Vadodara,તા.10
સરકારે જંત્રીના ભાવ વધારો કરવાથી પ્રતાપ નગર સર્કલ પાસે આવેલા લકી એપાર્ટમેન્ટના રીડેવલપમેન્ટનું કામ અને ફ્લેટના માલિકોના દસ્તાવેજ નહીં થયા હોવાથી રહીશો અટવાઈ ગયા છે એટલું જ નહીં કોર્પોરેશન દ્વારા અવારનવાર લકી એપાર્ટમેન્ટ હાલતમાં થઈ ગયું હોવાથી ઉતારી લેવા નોટિસો પણ આપી છે પાણી ડ્રેનેજના કનેક્શન કાપવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે ત્યારે લોકો પરેશાન થયા છે. પ્રતાપનગર સર્કલ પાસે હજીરા નજીક અને ઓ.એન.જી.સી સામે આવેલા લકી એપાર્ટમેન્ટને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વારંવાર નિર્ભયતાની નોટિસ ફટકારી છે અને ઘરે-ઘરે ફરીને વ્યક્તિગત નોટીસ બજાવી હતી.
કોર્પોરેશન દ્વારા નોટિસો આપ્યા બાદ લકી એપાર્ટમેન્ટના રીડેવલપમેન્ટ માટેના પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા. જેમાં મકાન ખાલી કરી બિલ્ડર ભાડું આપે અને જે મકાનોના દસ્તાવેજ થયા નથી તે મકાનોના દસ્તાવેજ કરવાના બાકી છે જેથી વધુ જંત્રીના ભાવ થવાથી લોકોને બેવડો માર પડશે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જેથી રીડેવલપમેન્ટ પણ અટકી પડશે તેવી શક્યતાઓ રહેલી છે જેથી સ્થાનિક રહીશોની હાલત કફોડી બની છે. કોર્પોરેશન એક બાજુ જર્જરીત હાલત થવાથી પાણી ડ્રેનેજના કનેક્શન કાપવાની કાર્યવાહી કરશે તો બીજી બાજુ સરકારે જંત્રીના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. જેથી રી-ડેવલપમેન્ટની પ્રક્રિયા નહીં થાય તો લકી એપાર્ટમેન્ટના પાંચ ટાવર્સના 58 પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
લકી એપાર્ટમેન્ટના મંત્રી હસમુખ પાઠકે જણાવ્યું છે કે, કેટલાક લોકો પાસે મકાનના દસ્તાવેજ નથી તેથી અત્યારે જંત્રીમાં વધારો થવાથી સૌ પ્રથમ દસ્તાવેજની રકમ ભરવી પડે અને ત્યાર બાદ બિલ્ડરની શરતોને આધારે મકાન ખાલી કરવું પડે તો મકાન ભાડું જોઈએ ત્યારબાદ બિલ્ડર એક રૂમ વધારે આપે તો તેની રકમ ભરવી પડે અને નવી જંત્રીમાં વધારો થવાથી નવા દસ્તાવેજ કરવામાં પણ મોટી રકમ ભરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં કોર્પોરેશન દ્વારા લાઈટ પાણી અને ડ્રેનેજનું કનેક્શન કાંપવા માટે અધીરા બન્યા છે અને લકી એપાર્ટમેન્ટના કુલ પાંચ ટાવર્સના 58 પરિવાર સાથે બાળકો સાથે ક્યાં જાય તે સવાલ ઊભો થયો છે. સરકાર આ સંજોગોમાં લકી એપાર્ટમેન્ટને થોડી રાહત આપે તેવી સૌ રહિશોની માંગણી છે.