Mumbai, તા.22
અલનીનોનાં સ્થિત પ્રભાવ હેઠળ છેલ્લા 53 દિવસથી સ્થગીત થયેલુ નૈઋત્ય ચોમાસુ ફરી એકટીવ થઈ ગયુ છે. બિહાર અને મહારાષ્ટ્રમાં ચોમાસા પર લાગેલી બે્રક ખતમ થતા સાથે રફતાર પકડી લીધી છે. મુંબઈમાં ધમાકેદાર વરસાદ વરસ્યો હતો અને અનેક ભાગો જળબંબાકાર બન્યા હતા.
હવામાન વિભાગે એવો નિર્દેશ કર્યો હતો કે 8મી જુનથી સ્થગીત ચોમાસુ ફરી સક્રિય થઈ ગયુ છે. બિહાર-તેલંગાણા ઉપરાંત મહારાષ્ટ્રની પાંખ પણ સક્રિય થઈને આગળ વધવા લાગી છે.
લાંબા વખતથી ચોમાસામાં વિલંબને કારણે ભીષણ ગરમીનો સામનો કરી રહેલા મુંબઈગરાઓને રાહત થઈ હોય તેમ મુંબઈ ઉપરાંત આસપાસનાં ભાગોમાં ધમાકેદાર વરસાદ વરસ્યો હતો. એકાદ દિવસમાં નૈઋત્ય ચોમાસાને આગળ વધવા માટેના પરિબળો વધુ અનુકુળ બની જવાનું અનુમાન છે.
મુંબઈમાં આજે સવારથી અનેક ભાગોમાં ઝમાઝમ વરસાદ વરસ્યો હતો. અને અનેક માર્ગો જળબંબાકાર બન્યા હતા. અંધેરી સબેમા પણ પાણી ભરાયા હતા. મુંબઈ, પાલઘર, થાણે, રાયગઢ, રત્નાગીરી તથા સિંધુદુર્ગમાં તોફાની પવન સાથે વરસાદ થવાની શકયતા છે. પુના તથા આસપાસનાં ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.કોલ્હાપુર, સાંગલી, સતારા, સોલાપુરમાં પણ વ્યાપક વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે એમ કહ્યું કે, ચોમાસું સક્રિય થયુ છતાં ગતિ ધીમી છે. છતા આવતા બે દિવસમાં રફતાર પકડી લે તેવી સંભાવના છે. દરમ્યાન હવામાન વિજ્ઞાનીઓ એમ કહ્યુ કે સાનુકુળ પરિબળો સર્જાવાને પગલે ચોમાસું ઓડીશા, ઝારખંડ, બિહાર, છતીસગઢ તથા તેલંગાણાના વધુ જીલ્લાઓમાં આગળ વધી જશે.
પાટનગર દિલ્હીમાં જુલાઈના પ્રથમ સપ્તાહમાં પહોંચી શકે છે. બીજી તરફ દેશના પૂર્વોતર ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આસામ, મેઘાલય, અરૂણાચલ, પ્રદેશ સિકકીમ જેવા રાજયોમાં તેજ પવન સાથે જોરદાર વરસાદ છે.
હવામાન વિભાગ દ્વારા રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યુ ચે. આ સિવાય કેરળ, કર્ણાટક, તામીલનાડુ તથા તેલંગાણામાં પણ આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બીજી તરફ રાજસ્થાનમાં આંધી સાથે વરસાદ ખાબકયો હતો બરન જીલ્લામાં અઢી ઈંચ વરસાદ ખાબકયો હતો.જુનજુનમાં દોઢ ઈંચ પાણી વરસ્યુ હતું.

