Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Zubin Garg ની છેલ્લી ફિલ્મ ‘રોઈ રોઈ બિનાલે’ રિલીઝ

    November 1, 2025

    Kalki AD 2898 ની ક્રેડિટમાંથી દૂર કરાયેલું દીપિકાનું નામ ફરી મૂૂકાયું

    November 1, 2025

    Mannat Renovations ચાલતું હોવાથી શાહરુખ અલીબાગમાં બર્થ ડે મનાવશે

    November 1, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Zubin Garg ની છેલ્લી ફિલ્મ ‘રોઈ રોઈ બિનાલે’ રિલીઝ
    • Kalki AD 2898 ની ક્રેડિટમાંથી દૂર કરાયેલું દીપિકાનું નામ ફરી મૂૂકાયું
    • Mannat Renovations ચાલતું હોવાથી શાહરુખ અલીબાગમાં બર્થ ડે મનાવશે
    • Ranbir Kapoor દાદા રાજ કપૂરનું બેનર રિવાઈવ કરશે
    • અનેક ભૂલ કરતા ભારત સામે હાર્યા : હવે 2029 ના વર્લ્ડકપ સુધી નહીં રમૂ
    • બીજા ટી20માં ભારતની હાર : કાલે ત્રીજો જંગ રોમાંચક થશે
    • ટેરિફ વિરોધી જાહેરાત બદલ ટ્રમ્પની માફી માંગતા કેનેડાના પ્રમુખ
    • 2013 બાદ દેશમાં કોઈ મોટો આતંકી હુમલો થયો નથી : Ajit Doval
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujarat ના ગૌરવસમા સિંહોની સંખ્યા 900 ને આંબી જશે?
    ગુજરાત

    Gujarat ના ગૌરવસમા સિંહોની સંખ્યા 900 ને આંબી જશે?

    Vikram RavalBy Vikram RavalMay 13, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad તા.13
    એશીયાઈ સિંહો ધરાવતા એકમાત્ર ગીર અભ્યારણ્યમાં વસતી ગણતરીની કાર્યવાહી લગભગ પૂર્ણ થઈ છે.કુલ સંખ્યા 900 ની આસપાસ હોવાનો પ્રાથમિક અંદાજ છે તેમાં મહત્વની બાબત એવી સામે આવી છે કે અભ્યારણ્ય કરતા પણ તેની બહારનાં ક્ષેત્રોમાં વધુ સિંહોનો વસવાટ છે.

    ગીરના સાવજો સામ્રાજય વધારતા રહ્યા હોય તેમ અભ્યારણ્યનાં રક્ષિત વિસ્તારની બહાર પણ વસવાટ રહ્યો છે. સિંહોની કુલ સંખ્યા 900 ને આંબી ગયાનો પ્રાથમિક અંદાજ છે. જે 2020 માં 674 ની હતી.

    વન વિભાગનાં સુત્રોએ જણાવ્યું છે કે 2020 ની વસ્તી ગણતરીમાં સંરક્ષિત વિસ્તારમાં 380 તથા બહારનાં ક્ષેત્રોમાં 294 સિંહ માલુમ પડયા હતા પરંતુ આ વખત ચિત્ર અલગ છે. આ વખતે સંરક્ષિત અભ્યારણ્યમાં અંદાજીત 425 સિંહ છે. ગીત, મિતાયાળા, ગીરનાર, તથા પતિયા અભ્યારણ્યમાં વસવાટની પૂર્ણ ક્ષમતાએ વસતી છે. પ્રાથમીક સંકેતો મુજબ સંરક્ષીત અભ્યારણ્યની બહારનાં ક્ષેત્રોમાં 440 થી 470 સિંહોનો વસવાય છે.

    વસતી ગણતરીનાં પ્રાથમિક સંકેતો અનુસાર સૌરાષ્ટ્રનાં ગ્રેટર ગીર રીજીયનમાં સિંહોની સંખ્યામાં 30 ટકાનો વધારો છે જે ઘણો મોટો ગણી શકાય. નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે 2020 માં પણ અભ્યારણ્યની બહારના ક્ષેત્રોમાં સિંહોની સંખ્યામાં સારો એવો વધારો હતો.

    વન વિભાગનાં સીનીયર અધિકારીએ કહ્યું કે અમરેલીનાં બાબાપુર, ચકકરગઢ તથા માંગવપાલમાં સિંહોનો વસવાટ પેટર્નમાં પણ મોટો બદલાવ છે. અત્યાર સુધી માત્ર કયારેક જ આંટો મારતા તેના બદલે હવે કાયમીરહેણાંક બનાવી લીધા છે.રાજુલા, જાફરાબાદ તથા ગીર સોમનાથમાં પણ વસવાટ છે.

    અમરેલી જીલ્લામાં ઔદ્યોગીકકરણ મર્યાદિત છે એટલે સાવજોને રહેણાંક માટે સાનુકળ છે. ઉપરાંત સ્થાનિક લોકો પણ ગૌરવ ગણે છે.હવે બોટાદ ઉપરાંત સુરેન્દ્રનગરમાં અમુક ભાગ તથા અમદાવાદના ધંધુકા તરફ પણ મુવમેન્ટ જોવા મળી છે.

    ગુજરાતનું ગૌરવ ગણાતા એશિયાઈ સિંહોની 10 મે થી વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી હતી. આવતીકાલે 13 મે ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિંહોના નવા આંકડાની વિધિવત જાહેરાત કરશે. સાસણ ખાતે હાઈ મોનિટરિંગ યુનિટમાં ડેટાનું વિશ્લેષણ કરાયા બાદ અંતિમ આંકડા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જાહેર કરશે.

    10 થી 12 મે સુધી રાજ્યના 11 જિલ્લામાં હાથ ધરાયેલી ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિ મુજબ 3254 કર્મચારીઓ 
    સિંહની વસતી ગણતરીમાં જોડાયા હતા. મહત્ત્વની વાત છે કે રાજ્યના વન અને પર્યાવરણ પ્રધાન મુળુ બેરાએ સિંહ ગણતરીની શરૂઆત કરાવી હતી. બે તબક્કામાં આયોજિત આ સિંહ ગણતરીમાં રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી પણ જોડાયા હતા.

    એશિયાટિક સિંહોની વસ્તી ગણતરીનો 16મો તબક્કો સાસણ ગીર ખાતે 10 મેથી શરૂ કરાયો હતો. ચાર દિવસમાં 11 જિલ્લાના 35 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લેવામાં આવ્યો હતો.

    જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, બોટાદ, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગરના કુલ 58 તાલુકાઓને આવરી લેવામાં આવ્યા હતા. વસતી ગણતરી માટે 735 યુનિટ, 112 સબ ઝોન, 32 ઝોન અને 8 રિજન બનાવવામાં આવ્યા છે.

     

    GUJARAT lions reach 900 Will the number
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: રાત્રે ધોધમાર 2 ઈંચ : સૌરાષ્ટ્રમાં વધુ અડધોથી 3.5 ઈંચ

    November 1, 2025
    મોરબી

    Morbi: રીક્ષામાં ચોરખાનું બનાવીને દારૂની બોટલોની પાઇલોટિંગ સાથે હેરાફેરી

    November 1, 2025
    મોરબી

    Morbi: ઝડપાયેલ ડ્રગ્સના ગુનામાં ત્રણ આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

    November 1, 2025
    મોરબી

    Morbi: ચેક રીટર્ન કેસમાં એક વર્ષની કેદ તથા બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ

    November 1, 2025
    મોરબી

    Morbi: માંથી 3 અને માટેલ પાસેથી 10 બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા

    November 1, 2025
    મોરબી

    Morbi: એસએમસીની ટીમે કરેલ ગોડાઉન રેડના ગુનામાં માલ મંગાવનાર બુટલેગરની ધરપકડ

    November 1, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Zubin Garg ની છેલ્લી ફિલ્મ ‘રોઈ રોઈ બિનાલે’ રિલીઝ

    November 1, 2025

    Kalki AD 2898 ની ક્રેડિટમાંથી દૂર કરાયેલું દીપિકાનું નામ ફરી મૂૂકાયું

    November 1, 2025

    Mannat Renovations ચાલતું હોવાથી શાહરુખ અલીબાગમાં બર્થ ડે મનાવશે

    November 1, 2025

    Ranbir Kapoor દાદા રાજ કપૂરનું બેનર રિવાઈવ કરશે

    November 1, 2025

    અનેક ભૂલ કરતા ભારત સામે હાર્યા : હવે 2029 ના વર્લ્ડકપ સુધી નહીં રમૂ

    November 1, 2025

    બીજા ટી20માં ભારતની હાર : કાલે ત્રીજો જંગ રોમાંચક થશે

    November 1, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Zubin Garg ની છેલ્લી ફિલ્મ ‘રોઈ રોઈ બિનાલે’ રિલીઝ

    November 1, 2025

    Kalki AD 2898 ની ક્રેડિટમાંથી દૂર કરાયેલું દીપિકાનું નામ ફરી મૂૂકાયું

    November 1, 2025

    Mannat Renovations ચાલતું હોવાથી શાહરુખ અલીબાગમાં બર્થ ડે મનાવશે

    November 1, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.