બુધવારે મોડી રાત્રે કેબલ ચોરી થવાના કારણે વહેલી સવારથી જ એપરલ પાર્કથી જૂની હાઇકોર્ટ વચ્ચે ટ્રેન સેવા પ્રભાવિત થઈ હતી
Ahmedabad,તા.23
અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરનારા લોકો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે (૨૨ મે) વહેલી સવારથી બંધ એપરલ પાર્કથી શાહપુર સુધીની મેટ્રો સેવા ફરી શરુ કરવામાં આવી છે. બુધવારે રાત્રે વીજ પુરવઠો પૂરો પાડતાં કેબલની ચોરી થવાના કારણે આ રૂટ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો હતો. જોકે, હવે ફરી તેને રાબેતા મુજબ શરુ કરી દેવાયો છે.
મેટ્રો વિભાગે આપેલી માહિતી અનુસાર, અમદાવાદ મેટ્રોના ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં શાહપુરથી જૂની હાઇકોર્ટ સેક્શન વચ્ચે બુધવારે મોડી રાત્રે કેબલ ચોરી થવાના કારણે વહેલી સવારથી જ એપરલ પાર્કથી જૂની હાઇકોર્ટ વચ્ચે ટ્રેન સેવા પ્રભાવિત થઈ હતી. જોકે, વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક અને જૂની હાઇકોર્ટથી થલતેજ ગામ સુધીની ટ્રેન સેવા પણ ટેક્નિકલ ખામીના કારણે બંધ કરવામાં આવી હતી. જોકે, ઉત્તર-દક્ષિણ કોરિડોરમાં ટ્રેન સેવાને કોઈ અસર થઈ નહતી. અમદાવાદ પોલીસ અને ય્સ્ઇઝ્રન્ના સ્ટાફની મદદથી કર્મચારીઓએ ૧૩ઃ૨૬ વાગ્યે કેબલ બદલી અસ્થાયી રૂપે બંધ સેવાને ફરી નિયમિત ટાઇમટેબલ મુજબ ૧૩ઃ૩૭ વાગ્યે પૂર્વ-પશ્ચિમ ટ્રેન સેવાને રાબેતા મુજબ શરુ કરી દેવામાં આવી છે.
બુધવારે (૨૧ મે) રાત્રે શાહપુરથી જૂની હાઇકોર્ટ વિસ્તારમાં મેટ્રોને વીજ પુરવઠો પૂરો પાડતાં કેબલની ચોરી કરવામાં આવી છે. જેના કારણે વહેલી સવારથી જ એપરલ પાર્કથી શાહપુર સુધીની મેટ્રો સેવા હાલ બંધ કરવામાં આવી હતી. આ સિવાય થલતેજથી વસ્ત્રાલ અને વસ્ત્રાલથી થલતેજ તરફ જતી મેટ્રો ટ્રેનનો રૂટ ગુરુવારે (૨૨ મે) વહેલી સવારથી બંધ કરવામાં આવ્યો હતો. આ અંગે માઇક દ્વારા મુસાફરોને જાહેરાત કરવામાં આવી હતી કે, ટેક્નિકલ ખામીના કારણે થલતેજ ગામનો રૂટ અસ્થાયી રૂપે બંધ રહેશે. જોકે, વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક અને એપરલ પાર્કથી વસ્ત્રાલ ગામ સુધીની સેવા રાબેતા મુજબ ચાલુ રહેશે.
નોંધનીય છે કે, ટૂંકા સમયમાં આ પ્રકારે મેટ્રો સેવા બંધ કરવાની જાહેરાતથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઑફિસ જતાં લોકો સવારથી હેરાન થયા અને બાદમાં ખાનગી વાહનોનો સહારો લેવો પડ્યો હતો.