Amritsar, તા.16
અકાલ તખ્તના જથ્થેદાર જ્ઞાની કુલદિપસિંહ ગર્ગજે પંજાબના CM Bhagwant Mann ને ધાર્મિક કદાચારના દોષિત જાહેર કર્યા છે. તેમણે આ ફેસલો મુખ્યમંત્રી માન દ્વારા શિખ ગુરુઓના ચિત્રો પર શરાબ છાંટવાના કથિત વીડિયોના આધારે લીધો છે.
અકાલ તખ્તે માનને `ગુરૂ દોખી’ અને `ખાલસા પંથ’ વિરોધી ઠેરવી શિખ સમુદાયને તેમની સાથે સામાજિક અને ધાર્મિક સંબંધ સમાપ્ત કરવાની અપીલ કરી છે. અકાલ તખ્ત તરફથી એ જાહેરાત કરવામાં આવી છે કે પંજાબના બધા શિખ ધારાસભ્ય, પછી તે કોઇપણ પક્ષના હોય અને રાજ્ય મંત્રી મંડળના સભ્ય હોય, 29મી જુને અકાલ તખ્ત સમક્ષ હાજર થાય.
જથ્થેદાર તાની કુલદીપહિંસ ગર્ગજે કહ્યું છે એ બે સરકારી માન્યતા પ્રાપ્ત ફોરેન્સિક લેબોરેટરીની તપાસમાં આ વાઇરલ વીડિયો ના તો એઆઇથી બનાવાયો છે કે ના તો તેની સાથે કોઇ છેડછાડ થઇ છે. તેમના રિપોર્ટ મુજબ આ વીડિયો પુરી રીતે પ્રાકૃતિક અને વાસ્તવિક છે.
ઉલ્લેખનીય છે કે 15 જાન્યુઆરીએ પણ અકાલ તખ્ત સામે ભગવંત માન રજુ થયા હતા. તેમની સામે શિખ મર્યાદાઓને લઇને કથિત વાંધાજનક ટિપ્પણીનો આરોપ લગાવ્યો હતો.
ઉપરોક્ત મામલે કોંગ્રેસે મુખ્યમંત્રી માનના રાજીનામાની માંગ કરી છે અને કેજરીવાલને ઘેરીને સવાલો ઉઠાવ્યા છે.

