Junagadh તા.9
નાગઢ-વેરાવળ હાઈવે પર માળીયાહાટીનાનાં ભંડુરી ગામ પાસે આજે બે મોટર કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા પરીક્ષા આપવા જઈ રહેલા પાંચ વિદ્યાર્થી સહિત સાત લોકોના મૃત્યુ થયાનો કરૂણ બનાવ બન્યો છે. આ અકસ્માત બાદ બાટલો ફાટતા બન્ને સીએનજી કાર સળગી ગઈ હતી અને તે પૈકીની એક કાર નજીકમાં ઝુંપડામાં ઘુસી ગઈ હતી.
આ બનાવમાં મોડે સુધી મૃતકોની ઓળખ થઈ નથી. પરંતુ પોલીસ સહિતના તંત્રએ સ્થળ પર પહોંચી આગ કાબુમાં લેવડાવી છે. અકસ્માત બાદ કાર લોક થઈ જતા કોઈ વ્યકિત બહાર નીકળી શકયા ન હતા. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે માળીયા હાટીનાની હોસ્પિટલે ખસેડાયા છે.
એક કાર ડીવાઈડર કુદીને સામેથી આવતી બીજી કાર સાથે અથડાતા અકસ્માત થયો હતો અને ફાયર તથા એમ્બ્યુલન્સ ટીમે પોલીસ સાથે દોડી મૃતકોને હોસ્પિટલે ખસેડયા હતા. બનાવની જાણ થતા સ્થળ પર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.
આ કરૂણ બનાવની વિગત મુજબ માળીયાના ભંડુરી ગામ નજીક બે કાર સામ સામે અથડાતા પાંચ વિદ્યાર્થીઓ સહિત 7ના મોત થયા હતા. કાર ડીવાઈડર ડેકીને રોંગ સાઈડમાં કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાંની કાર રોડની સાઈડમાં ઝુંપડા બાંધીને રહેતા પરપ્રાંતિયના ઝુંપડા સળગ્યા હતા. એક બાળકી દોડીને બહાર નીકળી ગઈ હતી. બન્ને કાર ગેસ કીટની હોવાની ચર્ચા ઉઠી છે.
આજે વહેલી સવારે સાત સાડા સાતના સુમારે માળીયા હાટીનાનાં ભંડુરી ગામ નજીક બે કાર વચ્ચેના અકસ્માતમાં 7 શખ્સોના મોત નોંધાયા છે. રોડની બાજુમાં સાઈડ ઉપર ઝુંપડા બાંધીને રહેતા પરપ્રાંતિય મજુરોના ઝુંપડા સળગી જવા પામ્યા છે. જેમાં એક દિકરી દોડીને બહાર નીકળી જતા બચી જવા પામી હતી.
મળતી વિગત મુજબ શેરીયાખાણુ અને જાડુના ગામના રહેતા શખ્સો એક હોન્ડાઈ કાર અને સેલરીયા ગાડી વચ્ચેના અકસ્માતમાં એક ગાડી કેશોદ તરફથી પુરપાટ ઝડપે આવી રહી હતી જયારે એક કાર ચોરવાડ તરફથી આવી રહી હતી. ત્યારે ભંડુરી ગામ નજીક પુલ પાસેના વળાંકમાં સેલરીયા કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા વળાંક ન લઈ શકતા ડીવાઈડર ટપીને કાર હોન્ડાઈ કાર સાથે ધડાકારભેર અથડાતા બન્ને કારમાં આગ લાગી જવા પામતા બન્ને કાર સળગી ઉઠી હતી.
સેલરાઈ કાર રોડ પરની નીચે ઉતરીને રોડની સાઈડમાં ઝુંપડા બાંધીને રહેતા પરપ્રાંતિય મજુરોના ઝુંપડામાં આગ લાગી જવા પાપતા શ્રમજીવીઓ જીવ બચાવીને નીકળી ગયા હતા. અંદર સુતેલ એક દિકરી મહામહેનતે તેનો જીવ બચાવીને બહાર નીકળી જવા પામી હતી. ઝુંપડા બળીને ખાખ થઈ જવા પામ્યા હતા. બનાવમાં ઘટના સ્થળે પાંચ વિદ્યાર્થીઓ સહિત 7ના કરૂણ મોત થવા પામ્યા છે.
ઘટના સ્થળે માળીયા પીએસઆઈ સુમરા પીએસઆઈ માંગરોળ ડીવાયએસપી કોડીયાતર સહિતના પહોંચી ગયા છે. એસપી હર્ષદ મહેતા સતત જાત માહિતી મેળવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માત થયેલ બન્ને કાર ગેસની કીટ વાળી હોવાના કારણે આગ લાગી જવા પામતા ભડથું થઈ જવા પામી છે.
અકસ્માતમાં હૃતભાગી મૃતકોના નામ
માળીયાના ભંડુરી ગામ નજીક બે કાર નં. જીજે 11 સીડી 3064 અને જીજે 11 એચ 4416 ટકરાઈ સળગી જતા રાજકોટના એક વ્યકિત સહિત 7નાં મોત થયા છે.
(1) વિનુ દેવશીભાઈ વાળા (ઉ.35) રે. જાનુડા (માળીયા)
(2) નિકુલ વિક્રમભાઈ કુવાડીયા (ઉ.25) (રે. માણેકવાડા તા.કેશોદ)
(3) ઓમ રજનીકાંત મંગરા (રે. સોમનાથ સોસાયટી તુલસીનગર રાજકોટ)
(4) રાજુ કાનજીભાઈ ખુંટણ (ઉ.40) (રે. ડાભોર તા.વેરાવળ) ધરમ વિજયભાઈ ગોલ (રે.જુનાગઢ).