New Delhi,તા.6
જલવાયું પરિવર્તન (ગ્લોબલ વોર્મિંગ)થી ખાદ્ય સુરક્ષાને મોટો ઝટકો લાગી શકે છે. તાપમાનમાં વૃદ્ધિ, અનિયમીત વરસાદ, દુકાળ પુર અને હિટવેવ જેવી હવામાનની ઘટનાઓની સીધી અસર ખેતી પર પડી શકે છે. જેથી 2050 સુધી મુખ્ય ખાદ્યાન્ન પાકોનાં ઉત્પાદનમાં ભારે ઘટ આવી શકે છે.
અસિંચીત ક્ષેત્રોમાં ખાધાન ઉત્પાદનમાં 10 થી 30 ટકા ઘટની આશંકા છે. આઈએનસીસીએનાં રિપોર્ટ બાદ ફેડરેશન ઓફ ઓલ ઈન્ડીયા ફાર્મલ એસોસીએશન (ફફા)એ જલવાયું પરિવર્તનથી સંભવિત ક્ષતિ પર ચિંતા બતાવતાં ખેડુતોની આવક વધારનાર હવામાન અનુકુળ કૃષિ પર જોર આપવામાં આવ્યું છે.
ઈન્ડીયન નેટવર્ક ફોર કલહમેટ ચેન્જ એસેસમેન્ટ (આઈએનસીસીએ)નાં રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સૌથી વધુ અછત ઘઉં તેમજ ધાન જેવી મુખ્ય પાકોની ઉપજમાં થઈ શકે છે. ઘઉંમા 6 થી 25 ટકા અને ધાનમાં 3 થી 15 ટકા સુધી ઘટ આવી શકે છે. આવી હાલત સિંચિત ક્ષેત્રોમાં પણ થશે.
સંગઠને વિશ્વ પર્યાવરણ દિવસે દિલ્હીમાં સેમિનારનું આયોજન કરીને એક ખાસ રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં ખેતીના પડકારોના નિકાલ કરવા માટે નવી ટેકનિકો ખેડુત સુધી પહોંચાડવાના પ્રયાસોને રેખાંકિત કરવામાં આવી.
વિશેષજ્ઞોનું માનવુ છે કે ટેકનિકનાં માધ્યમથી જે જલવાયું સંકટથી ખેડૂતોને બચાવી શકાય છે. અક્ષય ઉર્જા, સુક્ષ્મ સિંચાઈ તેમજ જૈવિક ખેતી માટે સબસીડીની જોગવાઈ હોવી જોઈએ જેથી નાના સીમાંત ખેડૂતો પણ સક્ષમ બને. ફેકાના મહાસચીવ મુરલીબાબુનું માનવુ છે કે ખેતી પર જલવાયું પરિવર્તનની અસર દેખાવા પણ લાગી છે.
માટીની ગુણવતા ઓછી દેખાવા લાગી છે. ભુજલ સ્તર ઘટી રહ્યું છે. નાના ખેડુતોની સ્થિતિ ચિંતાજનક થઈ રહી છે. આ પ્રયાસમાં આઈસીએઆરે દેશભરનાં 6.93 લાખ ખેડૂતોને હવામાન અને માટીને અનુકુળ ખેતીની ટેકનિક પહોંચાડીને ખેડૂતોને શિક્ષિત કર્યા છે.
જલવાયું અનુકુળ ગામોનો વિકાસ કરવામાં આવ્યો ભવિષ્યનાં ખતરાનો સામનો કરવા માટે સરકારને જલવાયું અનુકૂળ બીજો માટે સંશોધનમાં રોકાણ વધારવા પરંપરાગત ખેતી અને પ્રશિક્ષણ કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા પર મજબુત કૃષિ, સાધનોની ઉપલબ્ધતા વગેરે પર ફોકસ-વધારવાનો આગ્રહ કર્યો છે. ખેતીની ટકાઉ લાભદાયક અને પર્યાવરણ અનુરૂપ બનાવીને દેશનાં કરોડોની સંખ્યામાં ખેડુતોની આજીવિકા સુરક્ષીત કરી શકાય છે.