હાઇકોર્ટ ના હુકમનો અનાદર બદલ અનિરુદ્ધસિંહ અને પોલીસ ને નોટિસ ઇશ્યુ કરી
Gondal તા.તા.18
ગોંડલ નાં તત્કાલીન ધારાસભ્ય પોપટભાઇ સોરઠીયા હત્યા કેસ માં સુપ્રીમ કોર્ટ દ્વારા રીબડાનાં અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા ની આજીવન કેદ બરકરાર રખાઇ છે.અને હાઇકોર્ટ દ્વારા તા.18/9/25 સુધીમાં સરેન્ડર થવા હુકમ કરાયેલ છે.અલબત્ત હજુ સુધી અનિરુદ્ધસિંહ સરેન્ડર થયા નથી.ત્યારે સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહને સરેન્ડર થવા એક સપ્તાહ માટે સ્ટે આપ્યો છે. હાઇકોર્ટ દ્વારા અનિરુદ્ધસિંહ ની સજા માફીનો હુકમ રદ કરી તા.18 સુધીમાં દર અઠવાડીએ કોઈ પણ એક અથવા લાગતા વળગતા પોલીસ સ્ટેશન માં હાજરી પુરવા જણાવાયું હતુ.ચાર અઠવાડીયા દરમ્યાન અનિરુદ્ધસિંહે કોઈ પણ પોલીસ સ્ટેશન માં હાજરી પુરાવી ના હોય અરજદાર હરેશભાઈ સોરઠીયા દ્વારા હાઇકોર્ટ માં રીટ પીટીશન દાખલ કરી હતી.હાઇકોર્ટ નું ધ્યાન દોરી હાઇકોર્ટ નાં હુકમનો અનાદર થયાનું જણાવાયું હતું.દરમ્યાન હાઇકોર્ટ દ્વારા સુનવણી હાથ ધરી અનિરુદ્ધસિંહ તથા પોલીસ ને નોટિસ ઇશ્યુ કરી આ મુદ્દે સરકાર નો ખુલાશો માંગ્યો છે.અનિરુદ્ધસિંહ ને સરેન્ડર થવા આજે અંતિમ દિવસ હતો. ત્યારે અનિરુદ્ધ સિંહ જાડેજા એ સરેન્ડર થવા સામે સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી હતી જેની સુનાવણી ચાલતા જસ્ટિસ દ્વારા સામે એક સપ્તાહ સુધીનો સ્ટે આપતો હુકમ કર્યો છે.