ્તી ગણતરી – ૨૦૨૫’ના આંકડા જાહેર કર્યા હતા. ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તીની કુલ સંખ્યા ૮૯૧ થઈ છે, જેમાં ૧૯૬ નર,૩૩૦ માદા,૧૪૦ પાઠડા,૨૨૫ બચ્ચા નોંધાયા છે. છેલ્લે ૨૦૧૫માં થયેલી ગણતરીમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા ૨૭%ના વધારા સાથે ૫૨૩ નોંધાઈ હતી.

    રાજ્યમાં સૌપ્રથમ વર્ષ ૧૯૩૬માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી. પ્રાપ્ત અંદાજિત આંકડા મુજબ વર્ષ ૧૯૯૫માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર, માદા, પાઠડા-બચ્ચા એમ મળીને કુલ ૩૦૪ જેટલા સિંહ નોંધાયા હતા. તેવી જ રીતે વર્ષ ૨૦૦૧માં કુલ ૩૨૭, વર્ષ ૨૦૦૫માં કુલ ૩૫૯, વર્ષ ૨૦૧૦માં કુલ ૪૧૧, વર્ષ ૨૦૧૫માં કુલ ૫૨૩ અને છેલ્લે વર્ષ ૨૦૨૦માં કુલ ૬૭૪ જેટલા સિંહોની વસ્તી નોંધાયેલી છે.

    આ વસ્તી અંદાજની કામગીરી માટે સમગ્ર વિસ્તારને શ્રેણીબદ્ધ એકમોમાં વિભાજીત કરવામાં આવેલ. સમગ્ર વિસ્તારને ૮ રીજીયન, ૩૨ ઝોન, ૧૧૨ સબ-ઝોન અને ૭૩૫ ગણતરી એકમોમાં વિભાજીત કરવામાં આવેલ. આ કામગીરીમાં પારદર્શિતા વધારવા માટે, વન વિભાગના અધિકારીઓ ઉપરાંત, રાષ્ટ્રીય અને રાજ્ય વન્યજીવ બોર્ડના સભ્યો, વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો અને સિંહ વ્યવસ્થાપન અને તેના વર્તનના અનુભવી વ્યક્તિઓને નિરીક્ષક તરીકે આમંત્રિત કરવામાં આવેલ. વધુમાં, વિવિધ ક્ષેત્રોના રસ ધરાવતા વ્યક્તિઓ અને સ્વૈચ્છિક સંસ્થાના સભ્યોને સ્વયંસેવકો તરીકે સામેલ કરવામાં આવેલ. આ કામગીરી અસરકારક અને સુગમતાપુર્વક ચાલે તે માટે, વરિષ્ઠ વન અધિકારીઓ દ્વારા સમગ્ર અંદાજ પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવેલ. આ વસ્તી અંદાજની કામગીરીમાં કુલ ૩૮૫૪ લોકોએ ભાગ લીધેલ. સૌ પ્રથમ વાર આ કામગીરીમાં સ્થાનિક સરપંચશ્રીઓ તેમજ ગામ આગેવાનોને પણ આમંત્રીત કરવામાં આવેલ અને તેઓએ ખૂબ સારો પ્રતિભાવ આપેલ છે.

    આ વસ્તી અંદાજની કામગીરીમાં મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવેલ. વ્યક્તિગત ઓળખમાં મદદ થાય તે હેતુથી ફોટોગ્રાફ્સ લેવા માટે ડિજિટલ કેમેરા, કેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો. અમુક સિંહોને રેડિયો કોલર પહેરાવવામાં આવેલ, જેથી તે સિંહ તેમજ તેના ગૃપનુ લોકેશન મેળવવામાં મદદ મળેલ.ઇ ગુજ ફોરેસ્ટ એપ્લીકેશન સિંહ અવલોકનના રિયલ ટાઇમ ડેટા એન્ટ્રી કરવામાં મદદરૂપ થયેલ, જેમાં જીપીએસ લોકેશન અને ફોટાનો સમાવેશ થવાથી ચોકસાઈ અને કાર્યક્ષમતા સુધરેલ. જીઆઈએસ સોફ્ટવેરનો ઉપયોગ સર્વેક્ષણ વિસ્તારોને રેખાંકિત કરવા અને સિંહોની હિલચાલ, વિતરણ પેટર્ન અને રહેઠાણના ઉપયોગને ટ્રેક કરવા માટે વિગતવાર નકશા વિકસાવવા માટે કરવામાં આવેલ. જરૂર જણાય ફોટાનો ઉપયોગ કારી સિંહોની વ્યક્તિગત ઓળખ કરી સકતા છૈં આધારીત સોફ્ટવેરનો પણ ઉપયોગ કરવામાં આવેલ. આ કામગીરી એશિયાઈ સિંહોના સંરક્ષણ અને વૈજ્ઞાનિક વ્યવસ્થાપન પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તા.૨૧/૦૫/૨૦૨૫ ના રોજ માન. મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યમાં યોજવામાં આવેલ ૧૬મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની જાહેરાત કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં મંત્રી, વન અને પર્યાવરણ મુળુભાઈ બેરા તેમજ રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ પણ હાજર રહેલ. તા.૦૩/૦૩/૨૦૨૫ ના રોજ રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની બેઠકમાં માન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સિંહ વસ્તી અંદાજ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવેલ હતી.

    મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સિંહ સંરક્ષણ માટે વિસ્તાર વિકાસલક્ષી બૃહૃદ ગીર વિસ્તારને અનુલક્ષીને સ્થાયી વિકાસના સિદ્ધાંતોને અનુરૂપ કાર્યપદ્ધતિથી વન્યજીવ સંર્વધનના કાર્યક્રમો બાબતે સંબોધન કરવામાં આવેલ. તેઓએ માન, પ્રધાન મંત્રી દ્વારા ૧૫મી ઓગષ્ટ, ૨૦૨૦ ના રોજ લાલ કિલ્લાની પ્રાચીરથી પ્રોજેક્ટ લાયનની જાહેરાત તેમજ હાલમાં જ સાસણ ખાતેની રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની બેઠકમાં રૂા. ૨૯૨૭.૭૧ કરોડના પ્રોજેક્ટ લાયન ૨૦૪૭ ના ભવિષ્યલક્ષી આયોજન બાબતનો પણ ઉલ્લેખ કરેલ. મુખ્ય મંત્રી દ્વારા જણાવવામાં આવેલ કે, પ્રજાની સહભાગીતા સિંહ સંરક્ષણની સફળતાના કાર્યક્રમો માટે ચાવીરૂપ ભૂમિકા ભજવેલ છે. તેઓ જણાવેલ કે, સમગ્ર સૌરાષ્ટ્રની પ્રજા સિંહ માટે ગૌરવની લાગણી અનુભવે છે. તેમજ તેને એક પરિવારનો સભ્ય માનવામાં આવે છે. મુખ્ય મંત્રીશ્રી દ્વારા સિંહની વસ્તીની સતત વૃદ્ધિ માટે રાજ્ય સરકારના કુશળ આયોજન, અને સ્થાનિક લોકોની ભાગીદારી બાબતે ચર્ચા કરવામાં આવેલ.

    Asiatic Lion Population Estimates-2025 Gandhinagar Gujarat government
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે રાહદારી અજાણ્યા પુરુષનું મોત

    June 16, 2025
    મોરબી

    Morbi: પીપળીયા ચાર રસ્તા નજીક અબોલ જીવની હેરાફેરી કરનાર બે વિરુદ્ધ ગુનો

    June 16, 2025
    મોરબી

    Morbi: માળિયાના નાના દહીંસરા નજીક કારે ડબલસવારી બાઈકને ટક્કર મારી, એકનું મોત-એકને ઈજા

    June 16, 2025
    મોરબી

    Morbi: મહેન્દ્રનગર ચોકડીએ ચક્કર આવતા પડી જતા આધેડનું મોત

    June 16, 2025
    રાજકોટ

    Vijaybhai Rupani ના જીવનની જેમ અંતિમયાત્રામાં પણ સેવા અને ફુલોની મહેક પ્રસરી

    June 16, 2025
    ગુજરાત

    સીવીલ હોસ્પીટલમાં પ્લેન દુર્ઘટનાના અસરગ્રસ્તોને મળતા CM પટેલ

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે રાહદારી અજાણ્યા પુરુષનું મોત

    June 16, 2025

    Morbi: પીપળીયા ચાર રસ્તા નજીક અબોલ જીવની હેરાફેરી કરનાર બે વિરુદ્ધ ગુનો

    June 16, 2025

    Morbi: માળિયાના નાના દહીંસરા નજીક કારે ડબલસવારી બાઈકને ટક્કર મારી, એકનું મોત-એકને ઈજા

    June 16, 2025

    Morbi: મહેન્દ્રનગર ચોકડીએ ચક્કર આવતા પડી જતા આધેડનું મોત

    June 16, 2025

    વૈરાગ્યમાં સુખ છે ૫રંતુ મુક્તિ તો બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે

    June 16, 2025

    ઉત્તમ સત્સંગ મળે છતાં દુષ્ટ પોતાનો સ્વભાવ છોડતો નથી

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે રાહદારી અજાણ્યા પુરુષનું મોત

    June 16, 2025

    Morbi: પીપળીયા ચાર રસ્તા નજીક અબોલ જીવની હેરાફેરી કરનાર બે વિરુદ્ધ ગુનો

    June 16, 2025

    Morbi: માળિયાના નાના દહીંસરા નજીક કારે ડબલસવારી બાઈકને ટક્કર મારી, એકનું મોત-એકને ઈજા

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.