તપાસ દરમિયાન ટેન્કર ખાલી અવસ્થામાં રેઢું મળી આવતાં મેઘપર પોલીસ મથકમાં ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવાઈ
Jamnagar તા ૧૯
જામનગર નજીક મોટી ખાવડી સ્થિત ખાનગી ઓઇલ કંપનીમાંથી રૂપિયા ૨૬.૧૨ લાખ ની કિંમત નો ૩૪, ૦૦૦ લીટર ડીઝલનો જથ્થો ભરીને નીકળેલો ટેન્કર ડ્રાઇવર મહારાષ્ટ્ર પહોંચવાને બદલે રફુ ચક્કર થયો હતો, અને ટેન્કર પણ બિન વારસુ અવસ્થામાં અને ખાલી મળી આવ્યું હતું, જેથી ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક દ્વારા ટેન્કર ચાલક સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી ની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મૂળ ગાંધીધામ કચ્છના વતની અને ટ્રાન્સપોર્ટ નો વ્યવસાય કરતા સચિનભાઈ ધનજીભાઈ લાવડીયા કેજો તેઓ ટ્રાન્સપોર્ટ કંપનીનો વ્યવસાય કરે છે અને પોતાના ટેન્કરમાં મોટી ખાવડી માંથી રૂપિયા ૨૬.૧૨ લાખની કિંમતના ૩૪,૦૦૦ ડીઝલનો જથ્થો ગાયબ થયો હતો.
જે ટ્રક ટેન્કરને મહારાષ્ટ્રના ચંદ્રપુર વિસ્તારમાં હર્ષા કન્સ્ટ્રકશન કંપનીમાં પહોંચાડવાનું હતું, જે ટ્રક ટેન્કર માં વાહન ચલાવવા માટે એક મહિના પહેલા જ મૂળ રાજસ્થાનના ઝાલોર નો વતની
શકુરખાન અલીખાન નોકરીએ ચડ્યો હતો.
જે ગત દશમી તારીખે જામનગર થી જવા માટે રવાના થયા બાદ આજ દિન સુધી નિર્ધારિત સ્થળે પહોંચ્યો ન હતો, અને ટેન્કર ચાલક નો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયો હતો.
ત્યારબાદ ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકો દ્વારા પોતાના ટેન્કરની શોધ ખોળ શરૂ કરતા હાઈવે રોડના એક ધાબા પરથી બીનવારસુ અને ખાલી અવસ્થામાં મળી આવ્યો હતો. તેમાંથી ૩૪,૦૦૦ લીટર ડીઝલનો જથ્થો ગાયબ થઈ ગયો હતો, જ્યારે ટેન્કર ચાલક પણ લાપતા બન્યો છે.
જેથી આ મામલો મેઘપર પડાણા પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ટ્રાન્સપોર્ટર સચીન ભાઈ લાવડીયા ની ફરિયાદના આધારે પોલીસે ટ્રકના ચાલક શકુરખાન વલીખાન સામે ગુન્હો નોધી તેને શોધવા માટેની કવાયત શરૂ કરી છે.