મંદિરમાં દાનમાં ગેરરીતિના આરોપોની સ્વતંત્ર, સુપ્રીમ કોર્ટ-નિરીક્ષણ હેઠળ તપાસ કરવાની માંગ
New Delhi,તા.૧૫
અયોધ્યા રામ મંદિરમાંથી દાન ચોરીનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને એક પત્ર અરજી મોકલવામાં આવી છે, જેમાં આ મામલાની સ્વતઃ સંજ્ઞાન લેવાની અને નિષ્પક્ષ કોર્ટ-નિરીક્ષણ હેઠળ તપાસની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વકીલ અનૂપ અવસ્થીએ આ અરજી મુખ્ય ન્યાયાધીશને સુપરત કરી હતી. પત્ર અરજીમાં અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં દાનમાં ગેરરીતિના આરોપોની સ્વતંત્ર, સુપ્રીમ કોર્ટ-નિરીક્ષણ હેઠળ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. પત્ર અરજીમાં જણાવાયું છે કે જનતાનો વિશ્વાસ જાળવી રાખવા માટે, હ્લૈંઇ દાખલ કરવી જોઈએ અને કોર્ટ-નિરીક્ષણ હેઠળ સ્વતંત્ર તપાસ હાથ ધરવી જોઈએ.
તાજેતરમાં, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે રામ મંદિરના પ્રસાદની ચોરીનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાયું છે. હવે, આ મામલાની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (એસઆઇટી)ની રચનાના સમાચાર સામે આવ્યા છે. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ રામ મંદિર ટ્રસ્ટને દાનમાં કથિત ગેરરીતિઓની તપાસ માટે એસઆઇટીની રચના કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે, તેને એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે.
અયોધ્યાના સર્કિટ હાઉસ ખાતે, નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું, “એસઆઇટીની રચના સરકારની તૈયારી દર્શાવે છે અને તે એક મહત્વપૂર્ણ પગલું છે.” દરમિયાન, ફૈઝાબાદથી સમાજવાદી પાર્ટીના સાંસદ, અવધેશ પ્રસાદે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રસ્ટના તમામ વર્તમાન સભ્યોને દૂર કરવાની માંગ કરી, કહ્યું કે તેઓ “તપાસને પ્રભાવિત કરશે”. પ્રસાદે રાજ્ય સરકાર દ્વારા રચાયેલી એસઆઇટી પર અવિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે આ મામલાની તપાસ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો દ્વારા થવી જોઈએ.
રામ મંદિર ચળવળના અગ્રણી નેતા અને ભૂતપૂર્વ ભાજપ સાંસદ વિનય કટિયારે કહ્યું કે ચોરીના કેસની તપાસ ચાલી રહી છે અને તે એક ગંભીર બાબત છે. તેમણે કહ્યું, “લોકોએ આ મંદિર માટે પોતાના જીવનું બલિદાન આપ્યું છે. અમારા જેવા લોકો, કલ્યાણ સિંહ (ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ) બધા જેલમાં ગયા. કલ્યાણ સિંહે ફક્ત મંદિરનું બાંધકામ શરૂ થાય તે માટે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વિનંતી પર ઉત્તર પ્રદેશ સરકારે શનિવારે ત્રણ સભ્યોની એસઆઇટીની રચના કરી. ટ્રસ્ટે તથ્યોની તપાસ કરવા અને ખોટી માહિતી અને રામ મંદિરની છબી ખરાબ કરવાના પ્રયાસોનો જવાબ આપવા માટે નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી.એસઆઇટીમાં લખનૌના ડિવિઝનલ કમિશનર વિજય વિશ્વાસ પંત, પોલીસ મહાનિરીક્ષક કિરણ એસ અને નાણાં વિભાગના વિશેષ સચિવ નીલ રતનનો સમાવેશ થાય છે.
જિલ્લા વહીવટીતંત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્રણ સભ્યોની એસઆઇટી રવિવારે મોડી સાંજે અયોધ્યાના સર્કિટ હાઉસ પહોંચી હતી. તપાસ પ્રક્રિયા સોમવારે સવારે શરૂ થવાની ધારણા છે. દરમિયાન, મંદિર ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, મહાસચિવ ચંપત રાય બીમાર પડ્યા છે. તેમનું ડાયાબિટીસનું સ્તર વધી ગયું છે અને તેઓ શરદી અને ખાંસીથી પણ પીડાઈ રહ્યા છે, જ્યારે અન્ય ટ્રસ્ટી, અનિલ મિશ્રા, આંખની તપાસ માટે કેરળ જવા રવાના થયા છે.

