ભોગ બનનારને શ્રધ્ધાંજલિ સાથે જે તે મુખ્યમંત્રી રાહત ભંડોળમાં રૂપિયા ૪ લાખ સંવેદના સહાય અર્પણ
Kundheli તા. ૧
દેશમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા બિહાર ક્ષેત્રોમાં સર્જાયેલ પ્રાકૃતિક આપદામાં મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ સાથે રૂપિયા ૪ લાખ સંવેદના સહાય અર્પણ થઈ છે.
છેલ્લાં પખવાડિયા દરમિયાન દેશમાં ઘણાં ભાગોમાં વાવાઝોડાની સ્થિતિમાં વરસાદ સાથે પૂર તેમજ વીજળી પડવાથી દુર્ઘટનાઓ સર્જાઈ છે, જેમાં ઘણાં મરણ થવા પામેલ છે. ભોગ બનનારના વારસદાર માટે શ્રી ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા રૂપિયા ૪ લાખ સહાય અર્પણ થઈ છે.
આ દિવસોમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા બિહાર ક્ષેત્રોમાં સર્જાયેલ પ્રાકૃતિક આપદામાં જીવ ગુમાવનારાઓને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી છે. આ સાથે ઉત્તરપ્રદેશમાં રૂપિયા ૨ લાખ, પશ્ચિમ બંગાળમાં રૂપિયા ૧ લાખ અને બિહારમાં રૂપિયા ૧ લાખ સંવેદના સહાયનો સમાવેશ થાય છે. આ રકમ જે તે રાજ્યમાં મુખ્યમંત્રી રાહત ભંડોળમાં મોકલવામાં આવી છે.

