Pakistan,તા.09
પાકિસ્તાનના સાંસદ શાહિદ અહેમદ ખટ્ટકે પીએમ શાહબાઝ શરીફને શિયાળ જેવા લુચ્ચા કહ્યા છે. નેશનલ એસેમ્બ્લીમાં બોલતાં શાહિદે કહ્યું હતું કે શાહબાઝા મોદી વિરુદ્ધ એકપણ શબ્દ બોલ્યા નથી.
બીજી તરફ, પાકિસ્તાન સરકારે કરાચી બંદર પર બોમ્બ વિસ્ફોટ સંબંધિત સમાચારને ખોટા ગણાવ્યા છે. આ માહિતી આપતાં કરાચી પોર્ટના X હેન્ડલે બંદરને સુરક્ષિત ગણાવ્યું છે.
દરમિયાન, પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ શુક્રવારે દાવો કર્યો હતો કે અત્યાર સુધીમાં 35 ભારતીય ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે ભારતીય હુમલાઓમાં તેમના 31 લોકો માર્યા ગયા હતા, જ્યારે 57 ઘાયલ થયા હતા.
ગુરુવારે અગાઉ પાકિસ્તાની સેનાએ કહ્યું હતું કે તેણે 25 ડ્રોન તોડી પાડ્યા છે. સેનાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ભારતે 9 સ્થળોએ ડ્રોન હુમલા કર્યા હતા.