Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શ્રી ૐકારેશ્વરં જ્યોતિર્લિંગની કથા ભાગ-૨

    August 22, 2026

    Ahmedabad: નિકોલના નકલી દારૂ કૌભાંડમાં વધુ એક ધરપકડ

    August 22, 2026

    Surat: આંજણાફાર્મમાં લુમ્સના ખાતા અને ગોડાઉનમાં વિકરાળ આગ

    August 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શ્રી ૐકારેશ્વરં જ્યોતિર્લિંગની કથા ભાગ-૨
    • Ahmedabad: નિકોલના નકલી દારૂ કૌભાંડમાં વધુ એક ધરપકડ
    • Surat: આંજણાફાર્મમાં લુમ્સના ખાતા અને ગોડાઉનમાં વિકરાળ આગ
    • Surat: ભેસ્તાનમાં બાળકોની જૂની અદાવતમાં યુવકની ક્રૂર હત્યા
    • Ahmedabad: અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યું ચાંદીની પાદુકાનું દાન
    • Ahmedabad: નિકોલમાં લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ
    • Aravalli: રોડ અકસ્માતથી લકવાગ્રસ્ત બનેલા દીપડાને નવજીવન અપાયું
    • Ahmedabad ના ચાંદખેડામાં પાન પાર્લરના સંચાલક પર હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, August 23
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સાહિત્ય જગત»શ્રી ૐકારેશ્વરં જ્યોતિર્લિંગની કથા ભાગ-૨
    સાહિત્ય જગત

    શ્રી ૐકારેશ્વરં જ્યોતિર્લિંગની કથા ભાગ-૨

    Vikram RavalBy Vikram RavalAugust 22, 2026No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વિનોદભાઇ માછી નિરંકારી

    નર્મદાના કિનારે ખંડવા પાસે વિંધ્ય પર્વતમાં એક જગ્યા છે ત્યાં ૐકારેશ્વરમ્ ભગવાનનું જ્યોતિર્લિંગ છે. ૐકારેશ્વર ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંનું એક છે.આ મંદિર માંધત કે શિવપુરી નામના નર્મદા નદીના ટાપુ પર આવેલું છે.આ ટાપુનો આકર ૐ જેવો છે.અહીં બે મંદિરો આવેલા છેઃ ઓમકારેશ્વર અને અમલેશ્વર.

    ૐકારેશ્વર ધામમાં જેટલો મહિમા ‘ૐકારેશ્વર’ના દર્શનનો છે તેટલો જ મહિમા ‘મમલેશ્વર’ના દર્શનનો છે. ૐકારેશ્વરના દર્શનની યાત્રા ત્યાં સુધી પરિપૂર્ણ નથી થતી કે જ્યાં સુધી ભક્તો મમલેશ્વરના દર્શન ન કરી લે કારણ કે ૐકારેશ્વરને શિવજીની આત્મા મનાય છે તો મમલેશ્વરને તેમનું શરીર ! શિવમહાપુરાણની કોટિરૂદ્રસંહિતાના અઢારમાં અધ્યાયમાંના ઉલ્લેખ અનુસાર તો ૐકારેશ્વર અને મમલેશ્વર એ વાસ્તવમાં એક જ શિવલિંગમાંથી વિભક્ત થયેલાં બે શિવલિંગ છે.દેવતાઓની પ્રાર્થનાને વશ થઈ મહાદેવે આ ભૂમિ પર બે સ્વરૂપ ધારણ કર્યા હતા.પ્રણવમાં સ્થિત સદાશિવ ૐકારેશ્વર નામથી પ્રસિદ્ધ થયું અને જે પાર્થિવમાંથી પ્રગટ થયું તે પરમેશ્વર નામથી પ્રસિદ્ધ થયું જે અમલેશ્વર તેમજ મમલેશ્વર જેવાં નામથી પણ પ્રખ્યાત છે.અહીં આ બંન્ને શિવલિંગના દર્શન બાદ જ જ્યોતિર્લિંગ દર્શનની યાત્રાના પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે.

    ૐકારેશ્વર જ્યોતિર્લિંગ સાથે અનેક દંતકથાઓ સંકળાયેલી છે.વિંઘ્ય પર્વત વિષેની કથા આપણે પહેલા ભાગમાં જોઇ હતી.બીજી કથા રાજા માંધાતાને સંબંધિત છે.

    અગત્સ્ય ઋષિની તપશ્ચર્યાથી પવિત્ર થયેલો નર્મદાતટ અને ભગવાન ૐકારેશ્વરની વિસ્મૃતિ થઇ.દસ્યુ લોકોએ આ પવિત્ર સ્થળને ગંદુ કરી નાખ્યું.દસ્યુ એટલે બીજાનો સ્વ હણવાવાળા માયાવી લોકો. સવારે બોલે તેનું સાંજે ઠેકાણું નહી અને સાંજે બોલે તેનું સવારે ઠેકાણું નહી.માયાવી એટલે બળદનું રૂપ લેવાવાળા નહી પરંતુ માયાવી એટલે દશમુખી રાવણ. રાવણનાં દશ માથાં હતાં એટલે તેને દશ માથાં હતાં તેમ નહી પરંતુ દશ વખત તે વાત બદલતો.સવારે એક વાત કહી હોય તો સાંજે વળી કાંઇ જુદુ જ કહે..સર્વ સામાન્ય જેમનામાં રાજકીય આકાંક્ષા હોય તે બધા દશ માથાવાળા જ હોય છે.

    દસ્યુ લોકોએ આ પર્વતીય લોકો ઉપર હુમલા કરી તેમની સુંદર સંસ્કૃતિમાં સડો પેસાડ્યો.તે સમયે માંધાતા નામના અતિ પ્રભાવી અને તેજસ્વી રાજા થયા.આ માંધાતા યુવનાશ્વના પૂત્ર હતા.માંધાતાને બે પૂત્ર હતા.મુચકુંદ અને અંબરીષ.આ બધા ભારતીય સંસ્કૃતિના જ્વલંત પાત્રો છે તેમનું સ્મરણ રહ્યું નથી એટલે આજે સમાજ નાલાયક થયો છે.

    રાજા માંધાતાને લાગ્યું કે ભાવનાનું આવું ભવ્ય જ્યોર્તિલિંગ હોવા છતાં સમાજમાં આવું દારૂણ અધઃપતન ! અગત્સ્ય ઋષિએ અહી તપ્શ્ચર્યા કરી અભિનવ પ્રયોગ કર્યો.તદ્દન જંગલી લોકોમાં દિવ્ય સંસ્કૃતિ ઉભી કરી તે સંસ્કૃતિ અને તે લોકોનો કર્મયોગ જોવા ભગવાન પધાર્યા એટલું જ નહી પણ ભગવાન પાસે પણ જેમને કાંઇ માંગવાનું નહી એવી મહાન પ્રજા નિર્માણ થઇ અને ભગવાનને કાયમી વસવાટ કરવા પ્રાર્થના કરી અને પ્રભુ આ જ્યોતિર્લિંગ બની કાયમી અહી વસ્યા તેની પ્રજા તેના વારસદારો આવા સ્વાર્થી અને હરામખોર ! અહીયાં થયેલા આ સુંદર પ્રયોગને દસ્યુ લોકોએ બગાડી નાખ્યો છે.સમાજમાં દાંભિકતા વધી ગઇ છે.બીજાનું કેમ મળે તે તરફ જ દ્રષ્ટિ છે ! પરસ્ત્રી અને પરદ્રવ્ય તરફ જેમની નજર જાય તે બધા દસ્યુ જ છે.આવી પરિસ્થિતિ જોઇ માંધાતાને ઘણું દુઃખ થયું અને તેમને સો પ્રભાવી યજ્ઞો કર્યા અને આખા ભારત દેશમાં સંસ્કૃતિ પાછી ઉભી કરી.લુપ્ત થયેલ નીતિમત્તા અને દૈવી વિચારો સમાજમાં સ્થિર કર્યા. ૐકારનાથ ભગવાનને ખુબ આનંદ થયો.તેમનું હ્રદય ખીલી ઉઠ્યું.તેમને લાગ્યું કે એકાદ દિકરો પણ બહાદુર નીકળ્યો ખરો ! ભગવાન આવા દિકરાની રાહ જોતા હોય છે.

    માંધાતાએ દસ્યુ પાસેથી પૃથ્વી જીતી લીધી.સંસ્કૃતિ પાછી ઉભી કરી.તેમને સાચા અર્થમાં સંસ્કૃતિનો જીર્ણોદ્ધાર કર્યો.લોકોની વૃત્તિ બદલી ઘેર ઘેર ભક્તિ લઇ ગયા.ભગવાનને પણ આનંદ થયો પરંતુ માંધાતાનું મન માનતું નથી.તેમને કહ્યું કે ભગવાન ! જ્યાંસુધી તમારાં દર્શન ના થાય ત્યાંસુધી બધું ફોગટ છે.મારા લોકો મને સારો કહે છે, મને જે યશ મળ્યો છે તેની પાછળ ભગવાન તમારો હાથ છે.તમે પ્રત્યક્ષ ન મળો ત્યાં સુધી બધું વ્યર્થ છે.ભગવાન ! મને દર્શન આપો તેમ કહી માંધાતાએ ભગવાનને પોકાર્યા. પ્રભુ ! અગત્સ્ય ઋષિએ બહુ મોટી તપશ્ચર્યા કરી હતી.પાછળથી નારદજીએ આ લોકોને દ્રષ્ટિ આપી હતી તેથી તો અહી તમારૂં સ્થાન નક્કી થઇ ગયું છે.જીવનની પ્રત્યેક વાત પાછળ પ્રભુસ્પર્શ છે.આ ભાવ નિર્માણ કરવા માટે તો આપ ૐકારમમલેશ્વરમ્ થયા છો.તેથી આ યશ મારો નથી આપનો છે.મેં સો યજ્ઞ કર્યા તે પણ આપના કૃપા પ્રસાદનું પરીણામ છે એમ હું અંતઃકરણથી માનું છું.

    કર્તૃત્વશાળીની ભગવાન વધારે પરીક્ષા લે છે.ભગવાને તેને દર્શન ના આપ્યા પણ રાજા માંધાતાને એક મહામંત્ર આપ્યો “શિવો ભૂત્વા શિવં યજેત..” તૂં શિવ બન.આ પહેલો મંત્ર,પહેલું શિક્ષણ પ્રભુના સ્વમુખે માંધાતાને મળ્યું તેથી તેમનું નામ મામ્+ધાતા=માંધાતા એટલે કે પોતામાં સ્વ-શરીરમાં પ્રભુશક્તિ જોનાર. પછી કાળક્રમે મામ્+ધાતાનું નામ માંધાતા થઇ ગયું.

    આ સ્થળે તેમને પ્રણવરૂપ ભગવાન પ્રસન્ન થયા.હજુ પણ ત્યાં શિવજીના બે રૂપો છેઃએક ૐકાર અને બીજું અમલેશ્વર.એક પ્રણવનું જ્યોર્તિલિંગ છે અને બીજું પાર્થિવ જ્યોર્તિલિંગ છે.આ બંન્ને જ્યોતિર્લિંગો હજું ત્યાં છે.કર્તૃત્વવાન લોકો માટે સુખી લોકોના વિકાસાર્થે આ જ્યોતિર્લિંગ છે અને અમોને જે કંઇ મળ્યું છે તે પ્રભુસ્પર્શથી મળ્યું છે-આ ભાવ અંતઃકરણમાં રાખવાનો છે.જો આ ભાવ જીવનમાં નહી રાખીએ તો માણસ રાક્ષસ થશે.

    માંધાતા ભગવાનના દર્શન કરવા આગ્રહ રાખતા અને ભગવાને તેના કાનમાં મંત્ર કહ્યો કે જીવનની પરમ ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરવી હોય તો શિવો ભૂત્વા શિવં યજેત..તારે શિવરૂપ થવું પડશે.શિવરૂપ થઇને તૂં શિવ પામીશ.તારૂં મડદું મારા ગળામાં હોવું જોઇએ એટલે કે તારો અહમ્ મારા ગળામાં પહેરાવી દે..પણ લોકો ભાવાર્થ સમજ્યા નહી અને કહેવા લાગ્યા કે શિવના ગળામાં મનુષ્યોની ખોપરીની માળા છે.

    માંધાતાને પ્રભુએ પોતાના મોઢે જે સ્થળે મંત્ર કહ્યો હતો તે આ ૐકારમમલેશ્વરમની જગ્યા.આપણે ફક્ત ફરવા જ જઇએ છીએ એટલે આ બધો વિચાર કરવાની નવરાશ જ ક્યાંથી મળે? સ્વ-ભાવમાં ઇશ્વરભાવ જોવો, શિવો ભૂત્વા શિવં યજેત..આ મહાન સિદ્ધાંત ભગવાને અહી સમજાવ્યો છે.ધન્ય છે અગત્સ્યને ! માંધાતાને ! ધન્ય છે તત્કાલિન પર્વતીય લોકોનું મોઢું બદલનાર નારદજીને ! આ ૐકારનાથ ભગવાનને અનંત પ્રણામ કે જેણે આ પવિત્ર સ્થળમાં તપશ્ચર્યાની પાશ્વભૂમિમાં કર્તૃત્વવાન લોકોની વિનંતીને માન આપી આવિર્ભૂત થયા,વ્યક્ત થયા. ખળખળ વહેતી નર્મદા મૈયાને પ્રણામ.બંન્ને ॐકારેશ્વર મમલેશ્વરમ ને પ્રણામ.આ જ્યોતિર્લિંગ આપણા અંતઃકરણમાં આ ભાવ નિર્માણ કરે એ જ પ્રભુ પ્રાર્થના.

    વિનોદભાઇ માછી નિરંકારી

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: નિકોલના નકલી દારૂ કૌભાંડમાં વધુ એક ધરપકડ
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    તંત્રી લેખ…ખાંડના ભાવમાં વધારો

    August 22, 2026
    સાહિત્ય જગત

    રવિવારે પુત્રદા એકાદશીનુ મહત્વ, પૂજન,બોધ

    August 22, 2026
    લેખ

    શ્રી મહાકાલેશ્વર જ્યોતિલિંગની કથા

    August 22, 2026
    લેખ

    તંત્રી લેખ…જાહેર પ્રતિનિધિઓ જવાબદારીથી મુક્તિ મેળવે છે

    August 21, 2026
    લેખ

    શ્રી ૐકારેશ્વર જ્યોતિર્લિંગની કથા ભાગ-૧

    August 21, 2026
    લેખ

    બળતણ-નિર્ભર ભારત વિરુદ્ધ મોંઘા રસોડા: શું સામાન્ય માણસ ઇ-20 નીતિની કિંમત ચૂકવી રહ્યો છે?

    August 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹162,990
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,410
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹244,640
    લાઈવ રેટ્સ • અપડેટ: 23-08-2026 06:34
    Categories
    Latest News

    Ahmedabad: નિકોલના નકલી દારૂ કૌભાંડમાં વધુ એક ધરપકડ

    August 22, 2026

    Surat: આંજણાફાર્મમાં લુમ્સના ખાતા અને ગોડાઉનમાં વિકરાળ આગ

    August 22, 2026

    Surat: ભેસ્તાનમાં બાળકોની જૂની અદાવતમાં યુવકની ક્રૂર હત્યા

    August 22, 2026

    Ahmedabad: અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યું ચાંદીની પાદુકાનું દાન

    August 22, 2026

    Ahmedabad: નિકોલમાં લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ

    August 22, 2026

    Aravalli: રોડ અકસ્માતથી લકવાગ્રસ્ત બનેલા દીપડાને નવજીવન અપાયું

    August 22, 2026
    Search
    Main News

    ૧ લાખ શાળાઓમાં માત્ર એક શિક્ષક,સુવિધાઓ જમીન પર કેમ નહીં?

    August 22, 2026

    ૨૦૦૫ના Sohrabuddin Fake Encounter Case માં નવો વળાંક, હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

    August 22, 2026

    વિદેશ મંત્રી S. Jaishankar ઓગસ્ટના અંતમાં રશિયા પહોંચશે આર્થિક અને સહયોગના અન્ય ક્ષેત્રોની સમીક્ષા કરશે

    August 22, 2026

    ન્યાયાધીશો ભગવાન નથી, દરેક નિર્ણય સાચો હોઈ શકતો નથી;Judge Sanjay Karol

    August 22, 2026

    માત્ર ન્યાય-નોમિક્સ જ અર્થતંત્રમાં વૃદ્ધિને વેગ આપશે”: CJI Suryakant

    August 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad: નિકોલના નકલી દારૂ કૌભાંડમાં વધુ એક ધરપકડ

    August 22, 2026

    Surat: આંજણાફાર્મમાં લુમ્સના ખાતા અને ગોડાઉનમાં વિકરાળ આગ

    August 22, 2026

    Surat: ભેસ્તાનમાં બાળકોની જૂની અદાવતમાં યુવકની ક્રૂર હત્યા

    August 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.