New Delhi,તા.13
દેશમાં પેમેન્ટ પદ્ધતિમાં અત્યંત પ્રચલીત યુપીઆઈ સીસ્ટમ પર જંગી ખર્ચ થઈ રહ્યો છે તથા હવે સરકાર આ વ્યવસ્થાને પેઈડ-બનાવવા માટે તૈયારી કરી રહી છે પણ સરકાર તબકકાવાર આ સીસ્ટમને જે નાણાકીય ટેકો આપે છે તે પાછો ખેચવા યોજના બનાવી રહ્યું છે.
સરકારે આ માટે સંસદમાં યુપીઆઈ ચાર્જેબલ થઈ શકે તેવી સતા આપતો ખરડો મંજુર કરાવી લીધો છે પણ તેમાં રૂા.2000 સુધીના વ્યવહારો પર કોઈ ચાર્જ લાગશે નહી તેવી ખાતરી આપી છે. યુપીઆઈના ઓપરેટીવ ખર્ચ અંદાજે રૂા.20700 કરોડ જેવો હોવાનો રિપોર્ટ છે.
આ ખર્ચ હવે ઉપયોગકર્તાઓ પર લાદવા હાઈવેલ્યુ ટ્રાન્જેકશન પર ચાર્જનું માળખુ જાહેર ઝડપથી થાય તે મુદો સંસદીય સમીતી સમક્ષ છે અને તેમાં જણાવાયુ છે કે જો આ પ્રકારે સેવા આપતી કંપનીઓની નાણાકીય સ્થિતિ સદ્ધર નહી બનાવાય તો યુપીઆઈમાં સાયબર સિકયોરિટી, ફ્રોડ અટકાવવાના જરૂરી ફ્રેમવર્ક અને નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રકચરના રોકાણ પર અસર થશે.
દેશમાં દર મહિને 150 બીલીયન વ્યવહારો આ સીસ્ટમ મારફત થાય છે અને વધુ 6 કરોડ યુઝર્સ ઉમેરાશે. હવે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા ટુંક સમયમાં જ આ અંગેનું પેમેન્ટ સ્ટ્રકચર બનાવીને જાહેર કરશે.
જેમાં ચોકકસ રકમની મર્યાદા પરના જ વ્યવહારો પર ચાર્જ લેવાશે. જે ડેબીટ ક્રેડીટકાર્ડથી ઓછા હશે. જો કે એક વખત ચાર્જ નિશ્ચિત થાય કે તેના પર 18% જીએસટી પણ અમલી બની જવાની ધારણા છે.

