Junagadh તા.10
માળીયાહાટીનાનાં ભંડુરી નેશનલ હાઈવે ફોર ટ્રેક પર ગઈકાલે સવારે 7-30 કલાકે બનેલી ઘટનામાં કાર ડીવાઈડર કુદીને સામેથી આવી રહેલ કારમાં બે સહિત બન્ને કારના મળી કુલ સાતના કમકમાટી ભર્યા મોત નોંધાયાના મામલે માળીયાના જાનુડા ગામે રહેતા લખમણભાઈ રાજાભાઈ વાળા (ઉ.46) એ માળીયા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
જેમાં આરોપી હુંડાઈ કાર નં. જીજે 11 એસ 446ના ચાલકે પોતાના હવાલા વાળી કાર બેફામ પુરઝડપે ચલાવી બેદરકારી રાખી માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવી ડીવાઈડરને ઠેકાડી દઈ સામેથી આવે રહેલ વિનુભાઈની સફેદ કાર મારૂતી સુઝુકી કંપનીની નં. જીજે 11 સીડી 3064 વાળી સાથે ધડાકાભેર અથડાવી દઈ વિનુભાઈ તથા રાજુભાઈ બન્નેના મોત નીપજાવેલ તેમજ હુંડાઈ કારમાં સવાર પાંચ મળી કુલ સાત લોકોના કમકમાટી ભર્યા મોત નિપજયા હતા. જેની તપાસ માળીયા મહિલા પીએસઆઈ એસ.આઈ. સુમરાએ હાથ ધરી છે.
જુનાગઢ નેત્રમ શાખાના કેમેરામાં સવારે 6-59 કલાકે કાર નં. જીજે 11 એસ 4416 જુનાગઢ ઝાંઝરડા ચોકડીથી નીકળી હતી બાદ 31 મીનીટ બાદ અકસ્માત થવા પામ્યો હતો. જે ઝાંઝરડા ચોકડી જુનાગઢથી 60 કી.મી.નું અંતર કાપી કારની સ્પીડ 110થી 120ની ઝડપે દર મીનીટે બે કી.મી.નું અંતર કાપ્યું હતું. બીજીએ પણ હકીકત બહારવી છે કે બાટલો ફાટયો ન હતો પરંતુ રોડની સાઈડના ઝુંપડામાં તાપણું ચાલતુ હોય તેના લઈને સળગવાની ઘટના ઘટવા પામી હતી. કારમાંથી ઉછળીને મૃતદેહો ઝુંપડામાં પડયા હતા.
મૃતક ધરમ વિજયભાઈ ગોર જેના પિતા વિજયભાઈ ગોર આરટીઓમાં સર્વિસ કરે છે એકનો એક દિકરો હતો એક પુત્રી છે ધરમની માતાને ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ છે.
વિજયભાઈ ગોર (ધરાદેવ)એ મીત્ર સચીનભાઈ માવાણીની કાર જીજે 11 એસ 4416ની કાર દીકરા ધરમને પરીક્ષા આપવા ગળુ જતા હતા જેમાં ડ્રાઈવર તરીકે વજુભાઈ કરશનભાઈ રાઠોડ રે. જુનાગઢ વાળાને મોકલ્યા હતા કારમાં ધરમ વિજયભાઈ ગોર, નકુલ કુવાડીયા, પરીક્ષા આપવા ગળુ જતા હતા જયારે અક્ષત સમીરભાઈ દવે અને ઓમ રજનીકાંતભાઈ મુંગરા હોલીડે કેમ્પ ફરવા જતા હતા. ડ્રાઈવર વજુભાઈ કરશનભાઈ રાઠોડને સાથો મોકલ્યા હતા. જેઓ કારમાં પાછળ બેઠા હતા.