Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreliના બગસરા પાસે સિંહણનો જીવલેણ હુમલોઃ ૭ વર્ષીય બાળકનું કરુણ મોત, ગ્રામજનોમાં રોષ

    June 12, 2026

    Junagadh કેશોદ તાલુકામાં ૪ સ્થળોએ જનકલ્યાણ શિબિર યોજાશે

    June 12, 2026

    Suratમાં ૫ દિવસથી ગુમ થયેલા યુવકનો કારમાંથી મૃતદેહ મળ્યો, દુર્ગંધ આવતા ભેદ ખુલ્યો

    June 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreliના બગસરા પાસે સિંહણનો જીવલેણ હુમલોઃ ૭ વર્ષીય બાળકનું કરુણ મોત, ગ્રામજનોમાં રોષ
    • Junagadh કેશોદ તાલુકામાં ૪ સ્થળોએ જનકલ્યાણ શિબિર યોજાશે
    • Suratમાં ૫ દિવસથી ગુમ થયેલા યુવકનો કારમાંથી મૃતદેહ મળ્યો, દુર્ગંધ આવતા ભેદ ખુલ્યો
    • Junagadh કૃષિ યુનિ.ના પરિતળાવ બોટનિકલ ગાર્ડન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
    • Jamnagarના બેડેશ્વર વિસ્તારમાં સાયચા ગેંગના ગેરકાયદેસર બાંધકામો ઉપર તંત્રનો બુલડોઝર,૧૬ કરોડની સરકારી જમીન દબાણમુક્ત
    • Panchmahalની ખૌફનાક મર્ડર મિસ્ટ્રીઃ દિયર પ્રેમીએ ભાભીને પામવા માટે ભાઈનું જ માથું છુંદ્યું
    • Upleta માં બેંક ઓફ બરોડાના મહિલા કેશિયરનો આપઘાત
    • ગીતામૃતમ્..જ્ઞાનરૂપી અગ્નિથી તમામ કર્મો ભસ્મ થઇ જાય છે.
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»ગીતામૃતમ્..જ્ઞાનરૂપી અગ્નિથી તમામ કર્મો ભસ્મ થઇ જાય છે.
    ધાર્મિક

    ગીતામૃતમ્..જ્ઞાનરૂપી અગ્નિથી તમામ કર્મો ભસ્મ થઇ જાય છે.

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 12, 2026No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વિનોદભાઇ માછી નિરંકારી

    હવે ભગવાન આગળના બે શ્ર્લોકો(૪/૧૯-૨૦)માં કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જોવાવાળા એટલે કે કર્મોનું તત્વ જાણવાવાળા સિદ્ધ કર્મયોગી મહાપુરૂષનું વર્ણન કરે છે. 

    યસ્ય સર્વે સમારમ્ભાઃ કામસંકલ્પવર્જિતાઃ

    જ્ઞાનાગ્નિદગ્ધકર્માણં તમાહુઃ પણ્ડિતં બુધાઃ 

    (યસ્ય-જેનાં, સર્વે-સંપૂર્ણ, સમારમ્ભાઃ-કર્મોનો આરંભ, કામસંકલ્પ-કામના કે સંકલ્પ, વર્જિતાઃ-વિનાના છે તથા, જ્ઞાનાગ્નિદગ્ધકર્માણં-જેનાં બધાંય કર્મોં જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયાં છે, તમ્-તે મહાપુરૂષને, બુધાઃ-જ્ઞાનીજનો પણ, પણ્ડિતં-પંડિત, આહુઃ-કહે છે.) 

    જેનાં સંપૂર્ણ કર્મોનો આરંભ કામના કે સંકલ્પ વિનાના છે તથા જેનાં બધાંય કર્મોં જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયાં છે તે મહાપુરૂષને જ્ઞાનીજનો પણ પંડિત કહે છે.

     ‘યસ્ય સર્વે સમારમ્ભાઃ કામસંકલ્પવર્જિતાઃ’ વિષયોનું વારંવાર ચિંતન થવાથી, તેમની વારંવાર યાદ આવવાથી તે વિષયોમાં ‘આ વિષય સારા છે, કામમાં આવનારા છે,જીવનમાં ઉપયોગી છે અને સુખ આપવાવાળા છે-એવી સમ્યક્ બુદ્ધિ થવી તેને ‘સંકલ્પ’ કહે છે અને ‘આ વિષય પદાર્થો અમારા માટે સારા નથી, હાનીકારક છે’-એવી બુદ્ધિ થવી એને ‘વિકલ્પ’ કહે છે. આવા સંકલ્પો અને વિકલ્પો બુદ્ધિમાં થતા રહે છે. જ્યારે વિકલ્પ દૂર થઇને ફક્ત એક સંકલ્પ રહી જાય છે ત્યારે ‘આ વિષયપદાર્થો અમને મળવા જોઇએ,આ અમારા થવા જોઇએ’-આ રીતે અંતઃકરણમાં તેમને પ્રાપ્ત કરવાની જે ઇચ્છા પેદા થઇ જાય છે તેને ‘કામના’ કહે છે. કર્મયોગથી સિદ્ધ થયેલા મહાપુરૂષમાં સંકલ્પ અને કામના બંન્નેય રહેતાં નથી. આથી તેમના દ્વારા જે કંઇ કર્મો થાય છે તે બધાં સંકલ્પ અને કામનાથી રહિત હોય છે.(ગીતાઃ૪/૧૯) 

    સંકલ્પ અને કામના-એ બંન્ને કર્મનાં બીજ છે. સંકલ્પ અને કામના ન રહેતાં કર્મ અકર્મ બની જાય છે એટલે કે કર્મ બાંધવાવાળાં બનતાં નથી. સિદ્ધ મહાપુરૂષમાં પણ સંકલ્પ અને કામના ન રહેવાથી તેમના દ્વારા થવાવાળાં કર્મો બંધનકારક બનતાં નથી, તેમના દ્વારા લોકસંગ્રહાર્થે કર્તવ્યપરંપરાની સુરક્ષા માટે તમામ કર્મો થવા છતાં પણ તે તે કર્મોથી આપમેળે બધી રીતે નિર્લિપ્ત રહે છે. સંકલ્પ કામનાઓનું કારણ છે અને કામના સંકલ્પોનું કાર્ય છે.સાધકે તમામ સંકલ્પો અને કામનાઓનો ત્યાગ કરી દેવો જોઇએ. 

    મોટરકારની ચાર અવસ્થાઓ હોય છે.કાર ગેરેજમાં ઉભી રહેતાં એન્જીન કે પૈડાં ચાલતાં નથી, કાર ચાલુ કરતાં એન્જીન ચાલે છે પણ પૈડાં ચાલતાં નથી, કારને ત્યાંથી રવાના કરતાં એન્જીન અને પૈડાં બંન્ને ચાલે છે, આપત્તિ વિનાનો ઢાળનો માર્ગ આવતાં એન્જીનને બંધ કરી દઇએ છતાં પૈડાં ચાલે છે.. 

    આ જ રીતે મનુષ્યની પણ ચાર અવસ્થા હોય છેઃ ન કામના હોય છે અને ન કર્મ થાય છે, કામના હોય છે પરંતુ કર્મ થતું નથી, કામના પણ હોય છે અને કર્મ પણ થાય છે, કામના નથી હોતી અને કર્મ થાય છે. કારની સૌથી ઉત્તમ ચોથી અવસ્થા એ છે કે એન્જીન ના ચાલે અને પૈડાં ચાલતાં રહે એટલે કે પેટ્રોલનો પણ ખર્ચ ના થાય અને રસ્તો પણ પસાર થઇ જાય, એવી જ રીતે મનુષ્યની સૌથી ઉત્તમ અવસ્થા એ છે કે કામના ન હોય અને કર્મો થતાં રહે, એવી અવસ્થાવાળા મનુષ્યને જ્ઞાનીજનો પંડિત કહે છે. 

    ‘સમારમ્ભાઃ’ પદનો એ ભાવ છે કે કર્મયોગ વડે સિદ્ધ મહાપુરૂષ દ્વારા દરેક કર્મ સુચારૂ રૂપથી, સાંગોપાંગ અને તત્પરતાપૂર્વક થાય છે. બીજો એક એ ભાવ પણ છે કે તેનાં કર્મો શાસ્ત્રસંમત હોય છે. તેના દ્વારા કરવા યોગ્ય કર્મો જ થાય છે. જેનાથી કોઇનું અહિત થતું હોય તેવું કર્મ તેનાથી ક્યારેય થતું નથી 

    ‘સર્વે’ પદનો એ ભાવ છે કે તેના દ્વારા થવાવાળાં તમામ કર્મો સંકલ્પ અને કામનાથી રહિત હોય છે.  કોઇપણ કર્મ સંકલ્પસહિત થતું નથી. સવારે ઉઠવાથી માંડીને સૂવા સુધી શૌચ, સ્નાન, ખાવું-પીવું, પૂજા-પાઠ, જપ-ચિંતન, ધ્યાન, સમાધિ વગેરે શરીર-નિર્વાહ સબંધી તમામ કર્મો સંકલ્પ અને કામનાથી રહિત જ હોય છે. 

    ‘જ્ઞાનાગ્નિદગ્ધકર્માણં’ કર્મોનો સબંધ શરીર-સંસાર સાથે છે, સ્વરૂપની સાથે નથી કેમકે કર્મોનો આરંભ અને અંત થાય છે પરંતુ સ્વરૂપ સદા જેમ છે તેમ રહે છે-આ તત્વને ઠીક-ઠીક જાણવું એને જ ‘જ્ઞાન’ કહેવાય છે. આ જ્ઞાનરૂપી અગ્નિથી તમામ કર્મો ભસ્મ થઇ જાય છે. 

    વાસ્તવમાં શરીર અને ક્રિયા-બેઉ સંસારથી અભિન્ન છે પરંતુ પોતે સર્વથા ભિન્ન હોવા છતાં પણ ભૂલથી એમની સાથે પોતાનો સબંધ માની લે છે. જ્યારે મહાપુરૂષનો પોતાના કહેવાતા શરીરની સાથે પણ કોઇ સબંધ રહેતો નથી ત્યારે જેવી રીતે સંસાર દ્વારા બધાં કર્મો થાય છે એવી જ રીતે તેમના કહેવાતા શરીર દ્વારા બધા કર્મો થાય છે. આ રીતે કર્મોથી નિર્લિપ્તતાનો અનુભવ થતાં તે મહાપુરૂષનાં વર્તમાન કર્મો જ નહી પરંતુ સંચિત કર્મો પણ સંપૂર્ણપણે નષ્ટ થઇ જાય છે. પ્રારબ્ધ કર્મો પણ કેવળ અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિના રૂપમાં તેની સામે આવીને નષ્ટ થઇ જાય છે પરંતુ ફળથી અસંગ હોવાના કારણે તે તેમનો ભોક્તા બનતો નથી એટલે કે સહેજપણ સુખી કે દુઃખી થતો નથી એટલા માટે પ્રારબ્ધકર્મો પણ માત્ર અસ્થાયી પરિસ્થિતિ ઉત્પન્ન કરીને નષ્ટ થઇ જાય છે. 

    ‘તમાહુઃ પણ્ડિતં બુધાઃ’ જે કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરીને પરમાત્મામાં લાગેલા છે તે મનુષ્યને સમજવો તો સુગમ છે પરંતુ જે કર્મોથી સહેજપણ લિપ્ત થયા વિના તત્પરતાપૂર્વક કર્મો કરી રહ્યા છે તેને સમજવો કઠીન છે.સંતોની વાણીમાં કહ્યું છે કે.. 

    ત્યાગી શોભા જગતમેં કરતા હૈ સબ કોઇ,

    હરિયા ગૃહસ્થી સંતકા ભેદી વિરલા હોય.. 

    સંસારમાં બહારથી ત્યાગ કરવાવાળા ત્યાગી પુરૂષનો મહિમા તો બધા ગાય છે પરંતુ ગૃહસ્થમાં રહીને બધાં કર્તવ્યકર્મો કરતો હોવા છતાં પણ જે નિર્લિપ્ત રહે છે તે અંદરનો ત્યાગ કરવાવાળા પુરૂષને સમજવાવાળો કોઇ વિરલો જ હોય છે. 

    જેવી રીતે કમળનું પાન જળમાં જ ઉત્પન્ન થઇને અને જળમાં રહેતું હોવા છતાં જળથી લિપ્ત થતું નથી તેવી જ રીતે કર્યયોગી કર્મયોનિ-મનુષ્યશરીરમાં જ ઉત્પન્ન થઇને અને કર્મમય જગતમાં રહીને કર્મો કરતો હોવા છતાં પણ લિપ્ત થતો નથી. કર્મોથી લિપ્ત ન થવું એ કોઇ સાધારણ બુદ્ધિમાનનું કામ નથી.  પાછળના શ્ર્લોકમાં ભગવાને એવા કર્મયોગીને ‘મનુષ્યોમાં બુદ્ધિમાન’ કહ્યો છે અને અહી કહ્યું છે કે તેને જ્ઞાનીજનો પણ પંડિત એટલે કે બુદ્ધિમાન કહે છે. ભાવ એ છે કે એવો કર્મયોગી પંડિતોનો પણ પંડિત અને જ્ઞાનીઓનો પણ જ્ઞાની છે. 

    ‘પંડિત’ શબ્દની આ બીજીવાર વ્યાખ્યા કરી છે. પ્રથમવાર બીજા અધ્યાય શ્ર્લોક-૧૧માં ‘ગતાસૂન ગતાસૂંશ્ચ નાનુશોચન્તિ પણ્ડિતાઃ એવી વ્યાખ્યા કરી હતી એટલે કે જે મરી ચુક્યા છે અને જે મરી જવાના છે તેમનો જે શોક ના કરે તેને પંડીત કહેવાય. હવે અહી પંડીતની બીજુ વ્યાખ્યા કરતાં કહે છે કે.. જેના બધા આરંભો કામના વિનાના હોય. કામના એટલે કામપ્રેરીત ન હોય તે. આપણી બધી પ્રવૃત્તિ કામવાસના પ્રેરીત થતી હોય છે. કામના વ્યાપક અર્થમાં લોભ, ક્રોઘ, ઇર્ષ્યા વગેરે બધુ આવી ગયું. આવા આવેગોથી જેની પ્રવૃત્તિ થતી નથી-પ્રવૃત્તિ તો થાય છે પણ આવેગો પ્રેરીત થતી નથી. આવેગો વિનાની પ્રવૃત્તિઓમાં જ્ઞાન એટલે કે સમજણની પ્રધાનતા રહે છે. આવા પુરૂષના બધા કર્મો જ્ઞાનાગ્નિથી બળી જતાં હોય છે.

    કર્મની બાબતમાં ત્રણ માન્યતાઓ છે.

    અવશ્ય ભોક્તવ્ય-કેટલાક કર્મયોગીઓ માને છે કે કર્મ તો ભોગવવાં જ પડે, ભોગવ્યા વિના છુટકારો થાય નહી. જેને મોક્ષ જોઇતો હોય તેણે કર્મોને તપ દ્વારા કષ્ટ વેઠીને ભોગવી લેવાં જોઇએ. કર્મનો રેશિયો ઝીરોએ પહોચે ત્યારે જ મોક્ષ થાય છે.

    ક્ષમાથી સમાપ્તિ-ઇશ્વર દયાળુ છે,ક્ષમા માંગો, પશ્ચાતાપ કરો તો કર્મોને ક્ષમા કરી દે છે અને

    જ્ઞાનાગ્નિથી બળી જવાં-જ્યારે જ્ઞાનરૂપી અગ્નિ પ્રગટે છે ત્યારે બધા કર્મો બળીને ખાખ થઇ જાય છે,  પછી કોઇ કર્મ બાકી રહેતું નથી તેથી મોક્ષ થાય છે. આવા જ્ઞાનીને પંડીત કહેવાય છે.

    વિનોદભાઇ માછી નિરંકારી

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    લેખ

    ઈરાન દ્વારા હોર્મુઝની સામુદ્રધુની બંધ કરવાથી ઉર્જા સુરક્ષા, વૈશ્વિક વેપાર, ફુગાવો અને આર્થિક સ્થિરતા

    June 12, 2026
    લેખ

    પ્રશ્ન ઉપનિષદ માં કબન્ધી કાત્યાયન નામનો શિષ્ય, ગુરુ પિપ્પલાદ ઋષિને શું પ્રશ્ન કરે છે!

    June 12, 2026
    લેખ

    તંત્રી લેખ…ફરી યુદ્ધ ફાટી નીકળ્યું

    June 12, 2026
    ધાર્મિક

    કર્મની ગતિ અતિ ગહન છે, સમજવી બહુ કઠીન છે

    June 11, 2026
    ધાર્મિક

    કૃષ્ણ કીર્તન વિના નર સદા સૂતકી! આ રચનામાં નરસિંહ “ગર્ભજોગી” શબ્દ કેમ પ્રયોજ્યો??

    June 11, 2026
    લેખ

    52nd G7 Summit, ફ્રાન્સ, ૧૫-૧૭ જૂન, ૨૦૨૬ – Modi-Trump ની સંભવિત મુલાકાત શું બદલી શકે છે?

    June 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Amreliના બગસરા પાસે સિંહણનો જીવલેણ હુમલોઃ ૭ વર્ષીય બાળકનું કરુણ મોત, ગ્રામજનોમાં રોષ

    June 12, 2026

    Junagadh કેશોદ તાલુકામાં ૪ સ્થળોએ જનકલ્યાણ શિબિર યોજાશે

    June 12, 2026

    Suratમાં ૫ દિવસથી ગુમ થયેલા યુવકનો કારમાંથી મૃતદેહ મળ્યો, દુર્ગંધ આવતા ભેદ ખુલ્યો

    June 12, 2026

    Junagadh કૃષિ યુનિ.ના પરિતળાવ બોટનિકલ ગાર્ડન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

    June 12, 2026

    Jamnagarના બેડેશ્વર વિસ્તારમાં સાયચા ગેંગના ગેરકાયદેસર બાંધકામો ઉપર તંત્રનો બુલડોઝર,૧૬ કરોડની સરકારી જમીન દબાણમુક્ત

    June 12, 2026

    Panchmahalની ખૌફનાક મર્ડર મિસ્ટ્રીઃ દિયર પ્રેમીએ ભાભીને પામવા માટે ભાઈનું જ માથું છુંદ્યું

    June 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreliના બગસરા પાસે સિંહણનો જીવલેણ હુમલોઃ ૭ વર્ષીય બાળકનું કરુણ મોત, ગ્રામજનોમાં રોષ

    June 12, 2026

    Junagadh કેશોદ તાલુકામાં ૪ સ્થળોએ જનકલ્યાણ શિબિર યોજાશે

    June 12, 2026

    Suratમાં ૫ દિવસથી ગુમ થયેલા યુવકનો કારમાંથી મૃતદેહ મળ્યો, દુર્ગંધ આવતા ભેદ ખુલ્યો

    June 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.