શું તમે કોઈ જૂની રાષ્ટ્રીય પાર્ટીનું નામ કહી શકો, જેના કાર્યકર્તાઓએ પોતાની જ પાર્ટીના સત્તાવાર ઉમેદવારનું પૂતળું બાળ્યું હોય અને તેને હારતાં જોવા માટે આકરી મહેનત કરી હ ોય? શું તમે કોઇ એવી રાજકીય પાર્ટીનું નામ કહી શકો, જેના સાંસદે પોતાના દસ મિનિટ લાંબા અને બિન્ધાસ્ત ઓક્સફર્ડ યુનિયન ભાષણથી શક્તિશાળી બ્રિટિશ રાજનીતિ, શિક્ષણ અને મીડિયાને હચમચાવી દીધું હોય, જેમાં તેમણે અંગ્રેજી હકૂમત દ્વારા વ્યવસ્થિત રૂપે કરાયેલા અકથનીય અન્યાય અને કુકૃત્યો અને તેની નીતિઓથી જન્મેલા દુકાળ અને આર્થિક દરિદ્રતાના દુષ્ચક્રને ઉજાગર કર્યું અને સાર્વજનિક રૂપે માફી અને ક્ષતિપૂર્તિની માંગ કરી હોય, જેને છ કલાકમાં લગભગ ૭૦ લાખ લોકોએ પસંદ કર્યું? તેમના આ કાર્યની દેશના વડાપ્રધાન સહિત પાર્ટી લાઇનથી ઉપર ઊઠીને નેતાઓએ પ્રશંસા કરી, પરંતુ ખુદ તેમની પાર્ટી એના પર ચૂપકિદી સાધી રહે?
શું તમે કોઇ એવી રાષ્ટ્રીય પાર્ટીનું નામ જણાવી શકો જેના સાંસદે ૨૬ પુસ્તકો લખ્યાં હોય, જેમાંથી મોટાભાગના આંતરરાષ્ટ્રીય સ્તર પર બેસ્ટસેલર રહ્યાં હોય, જેની અઠવાડિક કોલમ ભારત અને વિદેશમાં બે ડઝનથી વધુ પ્રકાશનોમાં છપાતી હોય અને જેના પુસ્તક ‘એન એરા ઓફ ડાર્કનેસ’એ તેમને પ્રતિષ્ઠિત સાહિત્યનો પુરસ્કાર અપાવ્યો. જેમની વાદ-વિવાદ અને ભાષણ કલા સેન્ટ સ્ટીફન્સ કોલેજના દિવસોથી એવી રહી છે, જેના વિશે કહાનીઓ કહેવાય છે, પરંતુ તેમને પાર્ટીના સત્તાવાર પ્રવક્તા રૂપે રાખવા માટે પૂરતા નથી માનવામાં આવતા? તિરુવનંતપુરમથી ચાર વખત સાંસદ રહેલા શશિ થરૂર સુંદર, શાલીન, સ્ટાઇલિસ અને સ્પષ્ટતાવાદી છે. સોશ્યલ મીડિયા પર પણ તેમની ખાસ્સી એવી ધૂમ છે. ટિ્વટર (હવે એક્સ) પર ભારતમાં તેમની પાસે સૌથી વધારે ફોલોઅર્સ હતા, જ્યાં સુધી શાહરૂખ ખાન, બિગ બી અને વડાપ્રધાન મોદીએ તેમને પાછળ ન છોડ્યા.
હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં તેમણે ખુલાસો કર્યો કે જ્યારે તેઓ નાના હતા, તો ઘણા બીમાર રહેતા હતા. ત્યારે ટીવી, ઇન્ટરનેટ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ નહિ હોવાને કારણે તેઓ પુસ્તકો વાંચવા તરફ આકર્ષિત થાય. આ તેમના પિતા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલી એક સારી આદત હતી. તેઓ ૧૯૭૮માં ૨૨ વર્ષની ઉંમરમાં ફ્લેચર સ્કૂલ ઓફ લો એન્ડ જિપ્લોમસી અને ટફ્ટ્સ યુનિવર્સિટીથી આંતરારષ્ટ્રીય સંંબધોમાં પીએચડી ગ્રહણ કરનારા સૌથી નાની ઉંમરના છાત્રોમાં એક હતા. તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં સામેલ થયા અને ત્યાં ૨૯ વર્ષ વિતાવ્યાં, અવર મહાસચિવ પણ બન્યા. તેમણે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બનવાનું વિચાર્યું અને ભારતના સત્તાવાર ઉમેદવાર રૂપે આ પદ માટે ચૂંટણી લડવા માટે પોતાની દાવેદારી રજૂ કરી. પરંતુ કિસ્મત અને દુનિયાની એકમાત્ર મહાશક્તિ તેમના પક્ષમાં ન હતી. જોકે, તેમણે બીજા સૌથી વધારે વોટ મેળવ્યા, બે વિદેશ મંત્રીઓ અને એક વડાપ્રધાન કરતાં પણ વધારે!
તેઓ તિરુવંતપુરમથી પહેલી વાર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા, તો સ્થાનિક નેતા આ બહારના વ્યક્તિથી પ્રભાવિત ન હતા, પરંતુ તેમણે પોતાના કામથી ન માત્ર જનાધાર વધાર્યો, બલ્કે સતત ચાર વખત લોકસભા ચૂંટણી જીત્યા.
એકવાર ભાજપી નેતા અરુણ જેટલીએ કહ્યું હતું કે વિપક્ષનું કામ વિરોધ કરવાનું છે, પરંતુ શશિ વિપક્ષ માટે એવું નથી માનતા. તેઓ સરકારને વાજબી સવાલ પૂછવામાં ખચકાતા નથી, પરંતુ જ્યારે સરકાર કંઇક પ્રશંસનીય કામ કરે છે તો પ્રશંસા કરવામાં પણ પાછળ નથી રહેતા. સપ્ટેમ્બર ૨૦૧૪માં, તેઓ મોદીને તેમના સંયુક્ત રાષ્ટ્ર ભાષણ, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અપનાવવા માટે શુભેચ્છા આપનારા પહેલા લોકોમાંથી એક હતા. તેમણે મોદીના કેટલાય નિર્ણયો, ખાસ કરીને ૨૦૨૩માં જી-૨૦ શિખર સંમેલનના સફળ આયોજનની પ્રશંસા કરી છે. ત્યારતી કેટલાય લોકો કહી રહ્યા છે કે તેઓ નાવ છોડીને ભાજપમાં સામેલ થઈ જશે. ગયા મહિને તેમણે એમ કહીને અફવાઓને હવા આપી હતી કે જો પાર્ટી તેમની સેવાઓની કદરન્ નથી કરતી તો તેમની પાસે બીજા વિકલ્પ પણ છે.