Mithapur, તા.20
યાત્રાધામ દ્વારકામાં પ્રતિરોજ હજારો અને તહેવારોના દિવસોમાં લાખોની સંખ્યામાં યાત્રીકો દર્શનાર્થે આવે છે ત્યારે સ્થાનીક લોકોની સાથે યાત્રીકો પણ દ્વારકામાં ખેલાતા આખલા યુઘ્ધથી ત્રાહિમામ પોકારી ગયા છે. દ્વારકામાં આખલાની હડફેટે એક યુવતિનુ મરણ થયુ તો પણ દ્વારકા ન.પા.ને જાણે શરમ ના હોય તેવુ લાગે છે કારણ કે આ આખલાઓ માટે કોઈ જ પગલા લેવામાં આવતા નથી હાલમાં તો જાહેરમાં આખલાઓ તોફાને ચડયા હતા અને એક હોટેલનો કાચ તોડી હોટેલના કાઉન્ટર સુધી પહોંચી જતા ભારે દોડધામ મચી જવા પામી હતી. દ્વારકામાં ઘણા ઘણા લોકો પોતાને રાજકીય માંધાતા સમજે છે તો તેઓ આવા આખલાઓના પ્રશ્ને કેમ મોઢામાં મગ ભરીને બેઠા છે કે પછી તેમને કોઈ ગણકારતુ નથી?