- એકતા કપૂરની ફિલ્મ ‘રાગિણી 3’નું લંડનમાં શૂટિંગ શરૂ થઈ ગયું : Actress Tamannaah Bhatia
- Ranbir ને દીકરી રાહા થકી કન્જક્ટિવાઈટિસનો ચેપ લાગ્યો
- 3 ડિસેમ્બર 2026ના રોજ Prabhas ની ‘ફૌજી’ રિલીઝ થશે, Ajay-Akshayની ફિલ્મો સાથે થશે જોરદાર ટક્કર
- હું ચૂપ નહીં રહું’ – સોનમ વાંગચુકના સમર્થનમાં ઉતરી બોલિવૂડ અભિનેત્રી Sonakshi Sinha
- પોતાના દીકરાનું નામ ‘રામ ખાન’ રાખવા માંગતો હતો Sohail Khan
- હું મરી જઈશ ત્યાં સુધી Salman Khan મારો પીછો નહીં છોડે…, એક્સ-ગર્લફ્રેન્ડ Somi Ali
- BCCI સચિવ સૈકિયા ICC સમીક્ષા સમિતિના પ્રમુખ તરીકે નિયુક્ત
- જ્યાં સુધી મેદાન પર Lionel Messi હાજર છે, આર્જેન્ટિનાની આશા જીવંત છે
Author: Vikram Raval
(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૫ ભાવેશભાઈ રામાભાઈ ગાગીયા (ઉં.વ. ૨૯), રહે. મોડપર ગામ, તા. લાલપુર, જિ. જામનગર અને વ્યવસાયે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (એમ.પી.એચ.ડબ્લ્યુ.) તરીકે ફરજ બજાવતા યુવકે મેઘપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, તા. ૯ જુલાઈ, ૨૦૨૬ના રોજ તેઓ રાસંગપર ગામના સરકારી સબ સેન્ટર ખાતે ફરજ પર હાજર હતા. તે દરમિયાન બપોરના સમયે તેમના મિત્ર મયુરભાઈ કરશનભાઈ ફળદુ અને નિર્મળભાઈ ડાંગર ત્યાં આવ્યા હતા.ફરિયાદ મુજબ, ભાવેશભાઈએ અગાઉ મયુરભાઈને દસ લાખ રૂપિયા હાથ ઉછીના આપ્યા હતા, જેના બદલામાં મયુરભાઈએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો ચેક આપ્યો હતો. ચેક બાઉન્સ થતાં જામ-ખંભાળિયા કોર્ટમાં ચેક રિટર્નનો કેસ હાલ ચાલી રહ્યો છે. આ…
કુળદેવી ચામુંડા માતાજી, ખોડિયાર માતાજી અને વાકોલ માતાજીના મંદિરોને બનાવ્યા નિશાન (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૫ જામનગર તાલુકાના ચન્દ્રાગા ગામમાં આવેલા ત્રણ પૌરાણિક મંદિરોમાં થયેલી ચોરીની ઘટનાએ ભક્તોમાં ભારે રોષ અને ચિંતા ફેલાવી છે. આ અંગે નવાગામ ઘેડ ખાતે રહેતા યશગીરીશભાઈ બાબુલાલ પરમારની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ ચન્દ્રાગા ગામમાં આવેલા ખવાસ પરિવારના કુળદેવી શ્રી ચામુંડા માતાજીના પૌરાણિક મંદિરમાં પરિવાર દ્વારા વર્ષોથી ચડાવવામાં આવેલા આશરે બે કિલો પંચધાતુના છત્તરો તેમજ બે ગ્રામ વજનનું સોનાનું છત્તર મળી અંદાજે રૂ. ૧ લાખનો મુદ્દામાલ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. શરૂઆતમાં પરિવારજનોએ ગામમાં પૂછપરછ…
ચાર પાડોશીઓ સામે ગુનો નોંધાયો, સાસુ-વહુને લાકડાના ધોકાથી માર માર્યાનો આક્ષેપ (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૫ Jamnagarમાં ગોકુલ નગર નજીક મારુતિ નગર શેરી નંબર-૨ વિસ્તારમાં રહેતી એક મહિલાએ જામનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તા. ૯ જુલાઈની રાત્રે આશરે નવ વાગ્યે તેઓ પોતાના ઘરે હતા ત્યારે ચાર શખ્સો તેમના ઘરે ધસી આવ્યા હતા. ફરિયાદ મુજબ, ઘરના દરવાજા પર લાકડાનો ધોકો પછાડી તેમના દીકરાઓ વિશે પૂછતાં ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. મહિલા તથા તેમના બંને દીકરાની પત્નીઓ બહાર નીકળતાં આરોપીઓમાંથી એકે લાકડાના ધોકાથી મહિલાના જમણા પગના સાથળના ભાગે માર મારતા તેઓ નીચે પડી ગયા હતા અને તેમને મુઢ ઈજા પહોંચી હતી. ફરિયાદમાં…
સુસાઇડ નોટના આધારે ફરિયાદ; લોન અને વ્યાજના ચક્રમાં ફસાયેલા યુવકને સતત ઉઘરાણી અને ધમકીઓથી મરવા મજબૂર કર્યાનો ફરિયાદમાં આક્ષેપ (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૫ જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા અને ભંગાર-સ્ક્રેપનો વ્યવસાય કરતા આશિષભાઈ કિશોરભાઈ ચાંદ્રા (ઉ.વ. ૩૭)એ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હોવાના બનાવમાં પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો નોંધ્યો છે. મૃતકના મોટા ભાઈ અમરીશભાઈ કિશોરભાઈ ચાંદ્રાની ફરિયાદના આધારે પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ આશિષભાઈએ વર્ષ ૨૦૧૮માં કેપરી ગ્લોબલ ફાઈનાન્સ પાસેથી માતાના નામના મકાન પર મોર્ગૅજ રાખી આશરે રૂ. ૨૫.૯૪ લાખની લોન લીધી હતી. પિતાના વર્ષ ૨૦૧૯માં હાર્ટ એટેકથી…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૫ Morbi સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. સ્કૂલના વાલીઓના વોટ્સએપ ગ્રુપ હેક કરીને ધમકી આપી ખંડણી માંગનાર અને સ્કૂલ ફીના નામે રૂપિયા પડાવવાનો પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સામે અગાઉ પણ વિવિધ જિલ્લાઓમાં સાયબર ઠગાઈ સહિત કુલ ૧૩ ગુનાઓ નોંધાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ૪ જુલાઈ, ૨૦૨૬ના રોજ નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ફરિયાદીની પત્નીને સ્કૂલ સંચાલકના નામે ફોન કરીને ઓટીપી મેળવી તેમનું વોટ્સએપ હેક કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વોટ્સએપ મારફતે ઈમોશનલ બ્લેકમેલ કરી રૂ.૩૦ હજાર પડાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, જાનથી…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૫ Morbiના વીસીપરા વિસ્તારમાં નોતીયાર પાનની પાછળ જાહેરમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બે અલગ-અલગ દરોડા પાડીને કુલ પાંચ શખ્સોને રોકડ રકમ તથા ગંજીપત્તા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રથમ દરોડા દરમિયાન વીસીપરામાં નોતીયાર પાનની પાછળ જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહેલા બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં ભરત ભવાનભાઇ ગાગડીયા અને સિકંદર કાદરભાઇ પારેડીનો સમાવેશ થાય છે. પોલીસે આ રેઇડ દરમિયાન ગંજીપત્તાના પાના અને રોકડા રૂપિયા ૫,૩૦૦ નો મુદ્દામાલ જપ્ત કરીને બંને આરોપીઓની અટકાયત કરી હતી. જ્યારે…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૫ Morbiમાં નટરાજ ફાટક પર બની રહેલા -૩૧ રેલવે ઓવરબ્રિજ ના કામમાં બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું છે. આ બાબત ધ્યાને આવતા બાંધકામમાં ગુણવત્તા અને સલામતીના ધોરણોનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બ્રિજના બાંધકામની નિયમિત તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, એક પિલરની એક લિફ્ટ નિર્ધારિત સામર્થ્ય () ના ધોરણો મુજબ નથી. જાહેર સલામતી અને બાંધકામની ગુણવત્તાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને માર્ગ અને મકાન વિભાગએ કોન્ટ્રાક્ટરને આ પિલર સંપૂર્ણપણે તોડી પાડવાનો તાત્કાલિક આદેશ આપ્યો છે. આ સાથે જ મંજૂર ડિઝાઇન અને ટેકિન્કલ સ્પેસિફિકેશન મુજબ સ્વખર્ચે નવો પિયર…
Hyderabad ,તા.૧૫ તેલંગાણા ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચીફ એન્જિનિયર બી. રવિન્દર સામે અપ્રમાણસર સંપત્તિ એકઠી કરવા બદલ કેસ દાખલ કર્યો છે. આ કાર્યવાહી ચીફ એન્જિનિયરની ૯.૨૪ કરોડથી વધુની સંપત્તિના ખુલાસા બાદ થઈ છે. એસીબીના સિટી રેન્જે ૧ થી ૧૪ જુલાઈ દરમિયાન આરોપી બી. રવિંદરના ઘર, ઓફિસ અને તેના સંબંધીઓ, સહયોગીઓ અને કથિત બેનામીદારોના નવ અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા. એસીબીના જણાવ્યા મુજબ, તેમના દ્વારા ઓળખાયેલી મિલકતોની નોંધાયેલ કિંમત ૯ કરોડ ૨૪ લાખ ૨ હજાર ૨૭૬ છે, જોકે તેમની વાસ્તવિક બજાર કિંમત ઘણી વધારે હોવાની ધારણા છે. ભ્રષ્ટાચાર દ્વારા મિલકત હસ્તગત કરવાના આરોપસર ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૮ (૨૦૧૮…
Rajkot તા.૧૫ શહેરમાં ગાયકવાડી વિસ્તારમાં દારૂ લેવા ગયેલા યુવક પર હુમલો કરી શરીર પર કાટ-મશ લગાડી દીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, ગાયકવાડી શેરી નં. ૫ માં આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં, સુરેશ પાન પાસે રહેતા સંદીપ રાજેશભાઈ કુવાડિયા (ઉં ૧૯) તેના ઘર પાસે જ પકો રઘુ વાજલિયા નામના શખ્સે હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, હોસ્પિટલના બિછાને સંદીપે જણાવ્યું હતું કે, તે આરોપી પકા પાસે દારૂ લેવા માટે ગયો હતો. સંદીપે દારૂ માંગતા આરોપી પકાએ ઉશ્કેરાઈને કહ્યું હતું કે,…
દક્ષિણપૂર્વ ઈરાનમાં યુએસ હવાઈ હુમલામાં સાત સૈનિકો માર્યા ગયા Tehran,તા.૧૫ ઈરાન પર અમેરિકાના હવાઈ હુમલાથી ઈસ્લામિક રિપબ્લિકમાં ભારે વિનાશ થયો છે. ઈરાની સરકારના પ્રવક્તા ફાતેમેહ મોહજેરાનીએ જણાવ્યું હતું કે તાજેતરના દિવસોમાં ઈરાન પર અમેરિકાના હવાઈ હુમલામાં ૩૦ થી વધુ લોકો માર્યા ગયા છે. જોકે, તેમણે મૃત્યુઆંકનો ઉલ્લેખ કયા સમયગાળા માટે કરવામાં આવ્યો હતો તે સ્પષ્ટ કર્યું નથી. ઈરાની સરકારનું આ નિવેદન ઈરાનના આરોગ્ય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે રાત્રે યુએસ હવાઈ હુમલામાં ૨૬૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈરાની સૈન્યએ જણાવ્યું છે કે ઈરાનશહરમાં બામપુર ગેરિસન પર યુએસ હુમલામાં તેના સાત સૈનિકો માર્યા ગયા છે. ઈરાની સૈન્યએ એમ પણ…
