Lucknow તા.૯
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં Punjab National Bankની કરન્સી ચેસ્ટમાંથી ૧૭.૨૯ કરોડની નકલી ચલણી નોટો મેળવવાના સંબંધમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ એક બેંક કર્મચારીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ આરોપીની ઓળખ અમિત કુમાર તરીકે થઈ છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, અમિત કુમાર સહારનપુરમાં બેંકના કરન્સી ચેસ્ટના મેનેજર તરીકે પોસ્ટેડ હતા અને કેસ નોંધાયા પછીથી ફરાર હતા.એનઆઇએએ તેમની ધરપકડ કરી છે અને તપાસ આગળ ધપાવી છે.
એનઆઇએના જણાવ્યા અનુસાર, ૨૬ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ, સહારનપુર જિલ્લાના સદર બજાર પોલીસ સ્ટેશનને પંજાબ નેશનલ બેંકના કરન્સી ચેસ્ટમાંથી ૧૭.૨૯ કરોડની નકલી ભારતીય ચલણી નોટો મળી હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ, ઉત્તર પ્રદેશ પોલીસે કેસ નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન, ત્રણ બેંક કર્મચારીઓની કથિત સંડોવણી પ્રકાશમાં આવી હતી. તેમાં કરન્સી ચેસ્ટ મેનેજર અમિત કુમાર, સિનિયર ડિવિઝનલ મેનેજર રવિ કુમાર કાસે અને કરન્સી ચેસ્ટ મેનેજર સુશીલ શર્માનો સમાવેશ થાય છે. આ કેસમાં ત્રણેય કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
શરૂઆતમાં આ કેસ ઉત્તર પ્રદેશ પોલીસના નિયંત્રણ હેઠળ હતો, પરંતુ એનઆઇએએ ૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ તપાસ સંભાળી. ત્યારબાદ, કેન્દ્રીય એજન્સીએ તપાસ વધુ તીવ્ર બનાવી અને ફરાર આરોપી અમિત કુમારની ધરપકડ કરી.
એનઆઇએએ જણાવ્યું છે કે સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરવા અને અન્ય સહ-આરોપીઓને પકડવા માટે તપાસ ચાલુ છે. એજન્સી એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે કે આટલી મોટી માત્રામાં નકલી નોટો કરન્સી ચેસ્ટમાં કેવી રીતે પહોંચી અને આ સમગ્ર નેટવર્કમાં કોણે ભૂમિકા ભજવી.
કરન્સી ચેસ્ટમાંથી ઇમ્ૈં ના જયપુર કરન્સી ચેસ્ટમાં ૧૧.૫૦ કરોડ મોકલવામાં આવ્યા ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો. ગણતરી દરમિયાન, આશરે ૪.૩૦ લાખ ગુમ થયા હોવાનું જાણવા મળ્યું. ત્યારબાદ, રિઝર્વ બેંકે તપાસ શરૂ કરી. તપાસમાં બહાર આવ્યું કે પાર્ટ-ટાઇમ હાઉસકીપર વિશાલ કુમાર કથિત રીતે નોટોના બંડલમાંથી પૈસા કાઢવામાં સામેલ હતો. સીસીટીવી ફૂટેજ પણ તપાસનો એક ભાગ છે. તેની સામે ચોરીનો કેસ નોંધવામાં આવ્યો છે. તે જ સમયે, નકલી ચલણ કેસમાં ત્રણ બેંક મેનેજરો સામે પણ કેસ નોંધવામાં આવ્યો હતો અને બેંક દ્વારા તેમના સસ્પેન્શનની માહિતી આપવામાં આવી હતી.

