ખેડૂત પ્રમાણપત્ર નો દાખલો કાઢી આપવા બાબતે લાંચ લેતા ગ્રામ પંચાયતના કર્મચારી એસીબી ના છટકામાં સપડાયો
Morbi,તા.08
મોરબી પંથકના વજેપર (માધાપર) ના ખેડૂતને ખાતેદારનું પ્રમાણપત્ર આપવા ના મુદ્દે રૂપિયા પાંચ હજારની લાંચ લેતા ઝડપાયેલા જયદીપસિંહ જાડેજા ને કોર્ટે જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ મોરબી પંથકમાં રહેતા અજય મનજી જાદવ એ ખેડૂત ખાતેદારનો પ્રમાણપત્ર મેળવવા માટે વકીલ પ્રદીપ કુમાર ધનજીભાઈ કનજારિયા એ અરજી કરી હતી. છે ખેડૂત પ્રમાણે પત્રમાં અભિપ્રાય આપવાના બહાને જયદીપસિંહ જાડેજાએ ₹5,000 ની માગણી કરી હતી.તેમજ ગામ નમુના 2માં નોંધ કરાવવા અને વારસાઈ આંબો મેળવવા વાતચીત બાબતે તેઓએ અગાઉ આપેલ અભિપ્રાય પેટે 5 હજારની માગણી કરી હતી. અને બંને વચ્ચે રકચકના અંતે ચાર હજાર નક્કી કરી હતી.જે અંગે વકીલ પ્રદીપકુમાર કણજારીયા એસીબી પોલીસ મથકમાં અરજી કરી હતી. બાદ લાંચ વિરોધી શાખા દ્વારા છટકુ ગોઠવ્યું હતું જે છટકામાં તલાટી મંત્રી જયદીપસિંહ કિશોરસિંહ જાડેજા ₹4,000 ની લાંચ લેતાં હાથે ઝડપી લીધા હતાઆરોપી વિરૂધ્ધ અદાલતમાં ચાર્જશીટ કરવામાં આવેલ હતું. બાદ આરોપી જયદીપસિંહ જાડેજા ધ્વારા મોરબી સેશન્સ અદાલતમાં રેગ્યુલર જામીન અરજી કરવામાં આવેલ હતી જે જામીન અરજી એવી રજુઆત કરવામાં આવેલ કે,આરોપીને આ ગુન્હામાં ખોટી રીતે સંડોવી દીધેલ છે.જે પ્રમાણપત્ર મેળવવા અંગે લાંચ માંગવાની ફરીયાદ કરેલ છે તે પ્રમાણપત્ર અગાઉથી જ કોઈપણ જાતની રકમ લીધા વગર અરજદારને મળી ગયેલ છે જે અરજદાર ધ્વારા અરજી કરવામાં આવેલ તે અજય મનજીભાઈ જાદવનું ચાર્જશીટના કામે કોઈ નીવેદન લેવામાં આવેલ નથી. લાંચની રકમ તેઓ પાસેથી રીકવરી થયેલ નથી તેઓ ધ્વારા કોઈપણ જાતની રકમની માંગણી કરેલ ન હોવા છતા તેઓને ખોટી રીતે ખોટા કેસમાં ફીટ કરી દેવામાં આવેલ છે, તમામ તપાસ પુર્ણ થઈ ગયેલ છે તેમજ રીકવરી ડીસ્કવરી પુર્ણ થઈ ગયેલ છે તપાસના કામે આરોપીની કોઈ જરૂરીયાત રહેતી નથી તેવા સંજોગોમાં આરોપીને જામીન મુકત કરવા જોઈએ તેવી દલીલો કરવામાં આવેલ.બચાવપક્ષની દલીલો અને પોલીસ તપાસના કાગળો તેમજ ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને લઈ મોરબી સેશન્સ અદાલત ધ્વારા જયદીપસિંહ જાડેજાને શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ હતો.આ કામમાં મોરબીના જીતુભા જાડેજા તથા રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, મીલન જોષી, જયવિર બારૈયા, દિપ પી. વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર, એડવોકેટ તરીકે રોકાયેલ હતા.