Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Aamir Khan-Gauri ધૂમધામની બદલે સાદગીથી લગ્ન કરશે

    June 22, 2026

    પ્રિયંકા ‘Varanasi’ ઉપરાંત એન્જલિના જોલી સાથે પણ સહયોગ કરશે

    June 22, 2026

    મહિનાઓની ડેટિંગ પછી Dhanush and Mrunal Thakur છૂટા પડયા

    June 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Aamir Khan-Gauri ધૂમધામની બદલે સાદગીથી લગ્ન કરશે
    • પ્રિયંકા ‘Varanasi’ ઉપરાંત એન્જલિના જોલી સાથે પણ સહયોગ કરશે
    • મહિનાઓની ડેટિંગ પછી Dhanush and Mrunal Thakur છૂટા પડયા
    • Anil Kapoor ની પુત્રી રિયાના 1.35 કરોડના ડાયમંડ ઇયરરિંગ્સ ચોરી
    • 80 વર્ષની ઉંમરે એકલવાયું જીવન જીવે છે ટીવી જગતની આ ફેમસ અભિનેત્રી Ushan Nadkarni
    • ‘Salman Khan કોઈ ભગવાન નથી જે મને રોકે!’, ફિલ્મ કાલા હિરનના ડિરેક્ટરે બાંયો ચડાવી
    • FIFA World Cup Norway star Erling હાલેન્ડે લખ્યું – મિશન ચાલું છે
    • FIFA World Cup જલવો બતાવવા માટે તૈયાર ફ્રાન્સનાં કેપ્ટન Kylian Mbappe
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»NPS scheme માં સ્વાસ્થ્ય વીમો લેવો કેમ અનિવાર્ય ?
    રાષ્ટ્રીય

    NPS scheme માં સ્વાસ્થ્ય વીમો લેવો કેમ અનિવાર્ય ?

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.10

    પેન્શન ફંડ નિયામક અને વિકાસ સત્તામંડળ એ પોતાની ખાસ પહેલ ‘એનપીએસ સ્વાસ્થ્ય’ના બીજા પાઇલટ તબક્કાને મંજૂરી આપી દીધી છે. નવા નિર્દેશો અનુસાર, આ યોજનામાં સ્વાસ્થ્ય વીમો લેવો અનિવાર્ય રહેશે.

    સાથે જ નવી વ્યવસ્થામાં રોકાણકારો માટે નિયમોને પહેલા કરતા વધુ અનુકૂળ અને લવચીક બનાવવામાં આવ્યા છે. આ યોજના એનપીએસ સભ્યોને હોસ્પિટલમાં દાખલ થવા અને ઓપીડીમાં થયેલા સારવારના ખર્ચની ભરપાઈ કરશે.

    PFRDAના નવા નિર્દેશો અનુસાર, એનપીએસ સ્વાસ્થ્ય એક સ્વૈચ્છિક પેન્શન યોજના છે, જેમાં ભારતનો કોઈપણ નાગરિક જોડાઈ શકે છે. આ યોજનામાં સ્વાસ્થ્ય વીમો લેવો જરૂરી કરી દેવામાં આવ્યો છે. એટલે કે દરેક રોકાણકારને સ્વાસ્થ્ય વીમા કવચ મળશે.

    વીમાની શરતો સંબંધિત વીમા કંપની અને વીમા નિયામક ઇરડાના નિયમો અનુસાર રહેશે. તેનું પ્રીમિયમ સીધું રોકાણકારના એનપીએસ ખાતામાંથી આંશિક ઉપાડ તરીકે કાપવામાં આવશે. આનાથી રોકાણકારને અલગથી વીમો ખરીદવાની જરૂર નહીં પડે અને પેન્શન ખાતાની સાથે જ સ્વાસ્થ્ય સુરક્ષા મળી જશે.

    નિયામકે જણાવ્યું છે કે આ યોજનામાં તમામ શરતો અને વીમા સાથે જોડાયેલી માહિતી પારદર્શક રીતે ગ્રાહકોને આપવામાં આવશે, જેથી તેમને સંપૂર્ણ જાણકારી રહે.
    શરૂઆતમાં આટલું રોકાણ જરૂરી

    આ યોજનામાં જોડાવા માટે ઓછામાં ઓછું 25,000 રૂપિયાનું પ્રારંભિક રોકાણ કરવું પડશે. ત્યારબાદ જ સભ્યો આનો લાભ લેવા માટે પાત્ર બનશે.

    ઈમરજન્સીની સ્થિતિમાં પૂરા પૈસા ઉપાડી શકાશે
    આ યોજનાની સૌથી ખાસ વાત એ છે કે ગંભીર બીમારી અથવા હોસ્પિટલમાં દાખલ થવાની સ્થિતિમાં રોકાણકારને પોતાનાં સંપૂર્ણ એનપીએસ ફંડમાંથી 100 ટકા રકમ ઉપાડવાની મંજૂરી આપવામાં આવશે. અત્યાર સુધી એનપીએસમાંથી આંશિક ઉપાડની જ સુવિધા હતી, પરંતુ નવી વ્યવસ્થામાં જો સારવારનો ખર્ચ વધારે હોય તો પૂરા પૈસા એકસાથે ઉપાડી શકાશે.

    રોકાણ અને રિટર્ન પર શું થશે અસર
    આ યોજનામાં જમા થયેલાં પૈસા પેન્શન ફંડ મેનેજર જ રોકાણ કરી શકે છે. આના પર બજાર અનુસાર રિટર્ન મળતું રહે છે. એટલે કે, જો તમે પૈસા નથી ઉપાડતા, તો તે નિવૃત્તિની બચતને વધારતું રહેશે.

    આવી રીતે વીમા ક્લેમની પતાવટ થશે
    જ્યારે પણ ફંડમાંથી આંશિક કે પૂરી રકમ ઉપાડવામાં આવશે તો તે સીધી સંબંધિત હોસ્પિટલ અથવા વીમા કંપની કે એજન્સીને મોકલવામાં આવશે જેથી સારવારમાં વિલંબ ન થાય. સારવાર પછી જો કંઈક પૈસા વધે છે, તો તે રોકાણકારના ખાતામાં પાછા જમા કરી દેવામાં આવશે.

    ખાતામાં 50 હજાર રૂપિયા હોવા જરૂરી
    એનપીએસ સભ્યો પોતાના ફંડનો 25 ટકા હિસ્સો ગમે ત્યારે મેડિકલ જરૂરિયાતો માટે ઉપાડી શકે છે. ખાસ વાત એ છે કે આના પર કોઈ વેઇટિંગ પિરિયડ નથી. બસ પહેલીવાર પૈસા ઉપાડવા માટે ખાતામાં ઓછામાં ઓછા 50,000 રૂપિયા હોવા જરૂરી છે.

    NPS scheme
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    Team India સામે અફઘાનિસ્તાનનું સરન્ડર, ચેપોક વનડેમાં 9 વિકેટથી જીત, યશસ્વીની સદી

    June 20, 2026
    અન્ય રાજ્યો

    Maharashtra: પરભણીમાં નિર્માણાધીન મંદિરના સભાખંડનો થાંભલો તૂટી પડ્યો, ૫ લોકોના મોત

    June 20, 2026
    અન્ય રાજ્યો

    મંત્રીઓ ફરિયાદો સાંભળવા માટે દરેક તાલુકાની મુલાકાત લેશે: Karnataka CM DK Shivakumar

    June 20, 2026
    રાષ્ટ્રીય

    TMC નેતાઓએ લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરી

    June 20, 2026
    આંતરરાષ્ટ્રીય

    Pakistan એક પછી એક વિસ્ફોટોથી હચમચી ગયું, સાત લોકોના મોત

    June 20, 2026
    મુખ્ય સમાચાર

    Georgia Maloneyએ Donald Trumpને ઠપકો આપ્યો

    June 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Aamir Khan-Gauri ધૂમધામની બદલે સાદગીથી લગ્ન કરશે

    June 22, 2026

    પ્રિયંકા ‘Varanasi’ ઉપરાંત એન્જલિના જોલી સાથે પણ સહયોગ કરશે

    June 22, 2026

    મહિનાઓની ડેટિંગ પછી Dhanush and Mrunal Thakur છૂટા પડયા

    June 22, 2026

    Anil Kapoor ની પુત્રી રિયાના 1.35 કરોડના ડાયમંડ ઇયરરિંગ્સ ચોરી

    June 22, 2026

    80 વર્ષની ઉંમરે એકલવાયું જીવન જીવે છે ટીવી જગતની આ ફેમસ અભિનેત્રી Ushan Nadkarni

    June 22, 2026

    ‘Salman Khan કોઈ ભગવાન નથી જે મને રોકે!’, ફિલ્મ કાલા હિરનના ડિરેક્ટરે બાંયો ચડાવી

    June 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Aamir Khan-Gauri ધૂમધામની બદલે સાદગીથી લગ્ન કરશે

    June 22, 2026

    પ્રિયંકા ‘Varanasi’ ઉપરાંત એન્જલિના જોલી સાથે પણ સહયોગ કરશે

    June 22, 2026

    મહિનાઓની ડેટિંગ પછી Dhanush and Mrunal Thakur છૂટા પડયા

    June 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.