Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Air India ની મુંબઈ – અમદાવાદ ફલાઈટ રન-વે પર થંભી ગઈ

    June 17, 2025

    Cricket Board ને જુનિયર ક્રિકેટરોના હિતમાં નિર્ણય,બે વખત બોન ટેસ્ટ કરાશે

    June 17, 2025

    કોસ્ટગાર્ડ માટે બનાવાયેલુ ‘Achal’ જહાજ તરતુ મુકાયુ

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Air India ની મુંબઈ – અમદાવાદ ફલાઈટ રન-વે પર થંભી ગઈ
    • Cricket Board ને જુનિયર ક્રિકેટરોના હિતમાં નિર્ણય,બે વખત બોન ટેસ્ટ કરાશે
    • કોસ્ટગાર્ડ માટે બનાવાયેલુ ‘Achal’ જહાજ તરતુ મુકાયુ
    • વિજ્ઞાપનની કમાણીમાં વિશ્વમાં Stephen નંબર-1
    • San Francisco to Mumbai આવતી એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખરાબી
    • Online દવાના વેચાણ પર લગામ કસવા તૈયારી
    • મેઘરાજાનું બેટીંગ: Chotila માં છ ઈંચ વરસાદ
    • Bhavnagar-Botad-Amreli માં તૂટી પડતા મેઘરાજા : 60નુ રેસ્કયુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: રેપ – વીથ મર્ડરના ગુનામાં આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા
    રાજકોટ

    Rajkot: રેપ – વીથ મર્ડરના ગુનામાં આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા

    Vikram RavalBy Vikram RavalFebruary 26, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
     ૧૩ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરી હત્યા નીપજાવી હતી, મૃતકના પરીવારજનોને રૂા.૭ લાખનુ વળતર ચુકવવા હુકમ
    Rajkot,તા.26
    શહેરના ગ્રીનલેન્ડ ચોકડી  વિસ્તારમા   રહેતી ૧૩ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરી હત્યા કરવાના ગુનામાં ઝડપાયેલા આરોપીને કોર્ટે અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
    આ કેસની હકિકત મુજબ રાજકોટ ખાતે ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા યુવરાજનગરમાં સ્મશાન પાસે રહેતી ૧૩ વર્ષની બાળકી ગત તા.૨૭/૦૬/૨૦૨૩ ના રોજ ઘરેથી સાંજના સમયે લાકડા વીણવા ગઈ  હતી. રાત સુધી બાળકી પરત નહી આવતા તેની માતાએ શોધખોળ કરી હતી. લાપતા બાળકીની બે દિવસ બાદ અમુલ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી. નામના બંધ કારખાનામાં મશીનો વચ્ચેથી લાશ મળી આવી  હતી. આજીડેમ પોલીસ મથકના પીઆઇ એલ.એલ.ચાવડાએ લાશનુ ઈન્કવેસ્ટ પંચનામુ તૈયાર કરેલ જેમાં લાશ ઉપરના અનેક ભાગો ઉપર ગંભીર ઈજાઓ જણાયેલ તથા ગુપ્ત ભાગો ઉપર પણ ઘાતકી ઈજાઓ થયેલ હોવાનુ જણાયેલ. આ લાશનુ પોસ્ટ મોર્ટમ કરાવતા મૃતક બાળા ઉપર એકથી વધુ વખત બળાત્કાર થયેલ હોવાનુ તથા ધાતુના સળીયા વડે ગુપ્ત ભાગો ઉપર ઈજાઓ થયેલ હોવાનુ ખુલ્યું હતું. આ અંગે પોલીસે ગુપ્તપણે તપાસ આદરતા તા.૦૨/૦૭/૨૦૨૩ ના રોજ સાંજના સમયે આરોપી જયદિપ પરમારની ધરપકડ કરી ઘટના સમયે તેણે પહેરેલ કપડા તથા બાળકીએ પહેરેલ કપડા કબ્જે કરવામાં આવ્યા હતા. આ કપડાઓ ફોરેન્સીક તપાસ અર્થે મોકલતા તેના કપડાઓ ઉપર મૃતક બાળકીનુ લોહી મળી આવેલ તેમજ મૃતક બાળકીની લાશ અને કપડાઓ ઉપર આરોપીનુ લોહી પણ મળી આવેલ હતું. આરોપી સામે આ મુબજનો ચોક્કસ વૈજ્ઞાનિક પુરાવો મળી આવતા પોકસો કોર્ટમાં આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ રજુ કરવામાં આવ્યું હતું.જે કેસ ચાલવા ઉપર આવતા આરોપી તરફે બચાવ લેવામાં આવેલ હતો કે, આરોપી અને મૃતક બાળકીના લોહીના જે ગૃપ એકબીજાના કપડામાં મળી આવેલ છે તે લોહીના ગૃપ અનેક વ્યકિતઓના હોય શકે છે. અને તેથી હાલના આરોપીએ જ ગુનો  કરેલ હોવાનુ સાબિત થતુ નથી. આરોપી અમુલ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.ના બંધ કારખાનામાં મૃતક બાળા સાથે ગયેલ હતો તે અંગેનો કોઈ પુરાવો રજુ થયેલ નથી.જ્યારે સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ  એસ.કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે, આરોપીએ બનાવ સમયે પહેરેલ કપડા ઉપર જે ગૃપનુ લોહી મળી આવેલ છે તે લોહી ભોગ બનનારનુ ન હતુ.આ ઉપરાંત ભોગ બનનારના કપડા ઉપર તથા શરીર ઉપર જે વીર્ય મળી આવેલ છે તે વીર્ય આરોપીનુ હોવાનો ડી.એન.એ. રીપોર્ટ છે. આ મુજબનો જયારે વૈજ્ઞાનિક પુરાવો મળી આવેલ હોય ત્યારે બનાવ સમયે આરોપી બનાવવાળી જગ્યાએ ન હતા તે સાબિત કરવાની જવાબદારી આરોપી ઉપર રહે છે. કાયદાની જોગવાઈ  મુજબનો પુરાવો હોય ત્યારે તેઓ બનાવ સ્થળે હાજર ન હતા તે એક જ બચાવ માન્ય છે. હાલના આરોપીએ આવો કોઈ જ બચાવ લીધેલ નથી કે સાબિત કરેલ નથી ત્યારે આરોપી પોતે જ ગુન્હેગાર હોવાનુ આપોઆપ સાબિત થાય છે. સરકાર તરફેની દલીલોના અંતે સ્પે. પોકસો કોર્ટે આરોપી જયદિપ ઉમેશભાઈ પરમારને હત્યા અને બળાત્કારના ગુન્હામાં જીવનના અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા અને સરકારની “વિકટીમ કોમ્પન્સેશન સ્કીમ’ હેઠળ મૃતકના પરીવારજનોને રૂા.૭ લાખનુ વળતર ચુકવવા હુકમ કર્યો છે.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: આખી રાત સતત ધીમીધારે વરસાદ : 2 ઇંચ પાણી વરસ્યુ

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: શાપર અને મેટોડાથી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ

    June 17, 2025
    રાજકોટ

    પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ એકઠી થઈ

    June 16, 2025
    રાજકોટ

    Vijaybhai Rupani ના જીવનની જેમ અંતિમયાત્રામાં પણ સેવા અને ફુલોની મહેક પ્રસરી

    June 16, 2025
    રાજકોટ

    મુંબઈમાં વરસાદનાં પગલે Rajkot air service ને અસર : બપોરની ફલાઈટ બે કલાક ડીલે

    June 16, 2025
    રાજકોટ

    અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Air India ની મુંબઈ – અમદાવાદ ફલાઈટ રન-વે પર થંભી ગઈ

    June 17, 2025

    Cricket Board ને જુનિયર ક્રિકેટરોના હિતમાં નિર્ણય,બે વખત બોન ટેસ્ટ કરાશે

    June 17, 2025

    કોસ્ટગાર્ડ માટે બનાવાયેલુ ‘Achal’ જહાજ તરતુ મુકાયુ

    June 17, 2025

    વિજ્ઞાપનની કમાણીમાં વિશ્વમાં Stephen નંબર-1

    June 17, 2025

    San Francisco to Mumbai આવતી એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખરાબી

    June 17, 2025

    Online દવાના વેચાણ પર લગામ કસવા તૈયારી

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Air India ની મુંબઈ – અમદાવાદ ફલાઈટ રન-વે પર થંભી ગઈ

    June 17, 2025

    Cricket Board ને જુનિયર ક્રિકેટરોના હિતમાં નિર્ણય,બે વખત બોન ટેસ્ટ કરાશે

    June 17, 2025

    કોસ્ટગાર્ડ માટે બનાવાયેલુ ‘Achal’ જહાજ તરતુ મુકાયુ

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.