New Delhi,તા.15
જાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ પહેલા એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મોટો વિવાદ સર્જાયો છે. પંજાબના બોલર અર્શદીપ સિંઘે મુંબઈના બેટર તિલક વર્મા પર કરેલી એક ટિપ્પણી બાદ મેદાન પર ગરમાવો જોવા મળ્યો હતો.સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં તિલક વર્મા ક્યાંક જઈ રહ્યા હતા ત્યારે અર્શદીપ સિંઘે તેમને અટકાવ્યો હતો. અર્શદીપે તિલકને ‘ઓય અંધેરે’ કહીને પોતાની પાસે બોલાવ્યો હતો અને વધુમાં મજાક કરતા પૂછ્યું હતું કે, ‘તે સનસ્ક્રીન નથી લગાવ્યું?’ જોકે, તે સમયે તિલક વર્માએ કોઈ પ્રતિક્રિયા આપી નહોતી, પરંતુ મેદાનમાં ઉતરીને તેમણે અનોખી રીતે આ ટિપ્પણીનો બદલો લીધો હતો.પંજાબ સામેની મેચમાં તિલક વર્માએ માત્ર 33 બોલમાં 75 રનની આક્રમક ઇનિંગ રમી હતી, જેમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. મેચ જીતાડ્યા બાદ તિલકે પોતાની ટી-શર્ટ ઊંચી કરીને અર્શદીપ સિંહ તરફ ઇશારો કર્યો હતો, જે જાણે અર્શદીપના ‘અંધેરે’ વાળા કમેન્ટનો સીધો જવાબ હોય તેવું લાગતું હતું.
તિલક વર્મા: 75 રન (33 બોલ)
વિલ જેક્સ: 25* રન (10 બોલ)
પરિણામ: મુંબઈએ 19.5 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી 6 વિકેટે વિજય મેળવ્યો.
આ હાર સાથે પંજાબ કિંગ્સની સતત આ પાંચમી હાર છે. તિલક વર્માની આ ઇનિંગે પંજાબની પ્લેઓફમાં પહોંચવાની આશાઓને ધૂંધળી કરી દીધી છે. હાલમાં પંજાબ 12 મેચમાં 13 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે, જ્યારે મુંબઈ 8 પોઈન્ટ સાથે નવમા સ્થાને છે.

