(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૬
જામનગર ના દિગ્વિજય પ્લોટ વિસ્તાર ના માલુભાના ચોક નજીક રહેતા કરતા એક વૃદ્ધ ની તેના ઘર માં ગત રવિવારે સાંજે છરી ના ઘા ઝીંકી હત્યા કરી નીપજાવવામાં આવી હતી . આ ગુન્હામાં પોલીસે આરોપી ની ધરપકડ કરી છે. માત્ર બે હજારની હાથ ઉછીની આપેલી રકમ પરત માંગવા આવેલા આરોપી એ હત્યા કરી હોવાનું ખૂલ્યું હતું.જામનગરના દિ. પ્લોટ વિસ્તારની શેરી નં.૪૫ નજીક આવેલા સુભાષપરાની શેરી નં.૧ પાસે માલુભાના ચોકમાં રહેતા ચંદ્રસિંહ મેરૂજી રાઠોડ નામના વૃદ્ધ ની ગત રવિવારે સાંજે છરીનો ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવી હતી. લક્ષ્મીબેન લખુભાઈ ચૌહાણે આ અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી. આ વૃદ્ધે પોતાના મિત્ર હુસેન ઈસ્માઈલ સંધી પાસેથી કેટલીક રકમ હાથઉછીની લીધી હતી. તે રકમની ઉઘરાણી માટે રવિવારે સાંજે હુસેન સંધી આવ્યો હતો જ્યાં ચંદ્રસિંહ સાથે બોલાચાલી થતાં ઉશ્કેરાઈ જઈ હુસેને છરીથી હુમલો કરી ચંદ્રસિંહને ગળામાં ઘા ઝીંકી દેતા આ વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું હતું. ઉપરોક્ત બનાવમાં ગઈકાલે સિટી સી ડિવિઝન પોલીસે આરોપી હુસેન ઈસ્માઈલ સંધી ની ધરપકડ કરી હતી, જેને જેલ હવાલે કરાયો છે.

