Morbi,તા.12
શહેરના આલાપ રોડ પર રહેતા ૨૨ વર્ષીય વેપારી યુવાને ૨ લાખ લીધા હોય જેના બદલે ૧૩ લાખ જેટલું વ્યાજ અને મુદલ સહીત રૂપિયા ૨૨ લાખ ચૂકવ્યા છતાં યુવાનની જમીનનું સોદાખત કરાવી બે કોરા ચેક લઈને પઠાણી ઉઘરાણી કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે
મોરબીના આલાપ રોડ પર અંજની પાર્કમાં રહેતા રવિરાજ જગદીશભાઈ દેત્રોજા (ઉ.વ.૨૨) નામના યુવાને આરોપીઓ ભાવેશ હરીભાઈ દેવાયતકા રહે નાની વાવડી તા. મોરબી, જયદીપ બાબુભાઈ બસિયા રહે રાજકોટ અને રાજેશ લાખાભાઈ સોઢીયા રહે કુંતાસી તા. માળિયા એમ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે દોઢેક વર્ષ પહેલા સિરામિક રો મટીરીયલ્સનો વેપાર ચાલુ કરવા પિતાને વાત કરતા તેને ટેકો કર્યો હતો અને રીયલ પ્લાઝા મોરબી ૨ ખાતે ધંધો ચાલતો હતો વધુ રૂપિયાની જરૂરત પડતા મિત્ર ઓળખીતા ભાવેશ હરિભાઈ દેવાયતકા મારફત જયદીપ સોઢીયાનો સંપર્ક કરાવ્યો હતો જેની પાસેથી તા. ૨૦-૦૧-૨૪ ના રોજ હાથ ઉછીના ૨ લાખ રવાપર ચોકડી પાસે લીધા હતા અને બે કોરા ચેક આપવા પડશે કહેતા સહી કરેલા બે ચેક આપ્યા હતા બાદમાં આરોપીએ તારે ૧૦ ટકા લેખે બે લાખના માસિક રૂ ૨૦ હજાર વ્યાજ આપવું પડશે અને લખાણ આપવું પડશે
બાદમાં આરોપીઓએ જમીન વિશે પૂછતા યુવાને ના પાડી જેથી ખેતીની જમીનના કાગળોની નકલો બતાવી હતી અને તા. ૧૬-૦૨-૨૪ ના રોજ ઓફિસે ભાવેશ, તેના મિત્ર જયદીપ બંને આવી જમીનનો સોદાખત કરી આપવો પડશે તેમ કહેતા ના પાડી હતી જેથી રૂપિયા વ્યાજ સાથે અત્યારે જ આપવા પડશે કહેતા ડરી ગયો હતો અને ત્રણેય આરોપીઓએ જમીનનું સોદાખત કરાવી લેવા દબાણ કર્યું હતું તેની ગાડીમાં બેસાડી સબ રજીસ્ટ્રાર કચેરીએ લઇ જઈને માણેકવાડા ગામે આવેલ સર્વે નંબર ૧૮૬ પૈકી ૨ પૈકી ૧ તથા (૩) સર્વે નંબર ૪૧૬ વાળી ખેતી જમીન મળી કુલ પાંચમાં હિસ્સે આશરે છ વીઘા જમીનનું સોદાખતમાં રાજેશ સોઢીયા વાળાના નામનું કરાવ્યું હતું અને સોદાખતમાં ચેક નંબર ૦૦૦૧ થી ૫ લાખ આપવાના અને અલગ અલગ તારીખે રકમ રૂપિયા મળી ગયેલ છે તેમજ રૂપિયા ૬ લાખ ૨૫ હજાર બાકી રહે છે તેમ ઉલ્લેખ કર્યો હતો
આરોપી જયદીપ અને ભાવેશના કહેવાથી રાજેશ સોઢીયા મારી પાસેથી વારસાઈ જમીનનું ૩૦ લાખનું લખાણ વાળું બળજબરી લખાણ કરાવી દબાણ કરાવી ધમકી આપી રજીસ્ટ્રાર પાસે સોદાખત કરાવ્યું બાદમાં તા. ૨૫-૦૨-૨૦૨૪ ના રોજ ચેક તારા ખાતામાં નાખી દે અને જમા થઇ જાય એટલા રૂપિયા ઉપાડીને મને આપી દેજે કહ્યું હતું ચેક રૂપિયા ૫ લાખનો હોય અને જમા થઇ જતા વાવડી ચોકડીએ બે લાખ રોકડા આપ્યા અને ૩ લાખનું આર.ટી.જી.એસ કરાવા માટે ભરતભાઈ ખાંભરાના બેંક ખાતા નંબર આપ્યા હતા
આરોપીઓ અવારનવાર ધમકી આપી વ્યાજની ઉઘરાણી કરતા હતા ફરિયાદી યુવાને કટકે કટકે જયદીપભાઈને રૂ ૧૩ લાખ રૂપિયા રોકડા વ્યાજ અને પેનલ્ટી તરીકે આપ્યા હતા આમ આરોપીઓએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી લાખો રૂપિયા પડાવી લઈને તેમજ જમીનનો સોદાખત કરાવી વ્યાજની ઉઘરાણી મામલે ધમકી આપી હતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે