અકસ્માતમાં ઇજાગ્રસ્તનું મૃત્યુ ઇજાથી થયું હોવાનું સાબિત નહીં થતા વળતર મેળવી શકે નહીં
Rajkot,તા.17
અકસ્માતમાં ઇજાગ્રસ્તનું મૃત્યુના કિસ્સામાં મરણ જનારનું મૃત્યુ ઇજાથી થયું હોવાનું સાબિત નહીં થતા મોટર એક્સિડન્ટ ક્લેઈમ ટ્રિબ્યુનલ દ્વારા વળતરની અરજી રદ કરવામાં આવી છે. આ અંગેની હકીકત મુજબ,ચંદુભાઈ ચનાભાઈનું બાઈક ઉપર પાછળ બેસીને જતા હતા ત્યારે અકસ્માતે તૈયાર થયા બાદ મૃત્યુ થયા અંગે વારસોએ ભાવનગર મોટર એકસીડન્ટ ટ્રિબ્યુનલ સમક્ષ કલેઈમ દાખલ કર્યો હતો.આ કેસમાં ટ્રિબ્યુનલમાં ચોલા મંડલમ જનરલ ઈન્સયોરન્સ વતી અધિકારી નીરવ આશરા તથા એડવોકેટ કપીલભાઈ શુકલે પોતાની વિશેષ રજૂઆતમાં જણાવેલ કે ગુજરનારને જે ઈજાઓ છે તે પી.એમ. રિપોર્ટમાં દર્શાવેલ છે, પરંતુ પી.એમ. રિપોર્ટમાં દર્શાવ્યા મુજબ ગુજરનારનું અવસાન હાર્ટ ફેલ્યોરને કારણે થયેલ છે. તેનાથી સ્પષ્ટ થયેલ છે કે ગુજરનારને થયેલ ઈજા અને મૃત્યુનું કોઈ નેકસીયસ કે જોડાણ ગુજરનારના મૃત્યુ સાથે સાંકળતું નથી. આથી ટ્રિબ્યુનલે ચુકાદામાં છણાવટ કરેલ છે કે અરજદારો જયાં સુધી ઈજાગ્રસ્ત વ્યક્તિનું અવસાન અકસ્માતમાં થયેલ ઈજાને કારણે થયેલું છે તે સાબીત ન કરે ત્યાં સુધી અ૨જદારો કોઈપણ વળતર મેળવી શકે નહીં, તેમ ઠરાવી ટ્રિબ્યુનલે અરજદારોની કલેઈમ પિટિશન રદ કરવાનો ચુકાદો આપ્યો છે. આ કામમાં વીમા કંપની તરફથી એટવોકેટ કપીલ શુકલ અને મદદનીશ કુલદીપ બરાલ રોકાયા હતા.