કુબેર બોલ્યા : એ ભસ્મ તો મેં ભંડારમાં ભભરાવી દીધી. શિવકૃપાથી મારો ભંડાર અક્ષય બની ગયો. પાર્વતીજી પાછાં ફર્યા ત્યારે શિવજી બોલ્યા : દેવી ! બુદ્ધિમાન નારદજીએ કુબેરનો ભંડાર અક્ષય કરવા આ યુકિત કરી હતી સમજાયું તમને? પછી પાર્વતીજીને નારદજીની ચાલાકી અને ભસ્મનું માહાત્મ્ય સમજાયું
શિવ ભસ્મનો મહિમા સ્મૃતિ પુરાણમાં સુપેરે દર્શાવવામાં આવ્યો છે. ભસ્મ ધારણ કરવાનો મહિમા અપાર અને અગાધ છે. ભગવાન નારાયણ કહે છે :ભસ્મદિગ્ધ શરીરાય યો દદાતિ ધુનૃં મુદ્રા
તસ્ય સર્વાણિ પાપાતિ વિનશ્યત્તિ ન શંશયઃ ાાઅર્થાત ભસ્મલેપવાળાને જે કોઇ સહાય કરે છે તેના સર્વપાપો નિઃસંશય નષ્ટ થાય છે એક કથા છે. એકવાર દુર્જય નામનો બ્રહ્મરાક્ષસ કૌચવનમાં શિવભકિત યોગી તપ કરતા હતા તેમને ખાવા માટે દોડ્યો. યોગી તો સંપૂર્ણપણે ધ્યાનસ્થ હતા. યોગી અંતરમાં શિવના મંગલમય સ્વરૂપનું દર્શન કરી રહ્યા હતા પછી તેમને ભય શાનો? વિકરાળ નિર્દય રાક્ષસે મહાત્માને પકડી લીધા પણ યોગીના અંગોનો સ્પર્શ થતાં જ રાક્ષસ નિષ્પાપ બની ગયો એની બુદ્ધિ પરમ નિર્મળ બની ગઇ તેણે યોગીને પૂછ્યું આમ એકાએક મારી બુદ્ધિ શેને કારણે નિર્મળ બની? યોગીએ કહ્યું ભગવાન શિવજીની ભસ્મનું આ પરિણામ છે. શિવ ભસ્મનો સ્પર્શ થતાં જ તમને નિર્મળ બુદ્ધિ પ્રાપ્ત થઇ છે.ભસ્મ મહિમાની બીજી કથાનો સંબંધ માતા પાર્વતી સાથેનો છે. એકવાર નારદજીએ પાર્વતીજીને પ્રણામ કરીને કહ્યું દેવી આપને અલંકાર રહિત જોઇને મને દુઃખ થાય છે. નારદજીના ગયા પછી પાર્વતીજી ગહન વિચારમાં પડી ગયાં. શિવજીએ કૈલાસધામમાં આવીને દેવીને ચિંતાગ્રસ્ત થતાં પૂછ્યું શું કાંઇ બન્યું છે? આજે ઉદાસ શાથી છો? પાર્વતીજીએ નારદજી સાથે થયેલી વાતચીત કહી સંભળાવી શિવજીએ ચપટી ભસ્મ એક પાંદડામાં બાંધી અને કહ્યું તમે કુબેર પાસે જઇ એમની પાસેથી ભારોભાર સુવર્ણ લઇ આવો. પાર્વતીજી કુબેર પાસે ગયાં એમના દર્શન થતાં જ કુબેર બે હાથ જોડી બોલ્યા મા પ્રભુ આશુતોષની પ્રસાદી પામીને હું ધન્ય થયો. પાર્વતીએ કહ્યું કુબેરજી! એ ભસ્મ હું ભેટ ધરવા લાવી નથી એ ભસ્મના ભારોભાર સુવર્ણ આપો. જેથી હું આભૂષણો પામી શકું.કુબેર બોલ્યા : અરે! આટલા સુવર્ણથી કોઇ આભૂષણ બની શકે? મને આ પ્રસાદીની ભસ્મ આપી દો અને જોઇએ એટલું સુવર્ણ લઇ જાવ. પાર્વતીએ જવાબ આપ્યો : મને તમે ભસ્મની ભારોભાર જ સુવર્ણ આપો. સૌભાગ્યને શોભાવે એવા નાના આભૂષણથી મને સંતોષ છે. કુબેરે એક પલ્લામાં ભસ્મ રાખી અને બીજા પલ્લામાં થોડું સોનું મૂકયું. પરંતુ સોનાવાળું પલ્લુ ઊંચું જ રહ્યું. આથી કુબેર સોનું ઉમેરતા ગયા પણ ભસ્મનું પલ્લુ તો નમેલું જ રહ્યું. ભંડારમાંનું સઘળું સુવર્ણ ત્રાજવે ચડાવી દીધું પણ ભસ્મનું પલ્લું તો ભારે જ રહ્યું. કુબેર વિમાસણમાં પડી ગયા અને બોલ્યા : પાર્વતીજી આ બધું સુવર્ણ આપ લઇ જાવ. પાર્વતીજી સોનું લીધા વિના જ શિવજી પાસે જઇને બોલ્યા પ્રભુ ! હવે મને રતિભાર સુવર્ણ પણ ન ખપે. ભસ્મનો મહિમા મને સમજાઇ ગયો. શિવજીએ પાંદડામાં બાંધી આપેલી ભસ્મનું પડીકું પાછું માગ્યું તો એ પડીકું કુબેરને ત્યાં ભૂલાઇ ગયું હતું. પાર્વતી પડીકું પાછું લેવા કુબેર પાસે ગયા. ભસ્મ માગી તો કુબેર બોલ્યા : એ ભસ્મ તો મેં ભંડારમાં ભભરાવી દીધી. શિવકૃપાથી મારો ભંડાર અક્ષય બની ગયો. પાર્વતીજી પાછાં ફર્યા ત્યારે શિવજી બોલ્યા : દેવી ! બુદ્ધિમાન નારદજીએ કુબેરનો ભંડાર અક્ષય કરવા આ યુકિત કરી હતી સમજાયું તમને? પછી પાર્વતીજીને નારદજીની ચાલાકી અને ભસ્મનું માહાત્મ્ય સમજાયું.