- બોધકથા..સતસંગનો પ્રભાવ
- અનેકતામાં એકતાનું અનુપમ ઉદાહરણ નિરંકારી સમુહ લગ્ન
- મનુષ્યના પતન થવાનું કારણ શું?
- બિહારમાં બીજા તબક્કામાં ૬૬.૪૦ ટકા મતદાન, છ લોકો બીજાના નામે મતદાન કરતા પકડાયા
- ૨૩ વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું US માં અવસાન થયું. તે નોકરી શોધી રહી હતી
- સ્પર્ધક Mridul Tiwari ને મધ્યરાત્રિએ બિગ બોસ ૧૯ માંથી બહાર કાઢવામાં આવ્યો
- ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા બાદ અર્શદીપ સિંહે ૩ કરોડ ખર્ચીને મર્સિડીઝ કાર ખરીદી
- તંત્રી લેખ…આતંકનો અવાજ વધી રહ્યો છે, દેશે સતર્ક રહેવું જોઈએ.
Author: Vikram Raval
Mumbai,તા.10 કાશ્મીરની ઘાટી જેટલી સુંદર છે તેટલા જ ઘા તેને તેની અંદર દબાવીને રાખ્યાં છે. પછી તે આતંકવાદનો પડછાયો હોય, માસૂમ બાળકોને પથ્થરબાજ બનાવવાની વાત હોય કે પછી વર્ષો પહેલાં કાશ્મીરી પંડિતોનું પલાયન. બારામુલ્લા એક સંવેદનશીલ ફિલ્મ છે જે કાશ્મીરના આ ઘા પર મલમ સમાન છે. કાશ્મીર પર આર્ટિકલ 370 બનાવનાર આદિત્ય ધર અને દિગ્દર્શક આદિત્ય સુહાસ જાંભાલ દ્વારા નિર્મિત આ અલૌકિક ક્રાઇમ થ્રિલર ખીણમાં બાળકોનું બ્રેઇનવોશ કરીને તેમને આતંકના માર્ગે ધકેલવાના મુદ્દાથી શરૂ થાય છે અને 90ના દાયકામાં કાશ્મીરી પંડિતો પર થયેલાં અત્યાચારો સાથે જોડાય છે. વાર્તાની શરૂઆત બારામુલ્લાના પૂર્વ ધારાસભ્યના નિર્દોષ પુત્રના ગુમ થવાથી થાય છે. ડીએસપી રિદવાન…
Mumbai તા.10 છેલ્લા કેટલાક સમયથી ભારતમાં બોકસઓફીસમાં બોલીવુડની ફિલ્મોના કલેકશનના આંકડા નિરાશાજનક રહ્યા છે. પરંતુ વિદેશમાં ભારતીય ફિલ્મોની કમાણી વધી રહી છે અને તેમાં હવે બ્રિટન અને અમેરિકા બાદ ઓસ્ટ્રેલિયાનો પણ ઉમેરો થયો છે અને 2025ના વર્ષમાં ઓસ્ટ્રેલિયામાં ભારતીય ફિલ્મોનો કુલ બિઝનેસ 224 કરોડ રૂપિયાનો થઈ જશે જે 2021માં રૂા.75 કરોડનો હતો. ઓસ્ટ્રેલિયન બોકસ ઓફીસનું કદ 900 મીલીયન ઓસ્ટ્રેલિયન ડોલર માનવામાં આવે છે જેમાં ભારતીય ફિલ્મોએ હવે 39 મીલીયન ઓસ્ટ્રેલિયન ડોલરનો હિસ્સો પડાવી લીધો છે. આમ તે અમેરિકા અને બ્રિટન બાદ ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ કમાણી કરી રહી છે. એટલું જ નહી ન્યુઝીલેન્ડમાં પણ હવે ભારતીય ફિલ્મોનો વ્યાપાર વધી રહ્યો છે.…
Botad તા.10 ગૌતમ પરમાર પોલીસ મહા નિરીક્ષક ભાવનગર વિભાગે દારૂની બદી નેસ્તનાબુદ કરવા સુચના કરેલ જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માની સુચના અને એલસીબીના પો.ઈ. એ.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ બોટાદ એલસીબીના એએસઆઈ ભગીરથસિહ લીંબોલા તથા પો.કોન્સ. બળદેવસિંહ લીંબોલાને બાતમી મળેલ કે ભગીરથભાઈ ફુલભાઈ ધાધલ તથા છત્રપાલભાઈ ઉર્ફે સતુભાઈ સુરેશભાઈ બસીયા રહે. બંને તુરખા વાળાઓ ભેગા મળી. તુરખા ગામથી દેવધરી ગામ તરફ જવાના રહસ્તે સરકારી દવાખાનાની બાજુમાં આવેલ ખારવાના રસ્તે અશ્ર્વિનભાઈ દાસભાઈ પ્રજાપતિની વાડીએ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે. જે બાતમી હકીકત આધારે વાડીએ રેડ કરતા વિદેશી દારૂની ભારતીય બનાવટના વિદેશી દારૂની કંપની સીલપેક 750 એમએલની બોટલ…
Botad,તા.10 પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા ગુજરાત માં શરૂ થયેલ સેવાને 60 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે સુવર્ણ જ્યંતી મહોત્સવ ની ઉજવણી ચાલી રહી છે.આ અવસરે 100 મિલિયન પીસ મિનિટ નામનો વિશિષ્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ છે.જે અંતર્ગત બોટાદ મા એક ઈશ્વરીય સેવા માટે પ્રસાર રથ આવશે. આ રથ પ્રસ્થાન તા.11 નવેમ્બર સાંજના 4:00 કલાકે બોટાદ બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર ભાવનગર રોડ થી જૈન બોર્ડિંગ મોટી વાડી, વિવેકાનંદ સોસાયટીના નાકે, સુંદરમ સ્કૂલની સામેનું મેદાન, આનંદ ધામ રેસિડેન્સી, એસ.ટી.બસ સ્ટેન્ડ વિસ્તારમાં ફરશે. આજના અશાંત સમયમાં આપણે સૌ મળીને અમુક મિનિટ માટે શાંતિ માં બેસી પોતાના માટે, પરિવાર માટે અને વિશ્વ માટે શાંતિનું…
Bhavnagar, તા.10 રાજ્યભરમાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત દયનિય છે. ત્યારે રાજ્ય સરકારે પણ ગત વર્ષોની સરખામણીએ વધુ રાહત પેકેજ મંજૂર કરી 10 હજાર કરોડનું રાહત પેકેજ મંજુર કર્યું છે. તેમ છતાં ખેડૂતોમાં હજુ પાક નુકસાન વળતર, દેવું સંપૂર્ણ માફ, પાક વીમો શરૂ કરવો, નકલી બિયારણ-દવાઓ મામલે અસંતોષ હોય, ત્યારે કોંગ્રેસ દ્વારા 6 નવેમ્બરથી ગીર સોમનાથથી ‘ખેડૂત આક્રોશ રેલી’નો પ્રારંભ કર્યો છે, જે સૌરાષ્ટ્રના 11 જિલ્લામાંથી પસાર થઈ 13 નવેમ્બરના રોજ દ્વારકા ખાતે પૂર્ણ થશે. ગઈકાલે સાંજે આ ખેડૂત આક્રોશ રેલી રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલના ગામે લીમડા (તા. ઉમરાળા, જિ. ભાવનગર) પહોંચી હતી. અહીં સભાને સંબોધતા શક્તિસિંહ ‘ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા…
Bhavnagar,તા.10 ભાવનગરની સિહોર જીઆઈડીસી-1માં આવેલી રોલિંગ મીલના મેનેજરે અને પોતાના અન્ય સાથીદારો સાથે મળી દોઢ વર્ષના સમયગાળામાં રોલિંગ મીલમાંથી બારોબાર 350 ટન લોખંડ વેચી દઈ રોલિંગ મીલ સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કર્યાં અંગેની પોલીસ ફરિયાદ નોંધાય છે. મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના સિહોર જીઆઈડીસી-1માં આવેલી નવભારત સ્ટીલ રી-રોલિંગ મીલમાં મેનેજર તરીકે નોકરી કરતા મુળરાજસિંહ હરીચંદ્રસિંહ ગોહિલ (રહે.ટોડા ગામ, તા.સિહોર)એ સિહોર પોલીસ મથકમાં અમોલભાઈ ગીરીશભાઈ ગુજરાથી (રહે.કાળિયાબીડ), ભાવેશ ચૌહાણ, યોગેશ પરમાર, મેહુલ પંડયા (ત્રણેય રહે. ભાવનગર) અને વિશાલ સાટીયા (રહે.કરદેજ) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉક્ત અમોલભાઈ તેમની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા હોય જેઓની પાસે ઉત્પાદન અને વેચાણની જવાબદારી હતી. જ્યારે…
Ayodhyaતા.10 ગુપ્તારઘાટ નજીક બની રહેલાં પાર્કમાં રામાયણની થીમ પર દ્રશ્યો બનાવવામાં આવી રહ્યાં છે. અહીં રામ, લક્ષ્મણ, સુગ્રીવ, હનુમાન, વિભીષણ અને અંગદ જેવાં પાત્રોની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી રહી છે. રામ-રાવણ યુદ્ધના દ્રશ્યને દર્શાવવા માટે રાવણની 25 ફૂટ ઊંચી પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવશે. આ પ્રતિમાને ઘણાં ભાગોને જોડીને તૈયાર કરવામાં આવશે. ગુપ્તારઘાટ એ સ્થળ છે જ્યાંથી ભગવાન શ્રી રામે પરમધામની યાત્રા કરી હતી. આ પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે તે જણાવવામાં આવ્યું હતું. પર્યટન વિભાગની અન્ય ઘણી યોજનાઓના નિર્માણનું કામ પણ અહીં ચાલી રહ્યું છે. યોગી સરકાર અયોધ્યામાં ભવ્ય રામાયણ પાર્ક બનાવી રહી છે. તે રામ મંદિરથી…
New Delhi, તા.10 રાજસ્થાનના ફલૌદીમાં સોમવારે થયેલ દર્દનાક માર્ગ અકસ્માતમાં 15 લોકોના મોત અને અનેક ઘાયલ થવાના કિસ્સામાં સુપ્રિમ કોર્ટ સખ્ત બની છે અને એનએચએઆઈ અને રાજસ્થાન સરકારને સ્થિત રિપોર્ટ માગ્યો છે. ન્યાયમૂર્તિ જે.કે. મહેશ્વરી અને ન્યાયમૂર્તિ વિજય વિશ્નોઈની બેન્ચે હાઈવેની સુરક્ષાને લઈને ઉંડી ચિંતા વ્યકત કરી છે અને નેશનલ હાઈવે ઓથોરિટી (એનએચએઆઈ)ને નિર્દેશ આપ્યો કે તે બે સપ્તાહમાં વિસ્તૃત સ્થિતિ રિપોર્ટ દાખલ કરે. જેમાં રાજસ્થાનના નેશનલ હાઈવે પર આવેલ ઢાબા અને અન્ય સ્થાપનાની સંખ્યાનો રિપોર્ટ દાખલ કરવામાં આવે. સાથે સાથે સુપ્રીમ કોર્ટે માગેની સ્થિતિના બારામાં પણ રિપોર્ટ માગ્યો છે. સરકાર તરફથી ઉપસ્થિત વકીલ શિવુ મંગલ શર્માએ અદાલતને જણાવ્યું હતું…
Patna, તા.10 બિહારના દાનાપુર દિયારાના અકિલપુર વિસ્તારમાં રવિવારે રાત્રે એક અત્યંત દુઃખદ અને કણ ઘટના બની હતી, જેમાં એક જ પરિવારના પાંચ સભ્યો કાળનો કોળિયો બની ગયા હતા. રાત્રે ઘરમાં નિંદ્રાધીન પરિવાર પર અચાનક મકાનની છત તૂટી પડતાં પતિ-પત્ની અને તેમના ત્રણ માસૂમ બાળકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા, જેના કારણે સૌના મૃત્યુ થયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મળતી માહિતી મુજબ, માનસ નયા પાનાપુર 42 પટ્ટી વિસ્તારમાં રહેતા 32 વર્ષીય બબલૂ ખાન પોતાની 30 વર્ષીય પત્ની રૌશન ખાતૂન અને બાળકો સાથે રહેતા હતા. રવિવારે રાત્રે પરિવારના તમામ સભ્યો ઘરમાં સૂઈ રહ્યા હતા, ત્યારે…
Mumbai,તા.10 આ વર્ષે સ્થાનિક શેરબજારમાં જબરદસ્ત ઉતાર ચડાવ જોવા મળ્યો છે. સેકન્ડરી માર્કેટ ભલે થોડું ઠંડુ પડી ગયું હોય, પરંતુ પ્રાઇમરી માર્કેટ એટલે કે આઇપીઓ માર્કેટમાં જબરદસ્ત ઉત્સાહ છે. મોટી અને નવી કંપનીઓના ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ્સ (આઇપીઓ) ઘણાં રોકાણકારોને આકર્ષિત કરી રહ્યાં છે. જો કે, જો એલજી ઇલેક્ટ્રોનિક્સના તાજેતરનાં ઇશ્યૂને બાકાત રાખવામાં આવે તો મોટાભાગનાં મોટા આઇપીઓને સારો પ્રતિસાદ મળ્યો નથી. એલજીનો 11,600 કરોડ રૂપિયાનો આઈપીઓ 52 ગણાથી વધુ ભરાઈ ગયો હતો અને શેર 50 ટકા ઊંચા ભાવે લિસ્ટ થયો હતો. તેથી આઇપીઓ માટેના ઘોંઘાટ વચ્ચે, વાસ્તવિક પ્રશ્ન એ છે કે શું આઇપીઓમાં નાણાંનું રોકાણ કરવું સમજદારી છે અથવા સેકન્ડરી…
