સંશોધિત વક્ફ કાયદા પર સુનાવણી સમયે આ કાયદાને ગેરબંધારણીય, મનમાફક સાબિત કરવા અને તેના પર વચગાળાની રોક લગાવવા પર ભાર મૂકતી દલીલો પર સુપ્રીમ કોર્ટનું એ નિષ્કર્ષ પર પહોંચવું સંતોષકારક છે કે સંસદથી પસાર કાયદા બંધારણીયતાની ધારણા પર ટકેલા હોય છે અને જ્યાં સુધી તેનો ઠોસ આધાર ન હોય કે એવું નથી, ત્યાં સુધી વચગાળાની રાહત આપવી ઠીક નથી. સુપ્રીમ કોર્ટે એ પણ ટિપ્પણી કરી કે વચગાળાની રાહત મેળવવા માટે બહુ ઠોસ અને સ્પષ્ટ આધાર રજૂ કરવો પડે. ખબર નહીં કે વક્ફ કાયદાને ગેરબંધારણીય ગણાવી રહેલો પક્ષ એવા ઠોસ અને સ્પષ્ટ આધાર રજૂ કરી શકશે કે નહીં, પરંતુ એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તેની કોશિશ યેનકેન પ્રકારે આ કાયદાને ધરાર નકારવાની છે. તેનો સંકેત એના પરથી મળ્યો કે વક્ફ કાયદાને અયોગ્ય, ગેરબંધારણીય ગણાવવા માટે એવી પણ દલીલો કરવામાં આવી જેનો કોઈ મતલબ નથી. તે ઉપરાંત એ વિષયોથી ઇતર પણ જવાની કોશિશ કરવામાં આવી, જેને સુનાવણી માટે નક્કી કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે વિચાર માટે જે ત્રણ બિંદુ પસંદ કર્યા છે, તે છે વક્ફ સંપત્તિઓને બિનઅધિસૂચિત કરવાની પ્રક્રિયા, વક્ફ બોર્ડો અને કેન્દ્રીય વક્ફ પરિષદમાં બિનમુસ્લિમ સદસ્યોની નિયુક્તિ અને સરકારી ભૂમિને વક્ફ સંપત્તિ રૂપે વર્ગીકૃત કરવી. આ ત્રણ બિંદુઓ પર કેન્દ્ર સરકાર પહેલેથી જ એ આશ્વાસન આપી ચૂકી છે કે એના પર યથાસ્થિતિ બની રહેશે.
કહેવું મુશ્કેલ છે કે વક્ફ કાયદાની બંધારણીયતા પર વિચાર કરી રહેલી સુપ્રીમ કોર્ટ કયા નિષ્કર્ષ પર પહોંચશે, પરંતુ એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે કોઈ કાયદા પર કોઈ નિર્ણય તેની બંધારણીયતાની પૂરતી પરખ કરીને જ આપવો જોઇએ. એવું ક્યારેય ન થવું જોઇએ, જેવું ત્રણ કૃષિ કાયદાઓ મામલે થયું હતું. આ કાયદાઓની બંધારણીયતાની પરખ કર્યા વગર જ તેના અમલ પર રોક લગાવીને સુપ્રીમ કોર્ટે આ કાયદાના વિરોધીઓને એ જ સંદેશ આપ્યો હતો કે તેઓ સાચા છે. આ જ કારણે કૃષિ કાયદા વિરોધી આંદોલન લાંબું ખેંચાયું અને અંતે સરકારે નહિ ઇચ્છવા છતાં પણ તેને પાછા ખેંચવાનો દુર્ભાગ્ય નિર્ણય લેવો પડ્યો. વિશ્વનો કોઈ કાયદો એવો નથી હોતો, જેને પરિપૂર્ણ કહી શકાય. જો કોઈ કાયદામાં કોઈ ખામી-વિસંગતિ હોય તો તેને દૂર કરવી જોઇએ, નહિ કે આખા કાયદાને જ રદ્દ કરી દેવો જોઇએ. સંશોધિત વક્ફ કાયદાના વિરોધી ગમે તે દાવો અને દુષ્પ્રચાર કરે, જૂનો કાયદો ખામીઓથી ભરેલો જ નહીં, વક્ફ બોર્ડોને મનમાન્યા અને દમન કરનારા અધિકાર આપનારો હતો. તેના ખબર નહીં કેટલાય એવા દંગ કરી દેનારા પુરાવા અને પીડિત લોકો છેલ્લા ત્રણ-ચાર મહિનામાં જ સામે આવ્યા, જેની અવગણના સંસદમાં ચર્ચા દરમ્યાન વિપક્ષી નેતા પણ ન કરી શક્યા.