Washington,તા.૧૩
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભર્યાના થોડીવાર પછી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ ૧૭૧ ક્રેશ થઈ ગઈ. આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં કુલ ૨૯૭ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં, વિમાનમાં સવાર કુલ ૨૪૨ લોકોમાંથી ૨૪૧ લોકો ઉપરાંત, મેડિકલ કોલેજ હોસ્ટેલમાં હાજર ૫૬ લોકોના પણ મોત થયા છે. તમને જણાવી દઈએ કે એરપોર્ટ પરથી ટેક-ઓફ કર્યા પછી, એર ઈન્ડિયાનું વિમાન મેડિકલ કોલેજના હોસ્ટેલ સાથે અથડાયું અને નીચે પડી ગયું, ત્યારબાદ એક મોટો વિસ્ફોટ થયો.
દુર્ઘટનાનો ભોગ બનેલા આ એર ઈન્ડિયાના વિમાનનું નિર્માણ અમેરિકન કંપની બોઈંગ દ્વારા કરવામાં આવ્યું હતું. તે બોઈંગનું ૭૮૭-૮ ડ્રીમલાઈનર વિમાન હતું. આ વિમાનમાં બે પ્રકારના એન્જિન લગાવવામાં આવ્યા છે. તેમાં રોલ્સ-રોયસનું ટ્રેન્ટ ૧૦૦૦ અથવા એસઆર એરોસ્પેસનું જીઇએનએકસ એન્જિન છે. જે એર ઈન્ડિયાનું વિમાન અકસ્માતનો ભોગ બન્યું તેમાં ય્ઈ એરોસ્પેસનું જીઇએનએકસ એન્જિન લગાવવામાં આવ્યું હતું. ય્ઈ (જનરલ ઇલેક્ટ્રિક) એરોસ્પેસ એક અમેરિકન કંપની છે જે જેટ અને ટર્બોપ્રોપ એન્જિન પ્રદાન કરે છે.
એસઆર એરોસ્પેસે ગુરુવારે કહ્યું કે તે અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાની તપાસ માટે એર ઇન્ડિયા સાથે સહયોગ કરવા તૈયાર છે. ય્ઈ એરોસ્પેસના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે અમારી ઇમરજન્સી રિસ્પોન્સ ટીમને સક્રિય કરી છે. અમે અમારા ગ્રાહક અને તપાસમાં સહયોગ કરવા તૈયાર છીએ. એર ઇન્ડિયા ફ્લાઇટ એઆઇ ૧૭૧ ના દુર્ઘટનાથી અમને ખૂબ દુઃખ થયું છે. અમે અસરગ્રસ્ત પરિવારો અને પ્રિયજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ.”
૧૨ ભારતીય ક્રૂ સભ્યો ઉપરાંત, વિમાનમાં ૧૬૯ ભારતીય મુસાફરો, ૫૩ બ્રિટિશ મુસાફરો, ૭ પોર્ટુગીઝ મુસાફરો અને ૧ કેનેડિયન મુસાફર હતા. એર ઇન્ડિયાની પેરેન્ટ કંપની ટાટા ગ્રુપે આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોને ૧ કરોડ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ સાથે, કંપનીએ કહ્યું છે કે તે ઘાયલોની સારવારનો સંપૂર્ણ ખર્ચ પણ ઉઠાવશે. તમને જણાવી દઈએ કે આ વિમાન દુર્ઘટના વિશ્વના સૌથી મોટા અને સૌથી ભયાનક વિમાન અકસ્માતોમાંનો એક બની ગયો છે.