સૌરાષ્ટ્રમાં અમરેલીના સાવરકુંડલામાં અઢી ઇંચ વરસાદ, રાપરમાં દોઢ ઇંચ અને ગારીઆધારમાં સવા ઇંચ વરસાદ નોંધાયો
Gandhinagar, તા.૭
રાજ્યમાં મેઘરાજા ઓળઘોળ હોય તેમ કૃપા વરસાવી રહ્યાં છે. સોમવારે સૌથી વધુ વલસાડના વાપીમાં ૭.૪૦ ઈંચ ખાબક્યો હતો. આ ઉપરાંત સુરતના કામરેજમાં ૬.૩૮ ઈંચ, સુરત શહેરમાં ૫.૦૪ ઈંચ, માંગરોળમાં ૨.૭૬ ઈંચ, અંબિકામાં ૨.૨૦ ઈંચ, પલસાણામાં ૧.૯૩ બારડોલીમાં ૧.૮૯ ઈંચ, ચોરાસીમાં ૧.૭૭ ઈંચ, મહુવામાં ૧.૫૪ ઈંચ પડ્યો હતો. વલસાડના વાપીમાં ૭.૪૦ ઈંચ, પારડીમાં ૫.૧૬ ઈંચ, નાનાપૌંઢા ૪.૪૧ ઈંચ, વલસાડમાં ૩.૪૩ ઈંચ, ઉમરગામમાં ૩.૫૮ ઈંચ, ધરમપુરમાં ૩.૦૩ ઈંચ, કપરાડામાં ૨.૬૪ ઈંચ નોંધાયો હતો. નવસારીના ખેરગામમાં ૩.૩૯ ઈંચ, ગણદેવીમાં ૨.૭૨ ઈંચ, ચિખલીમાં ૨.૨૮ ઈંચ, નવસારી શહેરમાં ૨.૩૨ ઈંચ, જલાલપોરમાં ૧.૬૯ ઈંચ જ્યારે તાપીના ડોલવણમાં ૩.૫૪ ઈંચ, ઉકાઈમાં ૧.૯૩ ઈંચ, વાલોડમાં ૧.૮૫ ઈંચ, વ્યારામાં ૧.૩૦ ઈંચ પડ્યો હતો. ડાંગમાં ૨.૦૫ ઈંચ, વઘઈમાં ૧.૬૫ ઈંચ, સુબીરમાં ૧.૧૮ ઈંચ, વડોદરાના ડભોઈમાં ૩.૩૯ ઈંચ, સિનોરમાં ૩.૩૧ ઈંચ, પાદરામાં ૧.૯૭ ઈંચ, વડોદરા શહેરમાં ૧.૪૬ ઈંચ, છોટાઉદેપુરના નસવાડીમાં ૧.૪૬ ઈંચ, નર્મદામાં સાગબારામાં ૩.૧૧ ઈંચ, ચીકદામાં ૨.૦૯ ઈંચ, નાંદોદમાં ૧.૫૭ ઈંચ, ભરૂચના વાગરામાં ૨.૬૮ ઈંચ, વાલિયામાં ૨.૪૦ ઈંચ, અંકલેશ્વરમાં ૧.૬૧ ઈંચ, ઝઘડિયા અને નેત્રંગમાં ૧.૪૨ ઈંચ અને મહિસાગરના ખાનપુરમાં ૩.૮૬ ઈંચ વરસાદ નોંધાયો હતો.સોમવારે સાંજે સુરત શહેરમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. માત્ર એક કલાકના ટૂંકા ગાળામાં શહેરમાં અંદાજે ૪ ઇંચ (૧૦૦ મી.મી.થી વધુ) જેટલો વરસાદ ખાબકતા સમગ્ર ડાયમંડ સિટી પાણી-પાણી થઈ ગયું હતું. આ આકાશી આફત વચ્ચે રાંદેર વિસ્તારમાં મોટી મસ્જિદ પાસે ઉભેલા ૨૫ વર્ષીય આઝમ અને ૩૫ વર્ષીય સલમાન પર આકાશી વીજળી ત્રાટકી હતી. વીજળીના આંચકાથી બંને યુવકો સ્થળ પર જ ગંભીર રીતે દાઝી ગયા હતા. આસપાસના લોકોએ તાત્કાલિક ધોરણે બંનેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. સૌરાષ્ટ્રમાં ઘેડ પંથક (માંગરોળ) તથા લીલી નાઘેર (અમરેલી) પંથકમાં ત્રણ-ચાર દિવસ કહેર વરસાવ્યા બાદ આખરે મેઘરાજાની ગતિ ધીમી પડી છે. સૌરાષ્ટ્રમાં આજે અમરેલીના સાવરકુંડલામાં અઢી ઇંચ વરસાદ, રાપરમાં દોઢ ઇંચ અને ગારીઆધારમાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં હળવા ઝાપટાં પડ્યા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળતી વિગતો અનુસાર, સોમવાર સવારે ૬થી રાતે ૮ સુધીમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં ૨.૪૮ ઇંચ નોંધાયો છે. આ ઉપરાંત અમરેલી જિલ્લાના જ લાઠીમાં ૨.૦૫ ઇંચ વરસાદ પડ્યો છે. લિલિયામાં ૦.૫૧ ઇંચ, અમરેલી તાલુકામાં ૦.૪૭ ઇંચ, ખંભામાં ૦.૩૫ ઇંચ, કુકાવાવ વાડિયામાં ૦.૨૮ ઇંચ, બગસરામાં ૦.૨૮ ઇંચ, રાજુલામાં ૦.૧૨ ઇંચ અને જાફરાબાદમાં ૦.૦૪ ઇંચ વરસાદ નોંધાયો છે.કચ્છ જિલ્લામાં પણ મેઘરાજાએ લાંબા સમય બાદ હાજરી પુરાવી છે, જેમાં રાપર તાલુકામાં ૧.૪૨ ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ પડી ગયો છે. ભાવનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જ્યાં ગારીઆધાર તાલુકામાં ૧.૨૬ ઇંચ, જેસરમાં ૦.૨૮ ઇંચ, ઉમરાળામાં ૦.૨૪ ઇંચ અને પાલીતાણામાં ૦.૨ ઇંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે.

