Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દુર્યોધનને મામા શકુનિનો સાથ મળ્યો ન્હોત, તો કદાચ આપણી સામે દુર્યોધનનું જુદું ચરિત્ર હોત!

    July 13, 2026

    IT ક્ષેત્રે ડેવલપ થતી AI ટેકનોલોજી માનવ જીવન માટે વરદાન છે કે શ્રાપ?

    July 13, 2026

    પરમાત્મા ગમે તેટલું આપે તો પણ જેને સંતોષ નથી, તૃપ્તિ નથી, એ કબંધનો સગો ભાઈ છે.

    July 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દુર્યોધનને મામા શકુનિનો સાથ મળ્યો ન્હોત, તો કદાચ આપણી સામે દુર્યોધનનું જુદું ચરિત્ર હોત!
    • IT ક્ષેત્રે ડેવલપ થતી AI ટેકનોલોજી માનવ જીવન માટે વરદાન છે કે શ્રાપ?
    • પરમાત્મા ગમે તેટલું આપે તો પણ જેને સંતોષ નથી, તૃપ્તિ નથી, એ કબંધનો સગો ભાઈ છે.
    • Iran-US કરાર તૂટી ગયો છે-વધતી જતી ફુગાવાની અસર. વૈશ્વિક ભૂરાજકીય તણાવ અને ભારતીય અર્થતંત્ર
    • India ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ જીતી રચ્યો ઈતિહાસ
    • 14 જુલાઈનું પંચાંગ
    • Ahmedabad રથયાત્રા પહેલા આજે ૧૪મી જુલાઈએ નેત્રોત્સવ વિધિ, ૧૫મી સોનાવેશ દર્શનનો ભક્તોને લાભ મળશે
    • 14 જુલાઈનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad રથયાત્રા પહેલા આજે ૧૪મી જુલાઈએ નેત્રોત્સવ વિધિ, ૧૫મી સોનાવેશ દર્શનનો ભક્તોને લાભ મળશે
    અમદાવાદ

    Ahmedabad રથયાત્રા પહેલા આજે ૧૪મી જુલાઈએ નેત્રોત્સવ વિધિ, ૧૫મી સોનાવેશ દર્શનનો ભક્તોને લાભ મળશે

    Vikram RavalBy Vikram RavalJuly 13, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૧૩

    ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા ૧૬ જુલાઈના રોજ અમદાવાદના જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરમાંથી નીકળશે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યાએ નીકળશે. આ વખતે રથયાત્રામાં ૧૮ ગજરાજ, ટ્રકો, ૩૦ અખાડા, ૧૮ ભજનમંડળીઓ અને ૩ બેન્ડબાજા સામેલ હશે. રથયાત્રા પહેલા પોલીસ રીહર્સલ પણ યોજાયું. અમદાવાદના કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ રિહર્સલમાં જોડાયા.

    ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા ગુરુવારના રોજ ૧૬મી જુલાઈએ નીકળશે. આ વખતે રથયાત્રામાં  ૧૮ ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રકો, ૩૦ અખાડા ૧૮ ભજન મંડળીઓ અને ત્રણ બેન્ડબાજા સાથે રથયાત્રા નીકળશે. ૧૦૦૦ થી ૧૨૦૦ જેટલા ખલાસી ભાઈઓ રથ ખેંચશે. દેશભરમાંથી ૨૫ હજાર સાધુ સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને, સૌરાષ્ટ્રમાંથી આવશે.

    ૧૪ જુલાઈએ ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને, બળદેવજીની ગર્ભગૃહમાં રત્નવેદી ઉપર પ્રતિષ્ઠા તેમજ નેત્રોત્સવ પૂજા વિધિ કરવામાં આવશે. ૧૫ જુલાઈએ સવારે ૧૦ઃ૦૦ વાગે તમામ ભક્તોને ભગવાનના સોનાવેશ દર્શન થશે  ૧૦ઃ૩૦ વાગે ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ અને પૂજન વિધિ કરવામાં આવશે તમામ ગજરાજોની પૂજા આઈસીસી ચેરમેન જય શાહ કરશે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ  ઉપસ્થિત રહેશે બપોરે ૨ઃ૩૦ વાગે કોંગ્રેસ કમિટી મુલાકાત લેશે જ્યારે સાંજે ૫ઃ૦૦ વાગે શહેર શાંતિ સમિતિની મંદીરના મહંત અને ટ્રસ્ટીની મુલાકાત લેશે.  સાંજે ૬ઃ૩૦ વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આરતી કરવામાં આવશે. સાંજે ૦૮ઃ૦૦ વાગે વિધાનસભાના અધ્યક્ષ સંકર ચૌધરી ભગવાનની આરતી કરશે ૧૬મીએ રથયાત્રાના દિવસે વહેલી સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદવિધિ કરશે.

    રથયાત્રામાં ૪૫૦૦૦ કિલો મગ, ૫૦૦ કિલો જાંબુ, ૫૦૦ કિલો કેરી અને દાડમ, બે લાખ ઉપેર્ણા પ્રસાદમાં આપવામાં આવશે. સવારે ૯ઃ૩૦ વાગે ધ્વજારોહણ વિધિમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રથયાત્રા ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ, કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી મેયર ઉપસ્થિત રહેશે  ૧૧ઃ૦૦ વાગે સાધુ સંતોનું સન્માન કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ કરશે.

    જયારે ૧૬મીએ ભગવાન નગરચર્યાએ નીકળશે  સવારે ચાર વાગે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ કરશે મંગળા આરતી  ૪ઃ૩૦ વાગ્યે વિશિષ્ટ ભોગ ભગવાનને ધરવામાં આવશે  ૫ વાગે મંત્રોચ્ચાર કરી આંખે બાંધેલા પાટા ખોલવામાં આવશે ભગવાન માટે તેમને પ્રિય આદિવાસી નૃત્ય અને ગરબા કરવામાં આવશે ૫ઃ૪૫ એ રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવશે  ૭ વાગે રથયાત્રાનો પ્રારંભ થશે  ૯ વાગે રથયાત્રા મ્યુનિસિપલ કોર્પોરેશનમા રથોનું સ્વાગત કરવામાં આવશે  ૯ઃ૪૫ એ રાયપુર ચકલા, ૧૦ઃ૩૦ વાગે ખાડિયા ચાર રસ્તા, ૧૧ઃ૧૫ એ કાલુપુર સર્કલ, ૧૨ વાગે સરસપુર પહોંચશે યાત્રા ,૧૨ વાગે મોસાળ સરસપુર પહોંચશે જગતના નાથ  સાંજે ૮ઃ૩૦ કલાકે મંદિરે પરત ફરશે ભગવાન

    રથયાત્રા પૂર્વે પોલીસનું રીહર્સલ કરવામાં આવ્યું.  અમદાવાદના પોલીસ કમીશ્નર સહીત ઉચ્ચ પોલીસ અધિકારીઓ રિહર્સલમાં જોડાયા. રથયાત્રાના રૂટ ઉપર રિહર્સલ કરવામાં આવ્યું. આ સાથે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી. બંદોબસ્તમાં પોલીસ ઉપરાંત પેરામિલિટરી પણ તૈનાત કરાઈ રહી છે. રથયાત્રા દરમિયાન ૩૦ હજાર પોલીસ જવાનો ખડેપગે રહેશે. રેપિડ એક્શન ફોર્સની ટીમ પણ તૈનાત કરવામાં આવી. ઇછહ્લમાં લેડીઝ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: વિઝા કન્સલ્ટન્ટે વર્ક પરમીટના બહાને રૂ. ૩૨.૫૦ લાખની છેતરપિંડી આચરી

    July 13, 2026
    અમદાવાદ

    Ahmedabad: પિતાના ત્રાસથી કંટાળી ધોરણ-૧૨ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    July 13, 2026
    અમદાવાદ

    Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર

    July 11, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં AIથી પોલીસ બંદોબસ્તનો નકલી વીડિયો બનાવનાર યુવક ઝડપાયો

    July 11, 2026
    અમદાવાદ

    Ahmedabad: કોટ વિસ્તારનાં મકાનો હવે ત્રણ રંગમાં રંગાશે, યુનેસ્કોની મુલાકાત બાદ નિર્ણય

    July 10, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં દત્તકના નામે બાળકોના ખરીદ-વેચાણની ડીલથી હડકંપ!

    July 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    દુર્યોધનને મામા શકુનિનો સાથ મળ્યો ન્હોત, તો કદાચ આપણી સામે દુર્યોધનનું જુદું ચરિત્ર હોત!

    July 13, 2026

    IT ક્ષેત્રે ડેવલપ થતી AI ટેકનોલોજી માનવ જીવન માટે વરદાન છે કે શ્રાપ?

    July 13, 2026

    પરમાત્મા ગમે તેટલું આપે તો પણ જેને સંતોષ નથી, તૃપ્તિ નથી, એ કબંધનો સગો ભાઈ છે.

    July 13, 2026

    Iran-US કરાર તૂટી ગયો છે-વધતી જતી ફુગાવાની અસર. વૈશ્વિક ભૂરાજકીય તણાવ અને ભારતીય અર્થતંત્ર

    July 13, 2026

    India ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ જીતી રચ્યો ઈતિહાસ

    July 13, 2026

    14 જુલાઈનું પંચાંગ

    July 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દુર્યોધનને મામા શકુનિનો સાથ મળ્યો ન્હોત, તો કદાચ આપણી સામે દુર્યોધનનું જુદું ચરિત્ર હોત!

    July 13, 2026

    IT ક્ષેત્રે ડેવલપ થતી AI ટેકનોલોજી માનવ જીવન માટે વરદાન છે કે શ્રાપ?

    July 13, 2026

    પરમાત્મા ગમે તેટલું આપે તો પણ જેને સંતોષ નથી, તૃપ્તિ નથી, એ કબંધનો સગો ભાઈ છે.

    July 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.