હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર, આઈસીયુ, ઓપીડી, લેબોરેટરી, એક્સ-રે, રિકવરી વોર્ડ, હાઈડ્રોલિક એમ્બ્યુલન્સ, વેટરનરી સ્ટાફ, સીસીટીવી સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ
Rajkot તા.૧૧
શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ, રાજકોટ દ્વારા જીવદયા અને માનવ સેવાના કાર્યોને વેગ આપવા માટે એક ભવ્ય પ્રોજેક્ટ હાથ ધરાયો છે. રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના બાલસર ગામ મુકામે ગૌપ્રેમી દાતા શ્રી રણજીતસિંહ નટવરસિંહ જાડેજા (ગામ-વાગુદડ) તરફથી સેવાના કાર્ય માટે મળેલ ૨ એકર જગ્યામાં દિવ્ય ગૌ તીર્થનું નિર્માણ થશે.
સંસ્થાનો મુખ્ય સંકલ્પ ૧૦૦૦થી વધુ ગૌવંશની સારવાર અને સેવા કરવાનો છે. હાલમાં ૨૦૦ જેટલી ગૌમાતાની નિસ્વાર્થ ભાવે સેવા થઈ રહી છે, જેને એક વર્ષમાં વધારીને ૧૦૦૦ સુધી લઈ જવામાં આવશે. આ પ્રોજેક્ટને માત્ર આશ્રયસ્થાન નહીં, પરંતુ શિક્ષણ, સંસ્કાર, પ્રકૃતિ અને કાઉ ટુરિઝમના અનોખા કેન્દ્ર તરીકે વિકસાવવાનું આયોજન છે.
આ જગ્યામાં અબોલ જીવો માટે ૨૪,૮૦૦ સ્ક્વેર ફૂટના બાંધકામ સાથેની ભવ્ય અને આધુનિક હોસ્પિટલનું નિર્માણ થઈ ચૂક્યું છે, જ્યારે અન્ય ૨ શેડનું કામ પ્રગતિમાં છે. હોસ્પિટલના કેમ્પસમાં આધુનિક ઓફિસ, લેબોરેટરી, ઓ.પી.ડી. વિભાગ, આઈ.સી.યુ. વોર્ડ, આર.સી.સી. ગોડાઉન, સ્ટાફ ક્વોર્ટર્સ, પાણીનો ટાંકો અને કમ્પાઉન્ડ વોલ જેવી સુવિધાઓ છે. સુરક્ષા માટે સમગ્ર કેમ્પસ સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ છે. આ આધુનિક હોસ્પિટલમાં રસ્તે રઝળતા, નિરાધાર, બીમાર કે માર્ગ અકસ્માતમાં ઘવાયેલા નાના-મોટા ગૌવંશને વિનામૂલ્યે ઓપરેશન સહિતની તમામ તબીબી સારવાર આપવામાં આવે છે.
આ ભવ્ય જીવદયાના કાર્યને અવિરત આગળ ધપાવવા માટે શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટના ઓમ છાયા, ભાવિનભાઈ રાવલ, ભરતસિંહ જાડેજા, રાજુભાઈ મોઢવાડિયા અને એડવોકેટ યશ વૈષ્ણવ દ્વારા જીવદયા પ્રેમી જનતાને ઉદાર હાથે અનુદાન આપવા નમ્ર અપીલ કરવામાં આવી છે.
સંસ્થાને દાન આપવા માટે સંસ્થાની બેંક ડીટેઈલ્સ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, અ/ભ ગજ્ઞ. ૪૨૦૧૬૨૨૬૪૮૫ તથા ઈંઋજઈ ઈઘઉઊ જઇઈંગ૦૦૬૦૪૭૧, જૂશરિં ઈઘઉઊ જઇઈંગઈંગઇઇ૭૪૮, ઞઙઈં ય૧૧૮૫૭તબશ ચેક/ડ્રાફટ પજવયિય છફળફિભવશિં ઋજ્ઞીક્ષમફશિંજ્ઞક્ષ ઝિીતથિં ના નામનો બનાવવો. સંસ્થાને અપાતુ દાન કલમ ૮૦ જી હેઠળ આવકવેરા કરમુકિત પાત્ર છે. શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટથ સંસ્થાને અનુદાન આપવા તથા સંસ્થા અંગેની વિશેષ માહિતી માટે ઓમભાઈ રાજેશભાઈ છાયા (મો. ૯૯૭૯૧ ૧૯૧૨૩) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

