Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ… યુપીઆઇ એક સંભવિત વૈશ્વિક ઉકેલ

    April 30, 2026

    Saif ની ૩ વરસથી ડબ્બાબંધ ફિલ્મ કર્તવ્ય સીધી ઓટીટી પર આવશે

    April 30, 2026

    Karisma Kapoor પાપારાઝીને ચેતવણી આપીઃ તસવીરને વધૂઝૂમ ના કરશો

    April 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ… યુપીઆઇ એક સંભવિત વૈશ્વિક ઉકેલ
    • Saif ની ૩ વરસથી ડબ્બાબંધ ફિલ્મ કર્તવ્ય સીધી ઓટીટી પર આવશે
    • Karisma Kapoor પાપારાઝીને ચેતવણી આપીઃ તસવીરને વધૂઝૂમ ના કરશો
    • Irrfan Khan ફિલ્મોમાં એન્ટ્રી કરતાં જ કલાકારોને પાછળ રાખી દીધા હતા
    • Richa Chadha ક્રાઇમ થ્રિલર સિરીઝમાં ડિટેક્ટિવની ભૂમિકામાં જોવા મળશે
    • પ્રિયંકા મીરા નાયરની Amrita Shergill ની બાયોપિક ‘અમરી’માં કેમિયો કરશે
    • Veraval: રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો
    • Gir Somnath Collectorના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Actor Sunny Deol હનુમાન બનવામાં નર્વસ થઈ ગયો
    મનોરંજન

    Actor Sunny Deol હનુમાન બનવામાં નર્વસ થઈ ગયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 25, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ‘લાહોર ૧૯૪૭’ વિશે વાત કરતા સની દેઓલે કહ્યું કે આમિર ખાને તેનો સામેથી સંપર્ક કર્યો હતો

    Mumbai, તા.૨૫

    સની દેઓલની ‘ગદ્દર ૨’ને મળેલી અણધારી સફળતા અને પછી મૈથરી મુવીઝની ‘જાટ’ને મળેલી સફળતાથી તેની જાણે બીજી ઇનિંગ શરૂ થઈ છે. હવે તેના ફૅન્સને તેની આવનારી ફિલ્મો બાબતે પણ ઘણી ઇન્તેઝારી છે. હવે તેની ‘લાહોર ૧૯૪૭’ અને ‘રામાયણ’ ફિલ્મ આવશે. ત્યારે તાજેતરનાં એક ઇન્ટરવ્યુમાં સની દેઓલે હનુમાનના રોલ વિશે અને લાહોર તેને કઈ રીતે મળી એ અંગે વાત કરી હતી.‘લાહોર ૧૯૪૭’ વિશે વાત કરતા સની દેઓલે કહ્યું કે આમિરે તેનો સામેથી સંપર્ક કર્યો હતો. તેણે કહ્યું, “આ વિષય મારા અને લાહોરના ડિરેક્ટર રાજકુમાર સંતોષીના મનમાં ઘણા વર્ષોથી હતો. અમે ઘણા વર્ષોથી આના પર ફિલ્મ બનાવવા માગતા હતા, પરંતુ એ શક્ય બનતું નહોતું. ગદ્દર ૨ પછી એ શક્ય બન્યું અને આમિર સીધો જ મારી પાસે આવ્યો અને કહ્યું કે એને આ ફિલ્મ કરવી છે અને હું બહુ ખુશ થઈ ગયો.”સની દેઓલે આગળ કહ્યું, “મેં અને રાજે ભુતકાળમાં ત્રણ ફિલ્મો કરી છે, જેમાં પાત્રોનું ઊંડાણ હતું અને ઉત્કટ લાગણીઓ હતી. આ વિષય પણ બિલકુલ એવો જ છે. આ એક નાટક છે, જેના પરથી ફિલ્મ બની રહી છે, અમે બહુ જલ્દી આ ફિલ્મ બનાવીને રિલીઝ કરીશું. અમે બસ આમિરની ફિલ્મ રિલીઝ થાય એની રાહ જોતાં હતાં.”જ્યારે નિતિશ તિવારીની રામાયણમાં હનુમાનનો રોલ કરવા અંગે નર્વસ હોવાની વાત પણ કરી હતી. સની દેઓલે કહ્યું, “હા હું એ રોલ કરું જ છું અને તેના માટે ઉત્સુક અને ખુશ પણ છું. બહુ જલ્દી એનું શૂટ શરુ કરીશ. મને લાગે છે એ ફિલ્મ જોરદાર અને સુંદર હશે. હાલ તો હું બસ જઈશ અને તેમણે જે કર્યું છે એ જોઈશ. આવું પાત્ર કરવામાં થોડો ડર અને નર્વસનેસ તો કાયમ હોય જ. પણ મજાની વાત જ એ છે કારણ કે તમારે તમારી જાતે શોધવું પડશે કે તમે આ પડકારને કઈ રીતે લેશો.”સનીએ આ ફિલ્મના મોટા બજેટ અને ખર્ચ અંગે પણ વાત કરી હતી, તેણે કહ્યું, “મને વિશ્વાસ છે કે પ્રોડ્યુસર્સ બહુ સારું કામ કરશે કારણ કે એમને જ કાલ્પનિક અને દૈવી બાબતો પડદા પર યોગ્ય રીતે બતાવવાની છે. મને આશા છે કે એમાં હોલિવૂડ ફિલ્મથી કંઈ જ ઉતરતું નહીં હોય. રામાયણ ઘણી વખત બની છે અને જ્યારે આ ફિલ્મ પદા પર આવશે તો બધા કલાકારોએ જે રીતે કામ કર્યું છે, તે આ મહાકથાને ન્યાય કરશે અને લોકોને પણ આ જોઇને સંતોષ થશે અને મજા આવશે.” આ સાથે સની દેઓલે રનબીર કપૂર સાથે કામ કરવાના અનુભવની વાત કરીને તેના વખાણ પણ કર્યા હતા. તેણે કહ્યું, “એ બહુ સારો કલાકાર છે એટલે કામ કરવાની બહુ મજા આવશે. તે જે ફિલ્મ હાથમાં લે તેના માટે સંપુર્ણ સમર્પિત હોય છે.” આ ફિલ્મ ૮૩૫ કરોડના બજેટ સાથે બે ભાગમાં બની રહી છે, જેમાં રનબીર કપૂર સાથે સાઇ પલ્લવી અને યશ જેવા કલાકારો પણ છે.

    Actor Sunny Deol become Hanuman nervous
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Saif ની ૩ વરસથી ડબ્બાબંધ ફિલ્મ કર્તવ્ય સીધી ઓટીટી પર આવશે

    April 30, 2026
    મનોરંજન

    Karisma Kapoor પાપારાઝીને ચેતવણી આપીઃ તસવીરને વધૂઝૂમ ના કરશો

    April 30, 2026
    મનોરંજન

    Irrfan Khan ફિલ્મોમાં એન્ટ્રી કરતાં જ કલાકારોને પાછળ રાખી દીધા હતા

    April 30, 2026
    મનોરંજન

    Richa Chadha ક્રાઇમ થ્રિલર સિરીઝમાં ડિટેક્ટિવની ભૂમિકામાં જોવા મળશે

    April 30, 2026
    મનોરંજન

    પ્રિયંકા મીરા નાયરની Amrita Shergill ની બાયોપિક ‘અમરી’માં કેમિયો કરશે

    April 30, 2026
    અન્ય રાજ્યો

    અભિનેતામાંથી રાજકારણી બનેલા Vijay Tamilnadu Electionના સૌથી મોટા Wild Card તરીકે ઉભરી શકે છે

    April 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    તંત્રી લેખ… યુપીઆઇ એક સંભવિત વૈશ્વિક ઉકેલ

    April 30, 2026

    Saif ની ૩ વરસથી ડબ્બાબંધ ફિલ્મ કર્તવ્ય સીધી ઓટીટી પર આવશે

    April 30, 2026

    Karisma Kapoor પાપારાઝીને ચેતવણી આપીઃ તસવીરને વધૂઝૂમ ના કરશો

    April 30, 2026

    Irrfan Khan ફિલ્મોમાં એન્ટ્રી કરતાં જ કલાકારોને પાછળ રાખી દીધા હતા

    April 30, 2026

    Richa Chadha ક્રાઇમ થ્રિલર સિરીઝમાં ડિટેક્ટિવની ભૂમિકામાં જોવા મળશે

    April 30, 2026

    પ્રિયંકા મીરા નાયરની Amrita Shergill ની બાયોપિક ‘અમરી’માં કેમિયો કરશે

    April 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ… યુપીઆઇ એક સંભવિત વૈશ્વિક ઉકેલ

    April 30, 2026

    Saif ની ૩ વરસથી ડબ્બાબંધ ફિલ્મ કર્તવ્ય સીધી ઓટીટી પર આવશે

    April 30, 2026

    Karisma Kapoor પાપારાઝીને ચેતવણી આપીઃ તસવીરને વધૂઝૂમ ના કરશો

    April 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.