Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતનો સૌથી મોટો કમ્યુનિકેશન Satellite લોન્ચ માટે તૈયાર

    October 27, 2025

    Amreli પર વરસાદી આફત! સગર્ભાને JCBમાં લઈ જવાઈ, રાજુલામાં 50 લોકોનો બચાવ

    October 27, 2025

    Gujarat માં કમોસમી વરસાદ: 5 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં રહેશે માવઠાનું જોર

    October 27, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતનો સૌથી મોટો કમ્યુનિકેશન Satellite લોન્ચ માટે તૈયાર
    • Amreli પર વરસાદી આફત! સગર્ભાને JCBમાં લઈ જવાઈ, રાજુલામાં 50 લોકોનો બચાવ
    • Gujarat માં કમોસમી વરસાદ: 5 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં રહેશે માવઠાનું જોર
    • Bihar ચૂંટણીમાં રીલ્સ મુદ્દે ભાજપ-કોંગ્રેસ સામસામે
    • 21 વર્ષની ફોરેન્સિક સ્ટુડન્ટે બોયફ્રેન્ડની હત્યા કરી સળગાવ્યો
    • Rajkot: ભક્તિનગર સોસાયટીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો
    • Rajkot: છરીના 12 ઘા ઝીંકી યુવાનને મોતને ઘાટ ઉતારનાર આરોપી ઝડપાયો
    • Rajkot: ચોમાસુ માહોલ વચ્ચે ઝાપટા : ઠંડુ વાતાવરણ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»CM ને રાજકીય કાર્યક્રમો માટે સમય છે પણ SC,ST સમાજ માટે સમય નથી,Amit Chavda
    ગુજરાત

    CM ને રાજકીય કાર્યક્રમો માટે સમય છે પણ SC,ST સમાજ માટે સમય નથી,Amit Chavda

    Vikram RavalBy Vikram RavalMarch 21, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૨૧

    આજે વિધાનસભામાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની પ્રશ્નોત્તરી દરમ્યાન ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર “સબકા સાથ, સબકા વિકાસ”ના સુત્રો આપે છે. પણ સાચા અર્થમાં જે સમાજના નબળા વર્ગ છે એ એસ.સી.અને એસ.ટી. સમાજ કે જેના પર વારંવાર એટ્રોસિટી થાય છે એમના અધિકારોનું હનન થાય છે, કાયદાકીય એમને જે રક્ષણ મળ્યું છે એ રક્ષણ જયારે ના મળતું હોય ત્યારે ન્યાય માટે સરકાર પાસે આવતા હોય છે. ગુજરાતમાં અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ લાગુ છે. કાયદાની જોગવાઈ મુજબ સ્ટેટ વિજીલન્સ અને મોનીટરીંગ કમિટી બનાવામાં આવેલ છે. કાયદાની જોગવાઈ મુજબ આ કમિટીના અધ્યક્ષ તરીકે રાજ્યના મુખ્યમંત્રીશ્રી હોય છે,મુખ્યમંત્રી એટલા માટે હોય છે કે આખા રાજ્યમાં આવી જે ફરિયાદો, બનાવો, પ્રસંગો આવે એનું સર્વોચ્ચ કક્ષાએ મોનીટરીંગ થાય, સર્વોચ્ચ કક્ષાએ એના માટેના આદેશો થાય એ આ કમિટીનો મુખ્ય હેતુ છે. કાયદાની જોગવાઈ મુજબ વર્ષમાં બે વખત જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં કમિટી મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ  સ્થાને બોલાવવી ફરજીયાત છે. કમ નસીબે રાજ્યમાં ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર છે  અને નરેન્દ્રભાઈ મોદીની સરકાર હતી ત્યારથી શરુ કરીને આ કમિટીની મીટીંગ  નિયમિત મળવી જોઈએ એ ક્યારેય બોલાવવામાં આવતી નથી. આટલા વર્ષોમાં સતત ત્રણ વર્ષ સુધી આ કમિટી નહિ બોલાવવાને કારણે અમારા જાગૃત ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણીએ હાઈકોર્ટમાં દાદ માંગી, હાઈકોર્ટના આદેશ બાદ ગત વર્ષે એની મીટીંગ બોલાવવામાં આવી.

    અમિત ચાવડાએ જણાવ્યું કે આજે પ્રશ્નોત્તરીમાં પૂછવામાં આવ્યું કે છેલ્લા બે વર્ષમાં કેટલી મીટીંગ બોલાવી? તો બે વર્ષમાં ફક્ત એક જ મીટીંગ બોલાવવામાં આવી છે અને એ મીટીંગ બોલાવ્યે પણ આજે છ મહિનાનો સમય થઇ ગયો તેમ છતાં બીજી મીટીંગ બોલાવવામાં નથી આવી. અમે એનો જવાબ માંગ્યો ગુજરાતમાં એટ્રોસિટીના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે, અસ્પૃશ્યતા નિવારણ માટે સરકારે જે ડ્રાઈવ કરાવવી જોઈએ, ઝુંબેશ કરાવવી જોઈએ જે પ્રાયોરીટીમાં હોવું જોઈએ એ લેવામાં નથી આવતું ગુજરાતમાં એવા કેટલાય બનાવો છે જેનો હું પણ સાક્ષી છું કે સરકારમાં ડી.જી.પી. પાસે લેખિત રજુઆતો છે, અરજદારોએ પણ રજુઆતો કરી હતી કે અમારી જાનને જોખમ છે અમને પોલીસ પ્રોટેક્શન આપો. એમની અરજીને પણ ધ્યાનમાં ના રાખી. અમે પણ સરકારનું ધ્યાન દોર્યું તેમ છતાં પણ કાર્યવાહી ના થઇ. અને એવા છ લોકોની હત્યાઓ ટૂંક સમયમાં થઇ છે.એજ રીતે ગુજરાતમાં જે સાંથણીની જમીનો હોય છે એમાં ૨૦ હજાર કરતા વધારે વીઘા જમીન જેની પર ગેરકાયદેસર કબજો છે એવા દલિત સમાજની જમીનનો કબજો અપાવવા માટે સરકારમાં વારંવાર રજુઆતો કરે છે છતાં એના પર કોઈ જ કાર્યવાહી થતી નથી.

    અમિત ચાવડાએ જણાવ્યું કે  ચારે તરફ એટ્રોસિટી વધતી હોવા છતાં, એના નિવારણ માટેનો કાયદો હોવા છતાં સ્ટેટ લેવલની વિજીલન્સ અને મોનીટરીંગ કમિટી હોવા છતાં રાજ્યના મુખ્યમંત્રીને, સરકારને કમિટીની મીટીંગ બોલાવવાનો સમય નથી. મુખ્યમંત્રીને ક્યાંક આપણે હોળી-ધૂળેટી રમતા જોઈએ છીએ, ક્યાંક ક્રિકેટમાં બોલિંગ-બેટિંગ કરતા જોઈએ છીએ પણ ગુજરાતના એસ.સી. અને એસ.ટી. સમાજના જે પ્રશ્નો છે, રજુઆતો છે ફરિયાદો છે, તેમના પર અત્યાચારો થાય છે, એમના અધિકારોનું હનન થાય છે એનું મોનીટરીંગ કરવાની કમિટી બોલાવવાનો એમની પાસે સમય નથી. આજે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો ને તાત્કાલિક મીટીંગ બોલાવવાની તજવીજ કરી, પણ અમે આજે સરકાર પાસે  માંગણી કરીએ છીએ કે કાયદામાં જોગવાઈ છે, વર્ષમાં બે વખત ફરજીયાત મીટીંગ બોલાવવાની હોય છે, કોઈ સભ્ય આવે કે ના આવે મુખ્યમંત્રીએ મીટીંગ બોલાવવાની હોય છે, એની કાર્યવાહી કરવાની હોય છે એ કાયદાનો અમલ કરવામાં નથી આવતો. સરકાર એસ.સી., એસ.ટી. સમાજના ન્યાય માટે આ મીટીંગ નિયમિત બોલાવે અને ગુજરાતમાં જે એટ્રોસિટી વધી રહી છે એને કાબુમાં લે એવી આજે અમે માંગણી કરીએ છીએ.

    Amit Chavda Gandhinagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Gujarat માં કમોસમી વરસાદ: 5 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં રહેશે માવઠાનું જોર

    October 27, 2025
    રાજકોટ

    Rajkot: ભક્તિનગર સોસાયટીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

    October 27, 2025
    રાજકોટ

    Rajkot: છરીના 12 ઘા ઝીંકી યુવાનને મોતને ઘાટ ઉતારનાર આરોપી ઝડપાયો

    October 27, 2025
    રાજકોટ

    Rajkot: ચોમાસુ માહોલ વચ્ચે ઝાપટા : ઠંડુ વાતાવરણ

    October 27, 2025
    જામનગર

    Jamnagar: આપઘાત અને અપમૃત્યુની સાત ઘટના

    October 27, 2025
    મોરબી

    Morbi: કારખાનામાં લેબર કોલોનીના બીજા માળે પારાપેટ ઉપરથી પટકાતાં યુવાનનું મોત

    October 27, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતનો સૌથી મોટો કમ્યુનિકેશન Satellite લોન્ચ માટે તૈયાર

    October 27, 2025

    Amreli પર વરસાદી આફત! સગર્ભાને JCBમાં લઈ જવાઈ, રાજુલામાં 50 લોકોનો બચાવ

    October 27, 2025

    Gujarat માં કમોસમી વરસાદ: 5 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં રહેશે માવઠાનું જોર

    October 27, 2025

    Bihar ચૂંટણીમાં રીલ્સ મુદ્દે ભાજપ-કોંગ્રેસ સામસામે

    October 27, 2025

    21 વર્ષની ફોરેન્સિક સ્ટુડન્ટે બોયફ્રેન્ડની હત્યા કરી સળગાવ્યો

    October 27, 2025

    Rajkot: ભક્તિનગર સોસાયટીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

    October 27, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતનો સૌથી મોટો કમ્યુનિકેશન Satellite લોન્ચ માટે તૈયાર

    October 27, 2025

    Amreli પર વરસાદી આફત! સગર્ભાને JCBમાં લઈ જવાઈ, રાજુલામાં 50 લોકોનો બચાવ

    October 27, 2025

    Gujarat માં કમોસમી વરસાદ: 5 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં રહેશે માવઠાનું જોર

    October 27, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.