- Surat: ટેક્સટાઈલ વેપારના બહાને ૧.૨૮ કરોડનું જોબવર્ક કરાવી ત્રિપુટી ફરાર
- Gujarat માં લોકરક્ષકની ૩૦૦૦ જગ્યાઓ પર થશે ભરતી
- Rajkot ના મનહરપૂરના યુવકનો અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત
- 30 ઓગસ્ટનું પંચાંગ
- 30 ઓગસ્ટનું રાશિફળ
- Baba Ramdev ઝેન જી ઉપર કહ્યું કે તેઓ સ્વતંત્રતાના નારા લગાવે છે અને તેમના બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડના ગુલામ છે
- ‘Mindful Naxalites ઓ’ પર પીએમને આરએસએસનું સમર્થન, આયોજકે સોનિયા ગાંધીના એનએસી પર પ્રશ્નો ઉઠાવ્યા
- MMDR Bill પર વિવાદઃ ’ઓડિશાની ભાવિ પેઢીઓનો વિચાર કરો,પટનાયકે નારાજગી વ્યક્ત કરી
Author: Vikram Raval
પ્લેટફોર્મ નં. ૧ પર પથ્થર વડે હુમલામાં ગંભીર ઘવાયેલા ભુપેન્દ્રનું સારવાર દરમિયાન મોત; સલાઉદીન માજોઠી અને અક્રમ માંજોઠીની ધરપકડ કરી જેલહવાલે કરાયા (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૯ જામનગર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. ૧ પર તા. ૧૯ ઓગસ્ટની રાત્રે થયેલા જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ભુપેન્દ્ર નામના યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં સમગ્ર બનાવ હત્યામાં ફેરવાયો છે. બનાવ અંગે જામનગર રેલવે પોલીસે તપાસ તેજ કરી હુમલામાં સંડોવાયેલા સલાઉદીન માંજોઠી અને અક્રમ માંજોઠી નામના બે આરોપીઓને ઝડપી લઈ જેલહવાલે કર્યા છે. તેમજ ભુપેન્દ્રના મોતને પગલે કેસમાં હત્યાની કલમનો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ ફરિયાદ મુજબ જામનગરમાં ગેસના ચૂલા…
જીજ્ઞેશ પટેલ દ્વારા Manavadar તા.૨૯ Manavadar પોલીસે વાડસડા ગામેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક ફરાર થઈ ગયો છે. પોલીસે મોટરસાઇકલ અને મોબાઈલ સહિત કુલ રૂ. ૭૩,૩૨૫/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સુરેશ ગરચર, વિક્રમભાઈ કડછા અને રમેશભાઈ ગલને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. માણાવદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એમ.ડી. ચૌધરીની સૂચના અને પીએસઆઈ ડી.કે. ઝાલાના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસ મુજબ, આરોપી રાકેશભાઈ મગનભાઈ માકડીયા (રહે. વાડસડા, તા. માણાવદર) પોતાની હોન્ડા મોટરસાઇકલ (નંબર -૧૧–૧૯૫૯)…
Jaipur,તા.૨૯ ભાજપ રાજસ્થાન મ્યુનિસિપલ ચૂંટણી માટે નવી રણનીતિ પર વિચાર કરી રહી છે. આ યોજના હેઠળ, પાર્ટી કાર્યકરોમાં અસંતોષ દૂર કરવા અને બળવાખોરોને કોઈ તક ન આપવા માટે ઉમેદવારોના નામ જાહેર કરશે નહીં. અહેવાલો અનુસાર, આ વખતે પાર્ટીએ ઉમેદવારોને સીધા જિલ્લા કાર્યાલયમાં બોલાવીને પ્રતીકો વહેંચવાની યોજના બનાવી છે. એવું જાણવા મળ્યું છે કે જ્યાં ઓપિનિયન પોલ હાથ ધરવામાં આવ્યો છે તે વિભાગોના મ્યુનિસિપલ ઇન્ચાર્જોને પ્રદેશ પ્રમુખ દ્વારા સહી કરેલા ખાલી પ્રતીકો આપવામાં આવ્યા છે અને મેદાનમાં મોકલવામાં આવ્યા છે. આ દરમિયાન, કોંગ્રેસમાં ઘણી જગ્યાએ, ઉમેદવારો અથવા રિટર્નિંગ અધિકારીઓને સીધા પ્રતીકો પહોંચાડવામાં આવશે. વિવાદના વિસ્તારોમાં, કાઉન્સિલર ઉમેદવારો માટે ટિકિટની જાહેરાત કરવાને…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૯ મોરબીમાં રાત્રિના સમયે પરપ્રાંતીય મજુરોને છરી બતાવી લૂંટ ચલાવતી અને લેબર ક્વાર્ટરમાંથી મોબાઈલની ચોરી કરતી ગેંગના ત્રણ સાગરીતોને મોરબી તાલુકા પોલીસની ટીમે ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, તીક્ષ્ણ છરી, રોકડ રકમ અને બાઈક સહિત કુલ ૭૫૩૦૦ નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાવની વિગતો અનુસાર, ભરતનગરથી ખોખરા હનુમાન તરફ જતા રોડ પર રાત્રિના સાડા અગીયારેક વાગ્યાના અરસામાં અજાણ્યા શખસોએ છરી બતાવી મારી નાખવાની ધમકી આપી ભય બતાવી બળજબરીપૂર્વક ૨ મોબાઈલ ફોન કિંમત ૧૦,૦૦૦ અને રોકડા ૧૦૦૦ ની લૂંટ ચલાવી હતી. આ ઉપરાંત, રંગપર જીવાપર ગામ તરફ જતા રોડ…
Kathmandu,તા.૨૯ નેપાળ પૂરમાં મૃત્યુઆંક વધીને ૬૨૬ થયો છે, જ્યારે ૨,૦૦૦ થી વધુ લોકો ગુમ છે. દરમિયાન, ચીનના રાજ્ય મીડિયા અનુસાર, તિબેટમાં ભૂસ્ખલનના કાટમાળથી બનેલા તળાવમાં પાણીનું સ્તર ફરી વધી રહ્યું છે. અહેવાલમાં જણાવાયું છે કે બીજી કાદવભંગ અથવા ભૂસ્ખલનનો ભય રહેલો છે. નેપાળ અને તિબેટ વચ્ચેની મુખ્ય જમીન સરહદ, ગિરોંગ બંદરની આસપાસ બચાવ કામગીરી માટે જવાબદાર ટીમે ડ્રોન તૈનાત કર્યા છે અને ઢોળાવ પર નજર રાખવા અને નજીકમાં કામ કરતા બચાવ કાર્યકરોને સમયસર ચેતવણી આપવા માટે નિરીક્ષણ પોસ્ટ્સ સ્થાપિત કરી છે. બીબીસી અનુસાર, સ્થાનિક પોલીસે અહેવાલ આપ્યો છે કે નેપાળમાં મૃત્યુઆંક વધીને ૬૨૬ થયો છે. આ અગાઉના ૫૭૯ મૃત્યુના અહેવાલથી…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૯ Morbi બી ડીવીઝન લગધીરગેટ ચોક પીસીઆર નંબર -૧૮–૨૯૮૩ ને એક મહિલાનો કોલ મળ્યો હતો જેમાં તેને પતિ સાથે ઝઘડો થતા સુસાઈડ કરે છે તેવો કોલ કર્યો હતો જેથી પોલીસ ટીમ તુરંત કામે લાગી હતી અને મહિલા કોઈ અનિચ્છનીય પગલું ભરે તે પૂર્વે પહોંચી જઈને મહિલાનો જીવ બચાવી લીધો હતો પોલીસ ટીમને કોલ મળતા તુરંત પીસીઆર રવાના કરી હતી અને કોલ લોકેશન વાળી જગ્યાએ પહોંચી હતી બાદમાં કોલરને કોલ કરતા ફોન ઉપાડતા ના હતા અને બાદમાં ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો હતો મહિલાએ પોતાનું નામ અને સરનામું જણાવ્યું ના હતું જેથી પોલીસ ટીમે વિસ્તારમાં શોધખોળ શરુ…
Islamabadતા.૨૯ જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અંગે સતત હોબાળો ચાલી રહ્યો છે. આ મુદ્દે પાકિસ્તાન સરકાર સતત ટીકાનો સામનો કરી રહી છે. દરમિયાન, ઇમરાન ખાનના પુત્રો, સુલેમાન અને કાસિમે એક ગંભીર દાવો કર્યો છે. તેમનો આરોપ છે કે પાકિસ્તાન સરકાર તેમના પિતા, ઇમરાન ખાનને મારી નાખવા માંગે છે. સુલેમાન અને કાસિમે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે પાકિસ્તાનમાં ઇમરાન ખાનને મારવાનો ખુલ્લેઆમ પ્રયાસ થઈ રહ્યો છે. હકીકતમાં, ઇમરાન ખાનના પુત્રો, સુલેમાન અને કાસિમે સ્કાય સ્પોર્ટ્સ પર પ્રસારિત એક ઇન્ટરવ્યુમાં ભાગ લીધો હતો. આ ઇન્ટરવ્યુ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇક આથર્ટન દ્વારા લેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે તાજેતરમાં,…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૯ સરતાનપર ગામની સીમમાં બાઈક ચલાવવા બાબતે બોલાચાલી કરી છ ઇસમોએ લાકડી વડે માર મારી યુવાન અને તેના પિતાને ઈજા કરી બાદમાં ફોન કરી ગાળો આપી લાકડી વડે માર મારી ઈજા કરી હતી મૂળ ઉત્તરપ્રદેશના વતની હાલ વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં મોટો સલીમ સિરામિકમાં રહીને કામ કરતા અભિષેક હુકમસિંગ રાજપૂત (ઉ.વ.૨૨) નામના યુવાને આરોપીઓ વિજય રઘુભાઈ ગોરાલીયા રહે ભીમગુડા, મુકેશ સુરેશ મગવાનીયા, વિષ્ણુ જુગા મગવાનીયા, મનહર સુરેશ મગવાનીયા અને જુગા વરસિંગ મગવાનીયા રહે પાંચેય રાતાવીરડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે સરતાનપર ગામની સીમમાં બાઈક ચલાવવા બાબતે બોલાચાલી કરી ગાળો આપી લાકડીઓથી માર મારી આરોપીઓ વિજય,…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૯ કણકોટ ગામે દીકરીને ભગાડી જઈને પ્રેમ લગ્ન કરવા મુદે બે પરિવારો બાખડ્યા હતા બંને પક્ષે સામસામે લાકડી ધોકા વડે મારામારી કર્યા બાદ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વાંકાનેર તાલુકાના કણકોટ ગામે રહેતા રમેશભાઈ નાથાભાઈ સારદીયા (ઉ.વ.૫૫) વાળાએ આરોપીઓ અરવિંદભાઈ ભવાનભાઈ મકવાણા, પંકજભાઈ અરવિંદભાઈ મકવાણા, નિલેષભાઈ અરવિંદભાઈ મકવાણા, અરવિંદભાઈનો આંગળીયાત દીકરો રવિ અને હકુભાઈ જેસિંગભાઈ સારદીયા રહે કણકોટ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાણેજ ગોવિંદભાઈ બાબુભાઈ સરવૈયાએ છએક મહિના પહેલા આરોપીની દીકરી આરતીબેન સાથે ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા જે બાબતે મનદુઃખ ચાલતું હતું જેનો ખાર રાખીને આરોપી અરવિંદભાઈએ ફરિયાદીના…
Norway,તા.૨૯ નોર્વેના રાજા હેરાલ્ડ પાંચમાનું શુક્રવારે ૮૯ વર્ષની વયે અવસાન થયું. તેમના અવસાન સાથે, તેમના પુત્ર, ક્રાઉન પ્રિન્સ હાકોન, સિંહાસન પર બેઠા અને હવે રાજા હાકોન તરીકે શાસન કરી રહ્યા છે. હેરાલ્ડ યુરોપના સૌથી વૃદ્ધ શાસક રાજા હતા. નોર્વેજીયન રોયલ પેલેસ અનુસાર, રાજા હેરાલ્ડ પાંચમાએ શુક્રવારે સવારે ૬ઃ૩૫ વાગ્યે ઓસ્લોની નેશનલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. નોર્વેજીયન સરકારે પણ તેમના મૃત્યુની પુષ્ટિ કરી. હેરાલ્ડે લગભગ ૩૫ વર્ષ સુધી નોર્વેના રાજા તરીકે સેવા આપી. હેરાલ્ડે રાજાશાહીને આધુનિક બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમની વધતી ઉંમર હોવા છતાં, તેમણે તાજેતરના વર્ષોમાં રાજગાદી છોડી દેનારા અન્ય યુરોપિયન રાજાઓથી વિપરીત, રાજગાદી છોડી ન દેવાનું પસંદ કર્યું.…
