Mathura,તા.10
મથુરા ખાતે આવેલા શ્રી કૃષ્ણ જન્મસ્થાન અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ અંગે સાધુ-સંતોએ મોટી જાહેરાત કરી છે. મથુરામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન દેશભરમાંથી એકઠા થયેલા સંતોએ આગામી 6 ડિસેમ્બરના રોજ મથુરામાં ‘કારસેવા’ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.આ કાર્યક્રમ દરમિયાન સંતોએ “કૃષ્ણ લલ્લા હમ આયેંગે, મંદિર વહી બનાયેંગે” અને “રામ જન્મભૂમિ બાદ કાશી અને હવે મથુરાનો વારો છે” જેવા આક્રમક નારા લગાવ્યા હતા.સંતોના આ એલાન બાદ મથુરા અને તેની આસપાસના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વહીવટીતંત્ર અને પોલીસ અલર્ટ થઈ ગઈ છે.વિશાળ સંખ્યામાં સાધુ-સંતો આ આયોજનમાં સામેલ થયા હતા અને તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પ્રશાસનિક રોકટોક હોવા છતાં આંદોલન અટકશે નહીં. 6 ડિસેમ્બરની તારીખ અને કારસેવાની જાહેરાતે ઉત્તર પ્રદેશના રાજકારણમાં અને ધાર્મિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.

