Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    નારી વંદન સપ્તાહ જેમાં પ્રથમ દિવસે ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ સેમિનાર યોજાયો

    August 4, 2025

    Limbdi નજીક અકસ્માત સર્જનાર કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

    August 4, 2025

    Jhalawar માં જાગરણ સાથે દશામા વ્રતનું સમાપન

    August 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • નારી વંદન સપ્તાહ જેમાં પ્રથમ દિવસે ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ સેમિનાર યોજાયો
    • Limbdi નજીક અકસ્માત સર્જનાર કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
    • Jhalawar માં જાગરણ સાથે દશામા વ્રતનું સમાપન
    • Morbi: ઓમ હોસ્પિટલના ડો.હિતેશ પટેલને મળ્યો બેસ્ટ એકેડેમિક એવોર્ડ
    • CISF માં 70 હજાર સૈનિકોની ભરતી થશે
    • Gujarat માં એપ્રિલથી જુલાઈના ચાર મહિનામાં સોનાની આયાતમાં 71 ટકાનો ઘટાડો થયો
    • દેશના ધનિકોમાં Bitcoin જેવી ક્રિપ્ટોકરન્સીનો વધતો ક્રેઝ
    • વ્યાજદરમાં વધુ 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો? RBI ની monetary બેઠકનો પ્રારંભ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»બકરીના દૂધના ફાયદા
    લેખ

    બકરીના દૂધના ફાયદા

    Vikram RavalBy Vikram RavalMay 29, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બકરીનું દૂધ મધુર, શીતળ, ઝાડાને રોકનાર અને હલકું છે. તે રક્તપિત્ત, અતિસાર(ડાયેરીયા) ટી.બી., ઉધરસ તથા તાવને મટાડનાર છે. બકરીઓ કદમાં નાની હોય છે. તીખા અને કડવા પદાર્થો ખાય છે. પાણી થોડુ પીએ છે અને પરિશ્રમ (ચાલવું, દોડવું, ઠેકડા મારવા વગેરે) ઘણો કરે છે. તેથી તેનું દૂધ સઘળા રોગોને મટાડનાર છે. તંદુરસ્ત બકરીનું દૂધ વધુ નિરોગી અને નિર્દોષ ગણાય છે. બકરીનું દૂધ જલ્દી પચે છે. તેથી નાના બાળકો માટે તે બહુ અનુકૂળ છે. બકરીનાં દૂધનું ફીણ વાત, પિત્ત અને કફનો નાશ કરનાર, રૂચિ ઉપજાવનાર, બળને વધારનાર જઠારાગ્નિ વધારનાર, મૈથુનશક્તિ વધારનાર, અમ્લપિત્ત (એસીડીટી), જુના તાવ વગેરેમાં લાભદાયક છે. બકરીનું દહીં ઉત્તમ, ઝાડાને રોકનાર, હલકું, ત્રણેય દોષને હણનાર, શ્વાસ, ઉધરસ, ટી.બી. રોગમાં તથા દુબળાપણામાં વખણાય છે. બકરીનું ઘી આંખ અંગે હિતકારી, બળને વધારનાર, શ્વાસ, ટી.બી. ઉધરસ વગેરે પરહિતકારી છે. પાંડુરોગ, અમ્લપિત્ત શોષ, પેટના રોગો, ઝાડા, બળતરા, સોજીમાં બકરીના દૂધનાં ઉપયોગ હિતકાર છે.સ્ત્રીઓને યોનિના રોગો, શુક્ર સંબંધિ રોગો, મૂત્રના વિકારો, મળ ગંઠાઈ ગયા હોય, વાયુ ના વિકારો, પિત્તના વિકારોમાં પણ હિતકારી છે. બકરી સામાન્ય રીતે જે પાલો ખાય છે તેમાં ફેરફાર કરવાથી તેની દૂધની ગુણવત્તામાં ફેરફાર આવશે. રાત્રે પશુ હેરફેર ઓછું કરતું હોવાથી સવારે દોહવાતું દૂધ દિવસ દરમ્યાનના દૂધ કરતાં પચવામાં માર પડે છે.

    બકરીનું દૂધ એ કુદરતી રીતે એકરસ અને સરળતાથી તેને જ પચી જાય છે. બકરીનું દૂધ માત્ર વીસ મિનિટમાં જ પચી જાય છે. બકરીના દૂધમાં રહેલા ચરબીના બે માઇક્રોન જેટલા નાના કણોને લીધે એકરસ લાગે છે. રાયબોફલેવિન અને બાયોટીન, પેન્ટોથેનિક એસીડ, વિટામીન ડી અને પોટેશિયમ માટે બકરીનું દૂધ એ ઘણું ઉત્તમ છે. બકરીનું દૂધ ઓછો કોલેસ્ટ્રોલ, વધારે કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામીન એ, બી ધરાવે છે. બકરીના દૂધ તારા વજનમાં વધારો, લોહીમાં વિટામીન, લોહતત્વોનો વધારો અને શરીરમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળેલ છે. બાળકોના દુગ્ધ આહાર માટે બકરીનું દૂધ ખૂબ જ અગત્યતા પ્રતિપાદિત કરેલ છે. બકરીના દૂધનું દહી નરમ છે. દૂધમાંથી સ્વાદિષ્ટ ચીઝ બને છે, જે લોકો ખૂબ પસંદ કરે છે. ઘણા સંશોધન દ્વારા નોંધપાત્ર ઠરેલ છે કે બકરીનું દૂધ એ હૃદય, આંતરડાને તથા ખોરાકની પાચકતા અને પોષણ સંબંધિત રોગોના દર્દીઓની સારવારમાં ખૂબ જ મહત્વનું પૂરવાર થયેલ છે. બકરીઓનું દોહન, સાફ સફાઈ, ચરણમાં લઈ જવી વગેરે માવજતના કામ કૌટુંબિક સભ્યો,સ્ત્રીઓ, બાળકો વગેરે કરતા હોવાથી મજૂરી ખર્ચ ચઢતો નથી. દૂઝણી બકરી દીઠ વાર્ષિક ખર્ચ સરેરાશ રૂ. ૬૦૦–૭૦૦ થાય છે. જ્યારે દૂધ, ખાતર વગેરે મળી અંદાજિત આવક રૂા ૧૩૦૦–૧૫૦૦ થાય છે. આમ બકરી દીઠ ચોખ્ખો નફો રૂ. ન ૭૦૦–૮૦૦ થાય છે.

    બકરીના દૂધમાં થી દહી, ચીઝ જેવી બનાવટો બનાવી શકાય છે. શહેરી વિસ્તારના ઉપયોગ માટે માવા, ધી, મસ્કો બનાવવામાં આવે છે. આ દૂધમાંથી પનીર પણ સારા બને છે. આ દૂધને ૧૦ થી ૨૫% ની માત્રામાં ભેંસના દૂધ સાથે ભેળવી ચીઝ બનાવવામાં આવે તો સુંદર પ્રકારનું ચીઝ દસ મહિનાને બદલે ચાર થી છ મહિનામાં તૈયાર થઈ શકે છે. ભેંસ અને બકરીના દૂધની એકસરખી માત્રાના મિશ્રણથી સુંદર ગુણવત્તાવાળું મોનોરેલા ચીઝ જે પીઝા બનાવવામાં વપરાય છે. તે સારી બની શકે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પણ નિયમીત બકરીનું દૂધ પીતા અને તેમણે પોતે પણ બકરીના દૂધ પીવાનો સૌને સારો એવો પ્રચાર-પ્રસાર કર્યો હતો.

    –મિતલ ખેતાણી(મો.98242 21999)

    Mital Khetani
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    તંત્રી લેખ…સરકારે ટ્રમ્પની ગુંડાગીરી સામે ઝૂકવું ન જોઈએ

    August 2, 2025
    મહિલા વિશેષ

    1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ, “’World Breastfeeding Week

    August 1, 2025
    ધાર્મિક

    Shiva ના બાર જ્યોતિર્લિંગની કથા અને મહત્વ

    August 1, 2025
    લેખ

    World ફેફસાંનું કેન્સર દિવસ ૧ ઓગસ્ટ ૨૦૨૫ – તમાકુ મુક્ત જીવન

    August 1, 2025
    લેખ

    તંત્રી લેખ…ગુનો કોણે કર્યો

    August 1, 2025
    લેખ

    ભારતમાં,બાળકો- વૃદ્ધો હડકવાથી સંક્રમિત રખડતા કૂતરાઓના કરડવાનો ભોગ બની રહ્યા છે

    August 1, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    નારી વંદન સપ્તાહ જેમાં પ્રથમ દિવસે ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ સેમિનાર યોજાયો

    August 4, 2025

    Limbdi નજીક અકસ્માત સર્જનાર કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

    August 4, 2025

    Jhalawar માં જાગરણ સાથે દશામા વ્રતનું સમાપન

    August 4, 2025

    Morbi: ઓમ હોસ્પિટલના ડો.હિતેશ પટેલને મળ્યો બેસ્ટ એકેડેમિક એવોર્ડ

    August 4, 2025

    CISF માં 70 હજાર સૈનિકોની ભરતી થશે

    August 4, 2025

    Gujarat માં એપ્રિલથી જુલાઈના ચાર મહિનામાં સોનાની આયાતમાં 71 ટકાનો ઘટાડો થયો

    August 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    નારી વંદન સપ્તાહ જેમાં પ્રથમ દિવસે ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ સેમિનાર યોજાયો

    August 4, 2025

    Limbdi નજીક અકસ્માત સર્જનાર કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

    August 4, 2025

    Jhalawar માં જાગરણ સાથે દશામા વ્રતનું સમાપન

    August 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.