- 3 ડિસેમ્બર 2026ના રોજ Prabhas ની ‘ફૌજી’ રિલીઝ થશે, Ajay-Akshayની ફિલ્મો સાથે થશે જોરદાર ટક્કર
- હું ચૂપ નહીં રહું’ – સોનમ વાંગચુકના સમર્થનમાં ઉતરી બોલિવૂડ અભિનેત્રી Sonakshi Sinha
- પોતાના દીકરાનું નામ ‘રામ ખાન’ રાખવા માંગતો હતો Sohail Khan
- હું મરી જઈશ ત્યાં સુધી Salman Khan મારો પીછો નહીં છોડે…, એક્સ-ગર્લફ્રેન્ડ Somi Ali
- BCCI સચિવ સૈકિયા ICC સમીક્ષા સમિતિના પ્રમુખ તરીકે નિયુક્ત
- જ્યાં સુધી મેદાન પર Lionel Messi હાજર છે, આર્જેન્ટિનાની આશા જીવંત છે
- ‘Falkland અમારૂં છે’: Argentinaએ લહેરાવ્યું બેનર, થયો વિવાદ
- જેને 19 વર્ષ પહેલાં ખોળામાં રમાડ્યો, નવડાવ્યો, તેની જ સાથે Finalની `જંગ’
Author: Vikram Raval
તા.16-07-2026 ગુરુવાર તિથિ દ્વિતિયા (બીજ) – ૦૮ઃ૫૫ઃ૨૯ સુધી નક્ષત્ર આશ્લેષા – ૧૯ઃ૫૩ઃ૧૯ સુધી કરણ કૌલવ – ૦૮ઃ૫૫ઃ૨૯ સુધી, તૈતુલ – ૧૯ઃ૩૮ઃ૧૧ સુધી પક્ષ શુક્લ યોગ સિદ્ધિ – ૨૫ઃ૨૨ઃ૧૭ સુધી વાર ગુરુવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૦૩ઃ૦૨ સૂર્યાસ્ત ૧૯ઃ૨૭ઃ૪૫ ચંદ્ર રાશિ કર્ક – ૧૯ઃ૫૩ઃ૧૯ સુધી ચંદ્રોદય ૦૭ઃ૫૪ઃ૦૦ ચંદ્રાસ્ત ૨૧ઃ૧૪ઃ૦૦ ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮ પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૧ મહિનો પૂર્ણિમાંત અષાઢ મહિનો અમાંત અષાઢ દિન કાળ ૧૩ઃ૨૪ઃ૪૨ અશુભ સમય દુર મુહુર્ત ૧૦ઃ૩૧ઃ૧૭ થી ૧૧ઃ૨૪ઃ૫૬ ના, ૧૫ઃ૫૩ઃ૧૦ થી ૧૬ઃ૪૬ઃ૪૯ ના કુલિક ૧૦ઃ૩૧ઃ૧૭ થી ૧૧ઃ૨૪ઃ૫૬ ના દુરી / મરણ ૧૫ઃ૫૩ઃ૧૦ થી ૧૬ઃ૪૬ઃ૪૯…
તા.16-07-2026 ગુરુવાર મેષ આજે જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરી માં અટવાયેલી હોય તો તે ઉકેલાઈ શકે છે અને તમે વિજયી થયી શકો છો સાથે તમને ધન લાભ થયી શકે છે. તમારી મદદની જરૂર હોય એવા મિત્રની મુલાકાત લેજો. જે લોકો છેલ્લા કેટલાક દિવસો થી ખૂબ જ વ્યસ્ત હતા, તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે એવા કોઈક નો ફોન આવી શકે છે જેની સાથે તમે લાંબા સમય થી વાત કરવા માંગતા હતા. ઘણી જૂની યાદો તાજી થઈ જશે અને તમે સમય માં પાછા જશો. વૃષભ આજે તમારા જીવનને હળવાશથી લેતા નહીં, જીવનની દરકાર જ સાચી…
New Delhi,તા.૧૫ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે દિલ્હીના જંતર મંતર પર અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકનો કેસ દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો છે. આબોહવા કાર્યકર્તા સોનમ વાંગચુક ૨૮ જુલાઈથી ભૂખ હડતાળ પર છે. સોનમ વાંગચુકની ભૂખ હડતાળ અંગે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (પીઆઈએલ) દાખલ કરવામાં આવી છે. આ અરજીની સુનાવણી દિલ્હી હાઈકોર્ટમાં થઈ હતી. દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારને નોટિસ જારી કરીને આવતીકાલ સુધીમાં જવાબ આપવા જણાવ્યું હતું. હાઈકોર્ટ મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને ન્યાયાધીશ તેજસ કારિયાની બનેલી ડિવિઝન બેંચ સમક્ષ અરજીની સુનાવણી કરી રહી હતી. આ અરજી સામાજિક કાર્યકર અને વકીલ…
Anantnagતા.૧૫ શ્રી અમરનાથ યાત્રા ૨૦૨૬ એ ઇતિહાસ રચ્યો છે, અને દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. ૫૭ દિવસની આ યાત્રાના શરૂઆતના દિવસોમાં બરફ શિવલિંગ પીગળી ગયો હોવા છતાં, શ્રદ્ધાળુઓની સંખ્યા ઐતિહાસિક સ્તરે પહોંચી ગઈ છે. અમરનાથ યાત્રા દરમિયાન એક નવો રેકોર્ડ સ્થાપિત થયો છે, જેમાં માત્ર ૧૨ દિવસમાં ૩,૦૦,૦૦૦ થી વધુ યાત્રાળુઓએ ’બાબા બર્ફાની’ ના દર્શન કર્યા. યાત્રાળુઓની સંખ્યામાં પાછલા વર્ષોની સરખામણીમાં ૩૭% નો વધારો થયો છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પવિત્ર અમરનાથ યાત્રામાં તેમના અમૂલ્ય યોગદાન બદલ તમામ અધિકારીઓ, સેવા પ્રદાતાઓ અને સ્વયંસેવકોની પ્રશંસા કરી. લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે તેમના સમર્પણ અને મહેનતે આ પવિત્ર યાત્રાને બાબા બર્ફાનીના દરેક…
New Delhi,તા.૧૫ ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસવાય કુરૈશીએ ચાલુ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) પ્રક્રિયા અંગે ચૂંટણી પંચની ટીકા કરી છે. તેમણે કહ્યું કે જીૈંઇ પ્રક્રિયા મતદાર યાદીમાંથી નામો દૂર કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે અને લોકશાહીને નુકસાન પહોંચાડે છે. તેમણે કહ્યું કે જીૈંઇ એ મુક્ત અને ન્યાયી ચૂંટણીઓની પ્રક્રિયાને અસર કરી છે. તેમના નવા પુસ્તક, “ઇન્ડિયા એન્ડ આઇઃ અ હન્ડ્રેડ મેમોરીઝ, નોટ અ મેમોઇર” ના વિમોચન પહેલા કુરેશીએ કહ્યું કે વર્તમાન એસઆઇઆર પ્રક્રિયા મતદાર યાદીમાંથી નામો દૂર કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે, જાણે કે ચૂંટણી પંચને વધુ નામો દૂર કરવા બદલ પુરસ્કાર આપવામાં આવશે. કુરેશીએ કહ્યું…
સુપ્રીમ કોર્ટના આ કડક પગલાથી સ્પષ્ટ થઈ ગયું છે કે જાતીય ગુનાઓના કેસોમાં ન્યાયિક અને પોલીસ સંવેદનશીલતા અંગે કોઈપણ પ્રકારની ઢીલ સહન કરવામાં આવશે નહીં. New Delhi,તા.૧૫ દેશની સર્વોચ્ચ અદાલતે જાતીય ગુનાના કેસોમાં સંવેદનશીલતા અંગે ખૂબ જ મહત્વપૂર્ણ નીતિ અને વહીવટી નિર્દેશ જારી કર્યો છે. સુપ્રીમ કોર્ટે પટના હાઈકોર્ટના તાજેતરના આદેશ પર ઊંડી નારાજગી વ્યક્ત કરી છે, જેમાં મહિલા પર બળજબરી કરવાના કૃત્યને “બળાત્કારનો પ્રયાસ” ગણવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેતા, ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે સ્પષ્ટ કર્યું કે જાતીય ગુનાઓ સંબંધિત કેસ નોંધવા અને સુનાવણી માટે અદાલતો અને પોલીસે નિર્ધારિત સંવેદનશીલતા માર્ગદર્શિકાનું…
Anand,તા.૧૫ આણંદ જિલ્લામાં પોલીસ વિભાગને શરમજનક સ્થિતિમાં મૂકે તેવી એક ગંભીર ઘટના સામે આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર પી.પી. વસાવા દારૂના નશામાં હોવાના આરોપ સાથે ઝડપાતા સમગ્ર પોલીસ બેડામાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. બેફામ કાર હંકારી અનેક અકસ્માત સર્જ્યાની ઘટનાએ લોકોમાં પણ ભારે રોષ ફેલાવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ પીઆઇ પી.પી. વસાવા બોરસદ વિસ્તારમાં કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે તેમણે પહેલા એક કારને ટક્કર મારી હતી. જોકે અકસ્માત બાદ તેઓ અટક્યા નહોતા અને કાર વધુ ઝડપે હંકારી આગળ નીકળી ગયા હતા. ત્યારબાદ વહેરા પાટિયા નજીક તેમની કાર બાઈક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બાઈક…
Rajkot,તા.૧૫ Rajkot મહાનગરપાલિકાની સફાઈ કામગીરીને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. રાજકોટ કામદાર યુનિયન દ્વારા કરવામાં આવેલી આરટીઆઇ બાદ સફાઈ કામદારોના કામના વિસ્તારને લઈને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. યુનિયનનો દાવો છે કે શહેરમાં કેટલાક સફાઈ કામદારો પાસેથી નિયમ કરતાં અનેક ગણું વધુ કામ લેવામાં આવી રહ્યું છે. માહિતી અધિકાર હેઠળ મળેલા જવાબમાં મનપાએ જણાવ્યું હતું કે, સરકારના નિયમ મુજબ એક સફાઈ કામદારને ૨૫૦ થી ૭૫૦ મીટર સુધીના વિસ્તારની સફાઈ કરવાની હોય છે. આ નિયમ કાયમી, કોન્ટ્રાક્ટ તેમજ મિત્ર મંડળ હેઠળના તમામ સફાઈ કામદારો માટે લાગુ પડે છે. જોકે, રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાના જણાવ્યા મુજબ,આરટીઆઇ બાદ જમીની હકીકત…
Surat,તા.૧૫ Suratના ચર્ચાસ્પદ નાસિરનગર ડિમોલિશન કેસમાં વધુ એક મહત્વપૂર્ણ વળાંક સામે આવ્યો છે. કેસમાં સસ્પેન્ડ કરાયેલા એન્જિનિયર સુજલ પ્રજાપતિએ ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું (એફિડેવિટ) દાખલ કરીને સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના દાવાને સમર્થન આપવા માટે ઉરટ્ઠંજછ ચેટ, કોલ રેકોર્ડ અને વીડિયો સહિતના દસ્તાવેજી પુરાવા પણ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. સુજલ પ્રજાપતિના એફિડેવિટ મુજબ, ૨૧ મેના રોજ મ્યુનિસિપલ કમિશનર તરફથી વોટ્સએપ પર આ જલ્હી પુરૂ કરો એવો સંદેશ મોકલવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે “જી સર” લખીને સૂચનનો સ્વીકાર કર્યો હોવાનું દાવામાં જણાવાયું છે. દાવા મુજબ, ૨૯ મેના રોજ રોડ સરફેસ સંબંધિત પીડીએફ…
Ahmedabad,તા.૧૫ ગુજરાતમાં આગામી અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વને લઈને રાજકીય અને ધાર્મિક ઉત્સાહ બમણો થવા જઈ રહ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અષાઢી બીજના પવિત્ર દિવસે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પોતાના આ ટૂંકા અને અત્યંત મહત્વપૂર્ણ પ્રવાસ દરમિયાન તેઓ ધાર્મિક ઉત્સવમાં સહભાગી થવાની સાથે-સાથે ભાજપ સંગઠન અને રાજ્ય સરકારના ઉચ્ચ પદાધિકારીઓ સાથે એક હાઈપ્રોફાઈલ બેઠક પણ યોજવાના છે. દર વર્ષની પરંપરા અનુસાર, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અષાઢી બીજની વહેલી સવારે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરે પહોંચશે. રથયાત્રાના આ મંગલ અવસરે તેઓ વહેલી સવારે ભગવાન જગન્નાથજીની ભવ્ય મંગલા આરતીમાં સહપરિવાર ભાગ લેશે અને દેશ તથા રાજ્યની…
