Gandhinagar,તા.26
થોડા દિવસો પહેલાં વિધાનસભામાં યોજાયેલા સન્માન સમારોહમાં વિક્રમ ઠાકોર સહિત ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન આપતાં વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ સરકારે વિક્રમ ઠાકર અને અન્ય કલાકારોને વિધાનસભામાં ગૃહની કાર્યવાહી નિહાળવા માટે આમંત્રિત કર્યા છે.
આજે 26 માર્ચ (બુધવાર) અને 27 માર્ચ (ગુરૂવારે) વિક્રમ ઠાકોર, સાગર પટેલ, મલ્હાર ઠાકર સહિતના 1000થી વધુ કલાકારો અને સંગીતવાદકોને ગૃહની કામગીરી નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
આજે વિધાનસભા ગૃહની કાર્યવાહી નિહાળવા માટે હિતેન કુમાર, હિતુ કનોડિયા અને મોના થીબા પહોંચી ચૂક્યા છે. પરંતુ વિક્રમ ઠાકોર પહોંચશે કે કેમ તે અંગે કન્ફોર્મેશન નથી.
હિતુ કનોડિયાએ જણાવ્યું છે કે વિક્રમ ઠાકોરને સૌથી પહેલાં આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ વિક્રમ ઠાકોરે કન્ફર્મ નથી કર્યું કે આવશે કે નહી આવે. બધા જ કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે, જે કલાકારો શૂટિંગમાં વ્યસ્ત છે તે આવી શકશે નહી.
જે કલાકારોનું કન્ફોર્મેશન હશે, અત્યારે તે કલાકારોનું લિસ્ટમાં નામ હશે. આમંત્રિત તો હજાર કલાકારને કર્યા છે. આવવાના છે અને જેમને કન્ફોર્મ કર્યું છે તેમનું લિસ્ટમાં નામ છે. વિક્રમ ઠાકોરે કન્ફોર્મેશન આપ્યું નથી, પરંતુ તેમને ચોક્ક્સ આમંત્રિત કરવામાં આવ્યા છે. આવતીકાલ માટે પણ તેમને આમંત્રણ આપ્યું છે. પરંતુ તેમના કન્ફોર્મેશનની રાહ જોવાઇ રહી છે.
ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજકીય કાર્યવાહી નિહાળવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહીર, રાજભા ગઢવી, કિર્તીદાન ગઢવી સહિતના કલાકારોને બોલાવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના કોઈપણ કલાકારોને બોલાવવામાં ન આવતા અભિનેતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી.
વિક્રમ ઠાકોરે કહ્યું કે, ’મને એટલા માટે ખોટું લાગ્યું કે મારા સમાજના કોઈ કલાકારોને તમે ના બોલાવ્યા. હું મારા સમાજના મોટા નેતાઓને કહીશ કે, તમે આ નોંધ ન લીધી હોય તો લેજો અને આગળ આવું ન થાય તેનું ધ્યાન દોરજો.
ઠાકોર સમાજના અનેક લોકોના મને ફોન આવ્યા છે. ઠાકોર સમાજ બહુ મોટો છે અને ભાજપ હોય કે કોંગ્રેસ હોય દરેક પક્ષને સપોર્ટ કરે છે. બસ એટલી જ વિનંતી કરવા માંગું છું સરકારને કે, આવો કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો ના બોલાવો પણ બીજા સમાજના મોટા કલાકારોને તમે બોલાવો એ બહુ સારી વાત છે, હું અભિનંદન પાઠવું છું કે અમારા કલાકારોનું આટલું તમે સન્માન કર્યું. પરંતુ એમાં અમારા ઠાકોર સમાજના પણ કલાકારો છે, એ તમે ચૂક્યા’ગાંધીનગરમાં અત્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં આજે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આગામી 26-27 માર્ચના રોજ ગુજરાતના તમામ કલાકારોને વિધાનસભા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. અંદાજે 300 જેટલા કલાકારો વિધાનસભાની કાર્યવાહી જોઈ શકે તે માટે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ તમામ કલાકારોને લાવવાની જવાબદારી હિતુ કનોડિયાને સોંપવામાં આવી હતી. આ સાથે જ મલ્હાર ઠાકર, પૂજા જોશી, સિદ્ધાર્થ રાંદેરિયા, ભવ્ય ગાંધી, મોનલ ગજ્જર જેવા જાણી ગુજરાતી કલાકારો વિધાનસભા પહોંચી ગયા છે. ત્યારે હવે વિક્રમ ઠાકોર હજુ વિધાનસભા પહોંચ્યા નથી. જેને લઈને પણ હિતુ કનોડિયાએ નિવેદન આપ્યું છે.
હિતુ કનોડિયાએ કહ્યું કે, વિક્રમ ઠાકોરને અમે સૌથી પહેલા આમંત્રણ મોકલ્યું છે. પરંતુ આજે તેમણે કોઈ જ કન્ફર્મેશન આપ્યું નથી તેથી આજના લિસ્ટમાં તેમનું નામ નથી. અને આવતીકાલે તેઓ આમંત્રિત છે જ પણ જો તેઓ કન્ફર્મેશન આપે પછી ખબર પડશે. અને ઘણા એવા કલાકરો છે જે હાલ શૂટિંગમાં વ્યસ્ત છે અને તેના કારણે તેઓ આવ્યા નથી તેવા કલાકરોએ તો કન્ફર્મેશન આપ્યું પણ છે કે તેઓ પહોંચવાના નથી.