Rajula, તા.14
દેશની શાન ગણાતા સાવજો માટે જંગલ બચાવવા અને સિંહ સંવર્ધન માટે કરોડો રૂપિયા રાજય સરકાર ખર્ચ કરી રહી છે પરંતુ અમરેલી જિલ્લામાં દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં જંગલમાં સિંહોના બદલે ઉદ્યોગને પ્રાધાન્ય આપતા હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે.
જાફરાબાદ તાલુકાના બાબરકોટ નજીક ખાનગી કંપની ઉધોગ માટે ધારી ગીર ડિવિઝન હેઠળ આવતા વનવિભાગ પાસેથી ખાનગી કંપનીને માઇનિંગ માટે 75 હેકટર જમીન આપવા માટેની હિલચાલ ચાલતી હતી પરંતુ હવે ટુક સમયમાં માઇનિંગ માટે જમીન સોંપવા માટેની તૈયારી ચાલી રહી હોવાનો વન વિભાગના કર્મચારીઓમા ગણગણાટ ચાલી રહ્યો છે. આ મુદ્દે ધારી ગીર પૂર્વ ડિવિઝન મારફતે અભિપ્રાય હકારાત્મક પોઝીટિવ આપ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.
વનવિભાગના ઉચ્ચ કક્ષાના અધિકારી દ્વારા દેશની શાન ગણાતા સાવજોની ચિંતા સુરક્ષા છોડી ઉધોગને સમર્થન આપવાની તૈયારી સામે રોષનો માહોલ સર્જાયો છે. આ ઘટના માં જો માઇનિંગ માટે જંગલ આપવામાં આવશે તો સિંહો સહિત વન્યજીવો ઉપર મોટી અસર પડશે સરકાર જંગલ બચાવી શકતી નથી અને જે બચ્યું છે તેને ઉધોગને આપવા માટેનો નિર્ણય કોણ કરે છે તેવા સવાલો ઉઠી રહ્યા છે.
જાફરાબાદના બાબરકોટમાં રિઝર્વ ફોરેસ્ટની જમીન ખાનગી કંપનીને માઈનિંગ માટે આપવાના મુદ્દે બાબરકોટના સરપંચે વિરોધ નોંધાવ્યો છે. જ્યારે ત્યાંના ધારાસભ્ય હિરાભાઈ સોલંકીએ તંત્ર પાસે આ મુદ્દાની તમામ વિગતો માંગી છે. પૂર્વ ધારાસભ્ય ગુજરાત મેરી ટાઈમ બોર્ડ કર્મચારી મહામંડળ ના અધ્યક્ષ શ્રી અંબરીષભાઈ ડેરે આ અંગે સરકારમાં રજૂઆત કરી સિંહોનું ઘર ન છીનવાઈ તે દિશામાં પ્રયાસ કરવા જણાવ્યું હતું.
પૂર્વ ન્યાયાધીશએ કાયદાની છણાવટ કરી જણાવ્યું હતું કે, જંગલની જમીનનો બિનવન હેતુ માટે ઉપયોગ કરવા પર કેન્દ્ર સરકારનો કડક અંકુશ છે.ભાજપના ધારાસભ્યએ સ્વીકાર્યું કે સિંહોનો વસવાટ છે,પૂર્વ ધારાસભ્ય અને બાબરકોટના સરપંચનો વિરોધ એક તો સિંહો માટે જંગલ ટુંકુ પડી રહ્યું છે. તેમાંય જંગલની જમીન અને તે પણ માઈનિંગ માટે આપવાની હિલચાલથી મોટો દાવાનળ ફાટી નીકળ્યો છે. વનતંત્રના અધિકારીએ કંપની ને જમીન આપવા મુદ્દે ખોટી વિગતો દર્શાવી તે ખુલ્લી પડી જતા સમગ્ર ગુજરાતમાં મોટો મુદ્દો બની ગયો છે.

