New Delh, તા.30
પાટનગર દિલ્હીની વિધાનસભાની યોજાઇ રહેલ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એક વખત રેવડી વહેંચતા હવે પૂજારીઓ અને ગુરુદ્વારાના ગ્રંથીઓ માટે સન્માન યોજનાની જાહેરાત કરી છે.
કેજરીવાલે આજે પત્રકાર પરિષદમાં જાહેર કર્યું કે, પૂજારી-ગ્રંથી યોજના હેઠળ મંદિરના પૂજારીઓ અને ગુરુદ્વારાના ગ્રંથીઓને દર મહિને રૂા.18 હજારની રકમ આપવામાં આવશે. શ્રી કેજરીવાલે જાહેર કર્યું કે ટૂંક સમયમાં આ અંંગે આમ આદમી પાર્ટી દ્વારા એક સર્વે અને નોંધણી ચાલુ કરવામાં આવશે.
તેના આધારે આ રકમ આપવામાં આવશે. શ્રી કેજરીવાલ ખુદ દિલ્હીના વિખ્યાત કોનેટ પ્લેસ હનુમાન મંદિર જઇને ત્યાં પુજારીને આ યોજના માટે નોંધણી કરવામાં આવશે અને ત્યારબાદ અન્ય મંદિરો અને ગુરુદ્વારામાં તેનો પ્રારંભ કરાશે.