Author: Vikram Raval

શક્તિમાન શૉ સૌપ્રથમ વર્ષ ૧૯૯૭માં ટેલિકાસ્ટ થયો હતો અને તેનો ફાઇનલ એપિસોડ વર્ષ ૨૦૦૫માં પ્રસારિત થયો હતો Mumbai, તા.૨૯ ભારતીય ટેલિવિઝનના સુપરહિટ શૉ ‘શક્તિમાન’થી ઘરે-ઘરે લોકપ્રિય બનેલા અભિનેતા મુકેશ ખન્નાએ મોટો ખુલાસો કર્યો છે. શક્તિમાન પર આધારિત આગામી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે બોલિવૂડ એક્ટર રણવીર સિંહ ખૂબ જ ઉત્સુક હતો. રણવીરે મુકેશ ખન્નાને મનાવવા માટે લગભગ ૩ કલાક સુધી સતત વિનંતીઓ કરી હતી, પરંતુ મુકેશ ખન્નાએ તેને શક્તિમાનના રોલ માટે સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો. પોતાના સિદ્ધાંતો ખાતર લીધેલા આ નિર્ણયના કારણે મુકેશ ખન્નાને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પણ વેઠવું પડ્યું છે.તેમણે રણવીરની અદ્ભુત એનર્જી વિશે વાત કરતાં ઉમેર્યું કે,…

Read More

 સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરીને અમાલે પોતાના ફેન્સને આ નિર્ણયની જાણકારી આપી Mumbai, તા.૨૯ બોલિવૂડના જાણીતા સંગીતકાર અને ગાયક અમાલ મલિકે ફિલ્મી સંગીતની દુનિયામાંથી થોડા સમય માટે દૂર થવાનો નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરીને અમાલે પોતાના ફેન્સને આ નિર્ણયની જાણકારી આપી છે.અમાલ મલિકે પોતાની પોસ્ટમાં સ્પષ્ટ કર્યું કે તેઓ હાલ ઠીક છે, પરંતુ હવે તેઓ પોતાના માટે અને પોતાની માનસિક શાંતિ માટે જરૂરી નિર્ણય લેવા માગે છે.તેમણે લખ્યું કે, “હું બિલકુલ ઠીક છું અને આ વખતે હું મારા માટે જે સૌથી સારું હશે, તે કરવા માટે કોઈ કસર નહીં છોડું. હવે…

Read More

નાના અમથા કાર્યોએ માત્ર તેનો દિવસ જ નથી સુધાર્યો પણ તેના દિલ પર ઊંડી છાપ પણ છોડી છે : પ્રીતિ Mumbai, તા.૨૯ બોલિવૂડની સુંદર અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ તાજેતરમાં જ એક દિલ સ્પર્શી જાય તેવી વાત શેર કરી છે, જેનાથી પેરિસમાં બીમાર હોવા છતાં તેને ભારે રાહત મળી છે. ઈન્સ્ટાગ્રામ પર ‘બંટવારા ૧૯૪૭’ની એક્ટ્રેસે જણાવ્યું કે તેને તાવ હતો અને તે બિલકુલ સારું અનુભવી રહી ન હતી. તેની એક ળેન્ડે તેની આ તબિયત વિશે પોતાની પડોશીને જણાવ્યું હતું, જેમણે પ્રીતિ ઝિન્ટા માટે તેનું ફેવરિટ દેશી ભોજન કઢી-ચોખા બનાવીને મોકલ્યા અને તેનો મૂડ સારો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ આદરણીય સદ્ભાવના બદલ…

Read More

સ્મૂધીમાં લગભગ ૩૫ ગ્રામ પ્રોટીન હોય છે અને માચાનો સમાવેશ તેને એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ બનાવે છે Mumbai, તા.૨૯ સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. પોતાના ગ્લેમરસ લૂકને લઈને સતત ચર્ચામાં રહે છે. એક ચોક્કસ સમય બાદ એની બ્યૂટી પાછળનું સિક્રેટ શું છે એ સામે આવ્યું છે. આ જાણવા માટે  ઘણા સમયથી ફેન્સ પણ એક્સાઈટેડ હતા. કેટલાક યુઝરે તો એને ડાયરેક્ટ સવાલ કરી લીધો હતો કે, બ્યૂટી ટીપ્સ શૅર કરશો? હવે તેણે એક વીડિયો શૅર કરીને જણાવ્યું હતું કે, આખરે તેની આટલી સુંદરતા પાછળનું રહસ્ય શું છે?વીડિયો શૅર કરતા સારાએ જણાવ્યું હતું કે, તે દૈનિક ધોરણે ગ્રીન સ્મૂધી પીવે છે,…

Read More

લગભગ દોઢ વર્ષ પહેલા, અભિનેતા સૈફ અલી ખાનના બાંદ્રા સ્થિત ઘરમાં ઘૂસીને તેના પર છરીથી હુમલો કરવાની ઘટનાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો Mumbai, તા.૨૯ બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર તેના જ ઘરમાં છરીથી હુમલો કરવાના કેસમાં એક મોટો ખુલાસો સામે આવ્યો છે. આ કેસમાં ધરપકડ કરાયેલ આરોપી શરીફુલ ઇસ્લામ શેખે હવે કબૂલાત કરવાની તૈયારી દર્શાવી છે. આરોપીએ કોર્ટમાં અરજી દાખલ કરીને જણાવ્યું છે કે, તેને પોતાના કૃત્યોનો પસ્તાવો છે અને તે ગુનો કબૂલ કરવા માંગે છે. તેણે કોર્ટને ઓછામાં ઓછી સજાની પણ વિનંતી કરી છે.લગભગ દોઢ વર્ષ પહેલા, અભિનેતા સૈફ અલી ખાનના બાંદ્રા સ્થિત ઘરમાં ઘૂસીને તેના પર…

Read More

Gandhinagar તા.૨૮ લોકભવન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રક્ષાબંધન પર્વની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. સ્નેહ, સુરક્ષા અને ભાઈ-બહેનના પવિત્ર સંબંધના પ્રતીક સમાન આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી વિવિધ સમાજ, સામાજિક સંસ્થાઓ, સેવાભાવી સંગઠનો તથા વિવિધ વર્ગોની બહેનો અને દીકરીઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમ દરમિયાન સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલી બહેનો, બ્રહ્માકુમારીઝ તથા દિવ્યાંગ બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધી હતી. બહેનોએ મુખ્યમંત્રીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે મંગલકામના કરી હતી. મુખ્યમંત્રીએ પણ રાખડી બાંધવા માટે આવેલી તમામ બહેનોનું આત્મીયતાપૂર્વક સ્વાગત કરી તેમની શુભેચ્છાઓ સ્વીકારી હતી. રક્ષાબંધનના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રાજ્યની તમામ નારીશક્તિના સર્વાંગી વિકાસ, સન્માન અને સુરક્ષા માટે સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી…

Read More

Ahmedabadતા.૨૮ કેન્દ્રીય ગૃહમંત્રી અને સ્થાનિક સાંસદ અમિત શાહે અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્રમાં આવતા આંબલી, બોપલ અને ઘુમા વિસ્તારના રહીશો માટે એક વિશેષ ’લોક દરબાર’નું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પાણી ભરાવાની વિકટ સમસ્યાઓ સાંભળવાનો અને તેનો કાયમી ઉકેલ લાવવાનો હતો. બોપલ પંચાયત રોડ પર આવેલી મ્દ્ભસ્ સ્કૂલ ખાતે આ લોક દરબાર યોજાયો હતો. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ગુજરાતના મુખ્યમંત્રી, અમદાવાદના મેયર, છસ્ઝ્ર કમિશનર, શહેર પ્રમુખ અને મંત્રી દર્શનાબેન પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જોધપુર અને બોપલ વોર્ડના રહીશો તેમજ વિવિધ સોસાયટીના ચેરમેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ સિઝનમાં પડેલા…

Read More

મનપા તંત્ર દ્વારા શહેરમાં દવાના છંટકાવની કામગીરી પણ શરૂ કરાઈ છે, પંરતું દવાનો જથ્થો પણ હાલમાં બફર સ્ટોક પૂરતો બાકી રહ્યો છે Mehsana, તા.૨૮ મહેસાણા શહેરમાં વરસાદ પડ્યા બાદ હાલમાં મચ્છર અને જીણી જીવાતનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે અને મનપા દ્વારા ફોગિંગ કામગીરી થઈ રહી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે કુલ ૮ ફોગિંગ મશીન પૈકી માત્ર એક જ કાર્યરત છે અને ૭ બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે.મહેસાણા મહાપાલિકા દ્વારા શહેરમાં વિવિધ વિકાસકામો અને બ્યુટિફિકેશનના નામે કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે, પરંતું નગરજનોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી બાબતોમાં ચોક્કસ પગલાં લેવામાં મનપા તંત્ર ઊણું ઉતર્યું હોવાનું…

Read More

૫૦ કિમીની ઝડપે બેફામ રિક્ષા હંકારી જીવ જોખમમાં મૂક્યો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ Ahmedabad , તા.૨૮ જશોદાનગર ચાર રસ્તાથી રબારી કોલોની ચાર રસ્તા સુધી રિક્ષાચાલકે બેદરકારીપૂર્વક સર્પાકાર રીતે રિક્ષા હંકારી સ્ટંટ કરતા તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. રિક્ષા ચાલક આશરે ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રિક્ષા હંકારી અન્ય વાહનચાલકોનો જીવ જોખમમાં મૂકી રહ્યો હતો. પાછળ ટુ-વ્હીલર પર જઈ રહેલા એક યુવકે સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વીડિયો પોલીસના ધ્યાને આવતા આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.પોલીસ તપાસમાં જણાયું છે કે જશોદાનગર ચાર રસ્તાથી રબારી કોલોની ચાર રસ્તા…

Read More

ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે ફૂટેજના આધારે આરોપીઓને પકડવાના પ્રયાસો શરૂ કર્યા Ahmedabad, તા.૨૮ અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા કદમ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પરના ચોઇસ પાન પાર્લરમાં ચાર શખ્સોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ મોડી  રાતના સમયે દુકાનના શટરને વચ્ચેથી ઊંચું કરી અંદર પ્રવેશ કર્યો હતો અને ગલ્લામાંથી રોકડ રકમ તેમજ મોંઘી કિંમતની સિગારેટના પેકેટ સહિત કુલ રૂ.૭૪,૪૦૦ની મતા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા ઝ્રઝ્ર્‌ફ કેમેરામાં કેદ થઈ છે.બોપલમાં રહેતા અનિલ સમરસિંહ રાજપૂતે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ૨૬ ઓગસ્ટે સવારે સાત વાગ્યે પાન પાર્લરમાં કામ કરતા રાહુલ અને ઉત્સવ…

Read More