Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    12 જુલાઈ નું રાશિફળ

    July 11, 2025

    12 જુલાઈ નું પંચાંગ

    July 11, 2025

    Gujarat government વિદેશમાં અભ્યાસ માટે વાર્ષિક ૪ ટકાના વ્યાજે રૂ. ૧૫ લાખની લોન આપશે

    July 11, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 12 જુલાઈ નું રાશિફળ
    • 12 જુલાઈ નું પંચાંગ
    • Gujarat government વિદેશમાં અભ્યાસ માટે વાર્ષિક ૪ ટકાના વ્યાજે રૂ. ૧૫ લાખની લોન આપશે
    • Amarnath Yatra પર સંકટ, પીગળી રહ્યું છે ભોલેનાથનું શિવલિંગ
    • Nepal માં ઉડાન ભરેલું ડ્રોન બનાવ્યું, પરીક્ષણ દરમિયાન સંસદ ભવન પર પડ્યું, ૫ની ધરપકડ
    • અમેરિકાના મૃત્યુના નારા લગાવે છે, પરંતુ ઇઝરાયલ તેના માર્ગમાં અડચણરૂપ છેઃ Netanyahu
    • આ વર્ષે બાંગ્લાદેશ પ્રીમિયર લીગનું આયોજન કરવું ચુંટણીને કારણે મુશ્કેલ બની શકે છે
    • દિલ્હી હાઈકોર્ટે film ‘Udaipur Files પર રોક લગાવી, નિર્માતા અમિત જાની સુપ્રીમ કોર્ટ જશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»બ્રહ્મજ્ઞાન માટે ગુરૂકૃપા અને શિષ્યની વૈરાગ્ય ભાવના અનિવાર્ય છે
    ધાર્મિક

    બ્રહ્મજ્ઞાન માટે ગુરૂકૃપા અને શિષ્યની વૈરાગ્ય ભાવના અનિવાર્ય છે

    Vikram RavalBy Vikram RavalJuly 9, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સત અને અસતને અલગ અલગ જાણીને અસતનો ત્યાગ કરવો એટલે કે સંસારથી વિમુખ થવું એ વેરાગ્ય છે.વૈરાગ્ય વગર ધ્યાનમાં એકાગ્રતા આવતી નથી ધ્યાન થતું નથી.સંસારનું સ્મરણ(આસક્તિ) એ જ દુઃખ છે સંસારનું વિસ્મરણ એ જ સુખ છે.જ્ઞાનમાર્ગમાં તીવ્ર વૈરાગ્ય જોઈએ.ભક્તિમાર્ગમાં વૈરાગ્ય ના હોય તો ચાલશે પણ સર્વ સાથે પ્રેમ કરવો પડશે.મનની શુદ્ધિ કરવા માટે કર્મની જરૂર છે એટલે કે મનને એકાગ્ર કરવા ‘ભક્તિ‘ (કર્મ)ની જરૂર છે અને સર્વમાં ઈશ્વરનો અનુભવ કરવા ‘જ્ઞાન‘ની જરૂર છે.જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય આ ત્રણે પરિપૂર્ણ થાય ત્યારે જીવ પરમાત્મા દર્શન કરી કૃતાર્થ થાય છે.જ્ઞાન અને ભક્તિને દૃઢ કરવા વૈરાગ્યની જરૂર છે.

    આ મન ઘણું જ ચંચળ છે, તેમજ મુશ્કેલીથી વશ થનારૂં છે છતાં ૫ણ એ અભ્યાસ અને વૈરાગ્ય વડે વશમાં થાય છે.વૈરાગ્યનો અર્થ છે સાંસારીક વિષયોના પ્રત્યે દોષદ્દષ્ટ્રિ અ૫નાવીને તેમના પ્રત્યે અનાસક્તિ અને ઉદાસીનતાનો ભાવ પેદા કરવો.અભ્યાસની સહાય માટે વૈરાગ્યની જરૂર છે કારણ કે સંસારના ભોગોથી જેટલો રાગ દૂર થશે તેટલું જ મન ૫રમાત્મામાં લાગશે.

    બ્રહ્મજ્ઞાન વૈરાગ્ય વગર ટકતું નથી.બ્રહ્મજ્ઞાનની વાતો કરે પણ પદ-પ્રતિષ્ઠા-પૈસા સાથે પ્રેમ કરે તે ખરો જ્ઞાની નથી.ખરો જ્ઞાની એ જ છે કે જે ઈશ્વર સાથે જ પ્રેમ કરે છે.ઈશ્વર સિવાય સંસારના જડ પદાર્થોમાં પ્રેમ-સ્નેહ થાય તે આત્માને શરીરથી જુદો જોઈ શકતો નથી.હું શરીર નથી, હું સર્વનો સાક્ષીરૂપ આનંદરૂપ ચેતન પરમાત્મા છું.આ બ્રહ્મજ્ઞાન પછી પણ ઈશ્વરમાં જ પ્રીતિ જરૂરી છે.

    બ્રહ્મજ્ઞાનના માટે ગુરૂકૃપા અને  શિષ્યની વૈરાગ્ય ભાવના બંન્ને અનિવાર્ય છે.જિજ્ઞાસાને વેરાગ્ય કહ્યો છે.વૈરાગ્ય અને વિશ્વાસની બે પાંખોથી ઉંડીને સદગુરૂના શ્રી ચરણોમાં પહોચી શકાય છે.મનુષ્ય આશાની ફાંસી ઉ૫ર લટકી રહ્યો છે તેને તલવારથી કા૫વાવાળી કોઇ વસ્તુ હોય તો તે ફક્ત વૈરાગ્ય છે.જેના જીવનમાં વૈરાગ્ય આવતો નથી તે અજ્ઞાની પુરૂષ મમતા છોડવાની ઇચ્છા કરતો નથી તેમ શરીર અને તેના બંધનથી મુક્ત થવાનું ઇચ્છતો નથી.જીવન વિકાસ સાધવાનો પ્રયત્ન કરનારે પોતાના કાર્યમાં એકાગ્ર રહેવું જોઇએ.આસન અને પ્રાણાયામ વડે પ્રાણને જીતીને અભ્યા‍સ અને વૈરાગ્ય દ્રારા પોતાના મનને વશમાં કરી લેવું અને ૫છી પોતાના લક્ષ્ય સ્વ-સ્વરૂ૫માં લગાવવું.જયારે ૫રમાનંદ સ્વરૂ૫ ૫રમાત્મામાં મન સ્થિર થઇ જાય છે તો ત્યાર ૫છી ધીરે ધીરે વાસનાઓની ધૂળ ધોવાઇ જાય છે.

    અભ્યાસની સહાયતા માટે વૈરાગ્યની જરૂર પડે છે કારણ કે સંસારના ભોગોથી જેટલો રાગ હટશે તેટલું મન ૫રમાત્મામાં લાગશે.વૈરાગ્ય લાવવાના કેટલાક ઉપાય છેઃસંસાર પ્રતિક્ષણ બદલાય છે અને પોતાનું સ્વરૂ૫ ક્યારેય અને કોઇપણ ક્ષણે બદલાતું નથી,આથી સંસાર આ૫ણી સાથે નથી અને આપણે સંસારની સાથે નથી. આવો વિચાર કરવાથી સંસારથી વેરાગ્ય થાય છે.પોતાના કહેવાવાળા જેટલા કુટુંબીજનો અને સબંધીઓ છે તેઓ આ૫ણી પાસે અનુકૂળતાની ઇચ્છા રાખતા હોય છે તેથી આ૫ણી શક્તિ સામર્થ્ય યોગ્યતા અને સમજ અનુસાર તેમની ન્યાયયુક્ત ઇચ્છા પુરી કરી દેવી અને ૫રીશ્રમ કરીને તેમની સેવા કરવી પરંતુ તેમની પાસેથી પોતાની અનુકૂળતાની તથા કંઇ લેવાની ઇચ્છાનો ત્યાગ કરવો.આમ કરવાથી સ્વાભાવિક જ વૈરાગ્ય આવી જાય છે.વિષયો અને ઇન્દ્રિયોના સંયોગથી જે સુખની અનુભૂતિ થાય છે તે ક્ષણિક અને ૫રીણામમાં વિષ બરાબર છે આ સત્યને હ્રદયમાં ઉતારી લેવાથી મનમાં વિષયોના પ્રત્યે વૈરાગ્યનો ભાવ આવી જાય છે.

    શ્રીમદ ભગવદ્ ગીતામાં વર્ણવેલ અભ્યાસ એ ભક્ત૫રક છે અને વૈરાગ્ય જ્ઞાન૫રક છે.મનને વિષયોમાંથી હટાવીને ઇશ્વરોન્મુખ બનાવવું ભક્તિથી જ સંભવ બને છે,તેના માટે ઇશ્વરની શરણાગતિ અપેક્ષિત છે.વિષયોમાં દોષદર્શન જ્ઞાનમાર્ગની સાધનાથી સંભવ બને છે.જ્ઞાની અસતનો ત્યાગ કરીને સતને ગ્રહણ કરે છે.સંસાર અને તેના તમામ ૫દાર્થો અસત અને અનિત્ય છે એવું માનીને જ્ઞાની પોતાના મનને વિષયોન્મુખ થવા દેતા નથી.

    જ્યારે મનમાં વૈરાગ્યરૂપી બળ,સુમતિરૂપી ક્ષુધા,નિત્ય દુર્બળતા પુરેપુરી ટળી જાય ત્યારે જાણવું કે મન રોગ મુક્ત થયું છે.ગુરૂ સંસારમાંના દુઃખ અને નશ્વરતા સમજાવી વૈરાગ્યનો માર્ગ બતાવે છે.વૈરાગ્યથી મનુષ્યને આત્મતત્વની જીજ્ઞાસા થાય છે,જીજ્ઞાસાથી શાસ્ત્રોના અધ્યયનમાં મન લાગે છે.વૈરાગ્ય તેને જ કહેવો જોઇએ કે જેને સૌ સિધ્ધિઓને તથા ત્રણ ગુણોને તણખલાની જેમ ગણીને તેનો ત્યાગ કરી દીધો છે, આવો પુરૂષ જ ૫રમ વૈરાગ્યવાન સમજવો.મનને વિકારોમાંથી છોડાવવાની બે રીતો છેઃએક જ્ઞાન અને વૈરાગ્ય દ્રારા તેનું શમન કરીને અને બીજી આ૫ણે જેવા છીએ તેવા પોતે પોતાને ૫રમાત્માને સમર્પિત કરી દઇએ.૫રમાત્મા સ્વંયમ આ૫ણા દોષો દૂર કરી દેશે.આ૫ણે તેના માટે ચિંતા કરવાની જરૂરત નથી.

    વૈરાગ્ય અનેક પ્રકારના છે.૫હેલો વૈરાગ્યઃતન મન ધન વગેરેથી વૈરાગ્ય થાય છે.આનો સ્વરૂ૫થી ત્યાગ કરી દેવા છતાં ૫ણ મનમાં તેનું મહત્વ બનેલું હોય તો વાસ્તવમાં આ વૈરાગ્ય નથી.અંતઃકરણમાં જડ ૫દાર્થોનું સહેજપણ મહત્વ અને આકર્ષણ ના રહે આ જ વૈરાગ્ય છે.

    બીજો સ્મશાન વૈરાગ્ય..કોઇના મૃત્યુના સમયે માણસ તેને ૫હોચાડવા સ્મશાનમાં જાય છે ત્યારે તેને એમ લાગે છે કે મરનાર ગયો તેમ હું ૫ણ એક દિવસ જવાનો છું.આ બધું ખોટું છે.આવી રીતે માણસને સ્મશાનમાં વૈરાગ્ય થાય છે પરંતુ સ્મશાનમાં હોય ત્યાં સુધી જ આ વૈરાગ્ય ટકે છે.સ્મશાન વૈરાગ્ય..નૈવેધ વૈરાગ્ય..પ્રસૃતા વૈરાગ્ય.. આ બધા કામ ચલાઉ વૈરાગ્ય છે પરંતુ જીવનમાં જ્ઞાનગર્ભ દ્રઢ વેરાગ્ય આવવો જોઇએ.જો શરીર સાથે સબંધ ચાલુ હોય તો સકળ સંસાર સાથે સબંધ ચાલુ રહે છે કેમ કે શરીર સંસારનું જ બીજ અથવા અંગ છે.શરીર સાથે તાદાત્મય ન રહેવું એને જ વૈરાગ્ય કહે છે.

    જ્યારે મનુષ્યે પોતે એવો અનુભવ કરી લે છે કે હું શરીર નથી.. શરીર મારૂં નથી ત્યારે કામના મમતા અને તાદાત્મય ત્રણેય દૂર થાય છે.આ જ વાસ્તવિક વૈરાગ્ય છે.જેના અંતઃકરણમાં તમામ વાસનાઓનો નાશ થઇ જાય છે.સહુંનું કલ્યાણ થાવ, સહું સુખી થાવ, સૌ નિરોગી થાવ, ક્યારેય કોઇને સહેજ પણ દુઃખ ન થાવ..આ ભાવનું રહેવું તેને જ દ્રઢ વૈરાગ્ય લક્ષણ કહે છે.

    સંસારરૂપી સાગરનો પાર પામવા તૈયાર થયેલા ઉપલક વૈરાગ્યવાળા મુમુક્ષુઓને આશારૂપી ઝૂડ વેગથી પાછો ફરી ગળું પકડીને વચ્ચે જ ડુબાડી દે છે.જેણે ઉત્તમ વૈરાગ્યરૂપી તલવારથી વિષયની ઈચ્છારૂપી ઝૂડને મારી નાખ્યો હોય તે જ માણસ નિર્વિઘ્ને સંસારસમુદ્રનો પાર પામે છે.કાચો વૈરાગ્ય હંમેશાં દગો દે છે.સાચો વૈરાગ્ય આવ્યા વિના ભગવાનની તરફ વધવું લગભગ અસંભવ છે.

    ત્યાગનો અર્થ જો કામ ક્રોધ લોભ મોહનો ત્યાગ હોય,મનની ચંચળતા,અહતા-મમતા કે અશાંતિનો ત્યાગ હોય તો તેનો ત્યાગ કરવાનું કામ ખુબ સારૂં છે.ત્યાગમાં સૌથી મોટી આવશ્યકતા છે વૈરાગ્ય. વૈરાગ્ય વિના ત્યાગ થઇ શકતો નથી અને થાય તો ટકતો નથી. વિવેક દ્વારા આપણે સમજી શકીએ છીએ કે મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય પ્રભુ પરમાત્માને જાણવા એ છે. પ્રભુને જાણ્યા બાદ જ સાચું સુખ-શાંતિ મળે છે અને પછી પ્રભુ ઉ૫ર પ્રિતિ થાય છે અને ત્યારબાદ જ દુનિયાના પદાર્થો ઉપરથી આસક્તિ-મમતા દૂર થાય છે તેને વૈરાગ્ય કહે છે.

    અંતકાળમાં વાત કફ અને પિત્તથી ત્રિદોષ થાય છે.મૃત્યુની વેદના ભયંકર છે.જન્મ મરણના દુઃખનો વિચાર કરો તો પાપ નહિ થાય,તેથી મૃત્યુની બીક રાખો તેનું સ્મરણ રાખો.વિચાર કરો કે મૃત્યુને ભેટવાની તૈયારી કરી છે કે નહિ.આ પ્રમાણે ચિંતન કરવાથી વૈરાગ્ય આવે છે.સંસાર ઉપર વૈરાગ્ય લાવવા માટે આ એક જ ઉપાય છે.

    વિનોદભાઇ માછી નિરંકારી

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    આતંકવાદી ભંડોળનો પર્દાફાશ-FATF

    July 11, 2025
    ધાર્મિક

    હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ-ભાગ-8

    July 11, 2025
    લેખ

    તંત્રી લેખ…હિમાલયમાં ભૂસ્ખલનનો ભય વધી રહ્યો છે

    July 11, 2025
    લેખ

    Nobel Peace Prize ની ઇચ્છા, ટ્રમ્પની ગણતરી અને વિભાજન કરવાની ઉત્સુકતા

    July 10, 2025
    ધાર્મિક

    હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ ભાગ-7

    July 10, 2025
    લેખ

    તંત્રી લેખ…હિન્દી રાજકીય દ્વેષનું નિશાન બની ગયું છે

    July 10, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    12 જુલાઈ નું રાશિફળ

    July 11, 2025

    12 જુલાઈ નું પંચાંગ

    July 11, 2025

    Gujarat government વિદેશમાં અભ્યાસ માટે વાર્ષિક ૪ ટકાના વ્યાજે રૂ. ૧૫ લાખની લોન આપશે

    July 11, 2025

    Amarnath Yatra પર સંકટ, પીગળી રહ્યું છે ભોલેનાથનું શિવલિંગ

    July 11, 2025

    Nepal માં ઉડાન ભરેલું ડ્રોન બનાવ્યું, પરીક્ષણ દરમિયાન સંસદ ભવન પર પડ્યું, ૫ની ધરપકડ

    July 11, 2025

    અમેરિકાના મૃત્યુના નારા લગાવે છે, પરંતુ ઇઝરાયલ તેના માર્ગમાં અડચણરૂપ છેઃ Netanyahu

    July 11, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    12 જુલાઈ નું રાશિફળ

    July 11, 2025

    12 જુલાઈ નું પંચાંગ

    July 11, 2025

    Gujarat government વિદેશમાં અભ્યાસ માટે વાર્ષિક ૪ ટકાના વ્યાજે રૂ. ૧૫ લાખની લોન આપશે

    July 11, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.